શોધખોળ કરો

Independence Day 2024 Live: લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યુ- 'રિફોર્મ રાજકીય મજબૂરી નહી, અમે નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત'

આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ દરમિયાન તેઓ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

LIVE

Key Events
Independence Day 2024 Live: લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યુ- 'રિફોર્મ રાજકીય મજબૂરી નહી, અમે નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત'

Background

ભારત આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ દરમિયાન તેઓ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન પણ કરશે. આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ છે વિકસિત ભારત @2047. સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

આ વર્ષે ભારતીય નેવી કોઓર્ડિનેશન સર્વિસ છે. કમાન્ડર અરુણ કુમાર મહેતા ગાર્ડ ઓફ ઓનરની કમાન સંભાળશે. વડા પ્રધાનના ગાર્ડમાં આર્મી ટુકડીનું કમાન્ડ મેજર અર્જુન સિંહ, નૌકાદળની ટુકડીનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર ગુલિયા ભાવેશ એનકે અને એરફોર્સ ટુકડીનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર અક્ષરા ઉનિયાલ સંભાળશે. એડિશનલ ડીસીપી અનુરાગ દ્વિવેદી દિલ્હી પોલીસની ટીમને કમાન્ડ કરશે.

પીએમને સલામી આપવામાં આવશે

વડાપ્રધાન મોદી આજે લાલ કિલ્લા પર પહોંચશે ત્યારે સંરક્ષણ સચિવ ગિરધર અરમાને દિલ્હી વિસ્તારના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ ભવનીશ કુમારનો પરિચય કરાવશે. આ પછી દિલ્હી ક્ષેત્રના GOC વડા પ્રધાન મોદીને સલામી મંચ પર લઈ જશે, જ્યાં સંયુક્ત આંતર-સેવાઓ અને દિલ્હી પોલીસના ગાર્ડ વડાપ્રધાનને સલામી આપશે. વડાપ્રધાન માટે ગાર્ડ ઓફ ઓનર ટુકડીમાં આર્મી, નેવી, એરફોર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.

મજબૂત સુરક્ષા વ્યવસ્થા

સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને વિકાસનો સંદેશ આપશે અને 2047 સુધીમાં દેશનો વિકાસ કરવા માટેનું પોતાનું વિઝન જનતા સમક્ષ રજૂ કરશે. કડક સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દિલ્હી પોલીસે લાલ કિલ્લાની આસપાસ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કર્યા છે.

સ્વતંત્રતા દિવસના અવસર પર જ્યારે લાલ કિલ્લા પર પહોંચશે ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પીએમ મોદીનું સ્વાગત કરશે. આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં 18 હજાર મહેમાનો ભાગ લેશે. જેમાં 150-150 લખપતિ અને ડ્રોન દીદી, આશા વર્કર અને ANS સાથે ગ્રામ પંચાયતોની 300 ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને પણ સામેલ કરવામાં આવશે.

11:13 AM (IST)  •  15 Aug 2024

Independence Day 2024: તમામ રાજકીય પક્ષોએ વન નેશન વન ઇલેક્શન માટે આગળ આવવું જોઈએ - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે આજે દરેક કામને ચૂંટણીના રંગમાં રંગી દેવામાં આવે છે. તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક કમિટી પોતાનો રિપોર્ટ તૈયાર કરી રહી છે. વન નેશન, વન ઇલેક્શન માટે દેશે આગળ આવવું પડશે. હું રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે ભારતની પ્રગતિ માટે વન નેશન, વન ઇલેક્શનના સ્વપ્નને સાકાર કરવા આગળ આવે.

11:13 AM (IST)  •  15 Aug 2024

પરિવારવાદ અને જાતિવાદથી લોકશાહીને નુકસાન થઈ રહ્યું છે - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે પરિવારવાદ અને જાતિવાદથી લોકશાહીને નુકસાન થઈ રહ્યું છે. આપણે આમાંથી દેશને આઝાદ કરવો છે. અમારું એક મિશન એવા એક લાખ લોકોને આગળ લાવવાનું છે જેમના પરિવારમાં કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી. તેનાથી દેશને ભત્રીજાવાદ અને જાતિવાદથી મુક્તિ મળશે. આનાથી નવા વિચારો સામે આવશે. તેઓ કોઈપણ પક્ષમાં જોડાઈ શકે છે.

11:13 AM (IST)  •  15 Aug 2024

દેશને કમ્યુનલ નહી પરંતુ સેક્યુલર સિવિલ કોડની જરૂર છે: PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ પર ઘણી વખત ચર્ચા કરી છે. દેશનો એક મોટો વર્ગ માને છે કે સિવિલ કોડ સાંપ્રદાયિક છે. આમાં સત્ય પણ છે. આ એક ભેદભાવપૂર્ણ નાગરિક સંહિતા છે. બંધારણના 75 વર્ષની ઉજવણી થશે ત્યારે બંધારણ ઘડનારાઓના સપનાને સાકાર કરવાની જવાબદારી આપણી રહેશે. હું ઈચ્છું છું કે દરેક વર્ગ આ અંગે ચર્ચા કરે. ધર્મના આધારે ભાગલા પાડનારા કાયદાને સમાજમાં કોઈ સ્થાન નથી. હવે દેશમાં સેક્યુલર સિવિલ કોડ હોય એ સમયની જરૂરિયાત છે. કમ્યુનલ સિવિલ કોડમાં આપણે 75 વર્ષ પસાર કર્યા છે, હવે આપણે સેક્યુલર સિવિલ કોડ તરફ આગળ વધવું પડશે. તો જ આપણને ધર્મના આધારે ભેદભાવથી મુક્તિ મળશે.

11:13 AM (IST)  •  15 Aug 2024

બાંગ્લાદેશના હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ - પીએમ મોદી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પાડોશી દેશ તરીકે બાંગ્લાદેશમાં જે કંઈ પણ થયું છે તેના પર ચિંતિત થવું સામાન્ય છે. મને આશા છે કે ત્યાંની સ્થિતિ જલ્દી જ સામાન્ય થઈ જશે. દેશવાસીઓ ઈચ્છે છે કે ત્યાંના લઘુમતી હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ. ભારત હંમેશા ઈચ્છે છે કે આપણા પાડોશી દેશો સુખ અને શાંતિના માર્ગે ચાલે. અમારી શાંતિ માટે પ્રતિબદ્ધતા છે. આવનારા દિવસોમાં બાંગ્લાદેશની વિકાસયાત્રા અમારી શુભકામનાઓથી જ ચાલશે, કારણ કે આપણે માનવજાતના કલ્યાણ વિશે વિચારનારા લોકો છીએ.

11:12 AM (IST)  •  15 Aug 2024

Independence Day 2024: ભ્રષ્ટાચારીઓ સામે ભયનું વાતાવરણ પેદા કરવા માંગું છું- PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓ ભ્રષ્ટાચારની ઉધઈથી પરેશાન છે. દરેક સ્તરે ભ્રષ્ટાચારે લોકોનો વિશ્વાસ તોડ્યો છે. અમે ભ્રષ્ટાચાર સામે યુદ્ધ છેડ્યું છે. હું જાણું છું કે તેની કિંમત મારે ચૂકવવી પડે છે. મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવે છે પરંતુ મારી પ્રતિષ્ઠા રાષ્ટ્ર કરતાં મોટી ન હોઈ શકે. મારું સપનું દેશના સપનાથી મોટું ન હોઈ શકે. તેથી ભ્રષ્ટાચાર સામેની મારી લડાઈ ચાલુ રહેશે. ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી શરૂ થશે. હું ભ્રષ્ટાચારીઓ સામે ભયનું વાતાવરણ ઊભું કરવા માગું છું. તેમણે કહ્યું કે આપણા દેશમાં કેટલાક લોકો ઉભરી રહ્યા છે જે ભ્રષ્ટાચારનો મહિમા ગાઇ રહ્યા છે. ખુલ્લેઆમ તેનો જયજયકાર કરી રહ્યા છે. સમાજ માટે આ એક પડકાર બની ગયો છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, યલો એલર્ટ જાહેર
માધબી પુરી બુચ પર હિંડનબર્ગનો નવો આરોપ, 'સેબી અધ્યક્ષ બન્યા બાદ ચાર કંપનીઓ પાસેથી લીધા પૈસા'
માધબી પુરી બુચ પર હિંડનબર્ગનો નવો આરોપ, 'સેબી અધ્યક્ષ બન્યા બાદ ચાર કંપનીઓ પાસેથી લીધા પૈસા'
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
પાસપોર્ટ બનાવનારાઓને સરકારની ચેતવણી, ઓનલાઇન અરજી કરતા અગાઉ ચેક કરો આ બાબતો
પાસપોર્ટ બનાવનારાઓને સરકારની ચેતવણી, ઓનલાઇન અરજી કરતા અગાઉ ચેક કરો આ બાબતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રાહુલના આરોપમાં કેટલો દમ?Hun to Bolish | હું તો બોલીશ | ખાડાના રૂપિયા કે રૂપિયાના ખાડા?Gandhinagar News | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને આપી વધુ એક ભેટEXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, યલો એલર્ટ જાહેર
માધબી પુરી બુચ પર હિંડનબર્ગનો નવો આરોપ, 'સેબી અધ્યક્ષ બન્યા બાદ ચાર કંપનીઓ પાસેથી લીધા પૈસા'
માધબી પુરી બુચ પર હિંડનબર્ગનો નવો આરોપ, 'સેબી અધ્યક્ષ બન્યા બાદ ચાર કંપનીઓ પાસેથી લીધા પૈસા'
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
પાસપોર્ટ બનાવનારાઓને સરકારની ચેતવણી, ઓનલાઇન અરજી કરતા અગાઉ ચેક કરો આ બાબતો
પાસપોર્ટ બનાવનારાઓને સરકારની ચેતવણી, ઓનલાઇન અરજી કરતા અગાઉ ચેક કરો આ બાબતો
Rahul Gandhi: અમેરિકામાં રાહુલ ગાંધીનો દાવો,  'ચીને લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન પર કર્યો છે કબજો'
Rahul Gandhi: અમેરિકામાં રાહુલ ગાંધીનો દાવો, 'ચીને લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન પર કર્યો છે કબજો'
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
લાંબા સમય સુધી ખુરશી પર બેસીને કામ કરતા હોવ તો સાવધાન, આ અંગોને થઇ રહ્યું છે નુકસાન
લાંબા સમય સુધી ખુરશી પર બેસીને કામ કરતા હોવ તો સાવધાન, આ અંગોને થઇ રહ્યું છે નુકસાન
Embed widget