શોધખોળ કરો

Independence Day 2022: ભારત 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે કે 76મો, આ સરળ રીતે દૂર કરો મૂંઝવણ

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું. એક વર્ષ પૂર્ણ થવા પર એટલે કે 15મી ઓગસ્ટ 1948ના રોજ સ્વતંત્રતા દિવસની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી પરંતુ સ્વતંત્રતા દિવસ બીજો બન્યો.

Independence Day of India: સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ભારતના 75મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે જ્યારે કેટલાક લોકો 76મા દિવસે. આવી સ્થિતિમાં, મૂંઝવણ દૂર કરવી જરૂરી છે કારણ કે આ કોઈ સામાન્ય દિવસ નથી, આ તે દિવસ છે જ્યારે ભારતને લાંબા સંઘર્ષ પછી બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી હતી. આજે આપણે દેશવાસીઓ આઝાદીની આ વર્ષગાંઠ ઉજવવા સક્ષમ છીએ કારણ કે આ ધરતીના અસંખ્ય સપૂતો અને વીરોએ આઝાદીને પોતાના લોહીથી સિંચી દીધી છે, તેઓએ માતૃભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે.

ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરવા માટે ઈતિહાસનું જ્ઞાન હોવું જરૂરી છે, તેથી દેશની નવી પેઢીને ખબર હોવી જોઈએ કે ભારત કેવી રીતે તબક્કામાંથી પસાર થયું અને ઓછામાં ઓછી કેટલીક તારીખોમાંને લઈને તો કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ. તો ચાલો સ્વતંત્રતા દિવસની ગણતરી અંગેની મૂંઝવણને સરળ રીતે દૂર કરીએ.

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું. એક વર્ષ પૂર્ણ થવા પર એટલે કે 15મી ઓગસ્ટ 1948ના રોજ સ્વતંત્રતા દિવસની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી પરંતુ સ્વતંત્રતા દિવસ બીજો બન્યો. દિવસ પણ શરૂ થાય તે તારીખે ગણાય છે. એ જ રીતે, 1957 માં, ભારતે સ્વતંત્રતા દિવસની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી પરંતુ તે દિવસ તરીકે 11મો હતો. એ જ રીતે ગણતરી કરીએ તો હવે એટલે કે 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠ છે પણ દિવસ 76મો છે. એટલે કે ભારત આ વર્ષે 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે.

આ ઝુંબેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર શરૂ કરવામાં આવી હતી

સ્વતંત્રતા દિવસના 75 વર્ષ પૂર્ણ થવા પર, ભારત સરકારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અભિયાનની શરૂઆત કરી હતી, જે વર્ષભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવે છે. આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓમાં દેશભક્તિની લાગણી જગાવવા માટે 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરી હતી. તેની અસર દેખાઈ રહી છે. ગામ હોય કે શહેર, દેશના અસંખ્ય ઘરોની છત પર રાષ્ટ્રધ્વજ લહેરાવતો જોવા મળે છે.

વડાપ્રધાન મોદીની આ પહેલને ઘણા વિરોધ પક્ષોએ પણ સ્વીકારી છે. જોકે, તે પોતાની રીતે સેલિબ્રેટ કરી રહી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને આ પહેલમાં જોડાવા માટે પણ આહ્વાન કર્યું હતું. આ કારણે ઘણા યુઝર્સે પોતાના સોશિયલ એકાઉન્ટના પ્રોફાઈલ પિકમાં ત્રિરંગાની તસવીર લગાવી છે. એબીપી ન્યૂઝ તમામ દેશવાસીઓને 76માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવે છે. જય હિન્દ!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget