શોધખોળ કરો

Independence Day 2024 Live: લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યુ- 'રિફોર્મ રાજકીય મજબૂરી નહી, અમે નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત'

આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ દરમિયાન તેઓ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

LIVE

Key Events
Independence Day 2024 Live: લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યુ- 'રિફોર્મ રાજકીય મજબૂરી નહી, અમે નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત'

Background

11:13 AM (IST)  •  15 Aug 2024

Independence Day 2024: તમામ રાજકીય પક્ષોએ વન નેશન વન ઇલેક્શન માટે આગળ આવવું જોઈએ - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે આજે દરેક કામને ચૂંટણીના રંગમાં રંગી દેવામાં આવે છે. તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક કમિટી પોતાનો રિપોર્ટ તૈયાર કરી રહી છે. વન નેશન, વન ઇલેક્શન માટે દેશે આગળ આવવું પડશે. હું રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે ભારતની પ્રગતિ માટે વન નેશન, વન ઇલેક્શનના સ્વપ્નને સાકાર કરવા આગળ આવે.

11:13 AM (IST)  •  15 Aug 2024

પરિવારવાદ અને જાતિવાદથી લોકશાહીને નુકસાન થઈ રહ્યું છે - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે પરિવારવાદ અને જાતિવાદથી લોકશાહીને નુકસાન થઈ રહ્યું છે. આપણે આમાંથી દેશને આઝાદ કરવો છે. અમારું એક મિશન એવા એક લાખ લોકોને આગળ લાવવાનું છે જેમના પરિવારમાં કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી. તેનાથી દેશને ભત્રીજાવાદ અને જાતિવાદથી મુક્તિ મળશે. આનાથી નવા વિચારો સામે આવશે. તેઓ કોઈપણ પક્ષમાં જોડાઈ શકે છે.

11:13 AM (IST)  •  15 Aug 2024

દેશને કમ્યુનલ નહી પરંતુ સેક્યુલર સિવિલ કોડની જરૂર છે: PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ પર ઘણી વખત ચર્ચા કરી છે. દેશનો એક મોટો વર્ગ માને છે કે સિવિલ કોડ સાંપ્રદાયિક છે. આમાં સત્ય પણ છે. આ એક ભેદભાવપૂર્ણ નાગરિક સંહિતા છે. બંધારણના 75 વર્ષની ઉજવણી થશે ત્યારે બંધારણ ઘડનારાઓના સપનાને સાકાર કરવાની જવાબદારી આપણી રહેશે. હું ઈચ્છું છું કે દરેક વર્ગ આ અંગે ચર્ચા કરે. ધર્મના આધારે ભાગલા પાડનારા કાયદાને સમાજમાં કોઈ સ્થાન નથી. હવે દેશમાં સેક્યુલર સિવિલ કોડ હોય એ સમયની જરૂરિયાત છે. કમ્યુનલ સિવિલ કોડમાં આપણે 75 વર્ષ પસાર કર્યા છે, હવે આપણે સેક્યુલર સિવિલ કોડ તરફ આગળ વધવું પડશે. તો જ આપણને ધર્મના આધારે ભેદભાવથી મુક્તિ મળશે.

11:13 AM (IST)  •  15 Aug 2024

બાંગ્લાદેશના હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ - પીએમ મોદી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પાડોશી દેશ તરીકે બાંગ્લાદેશમાં જે કંઈ પણ થયું છે તેના પર ચિંતિત થવું સામાન્ય છે. મને આશા છે કે ત્યાંની સ્થિતિ જલ્દી જ સામાન્ય થઈ જશે. દેશવાસીઓ ઈચ્છે છે કે ત્યાંના લઘુમતી હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ. ભારત હંમેશા ઈચ્છે છે કે આપણા પાડોશી દેશો સુખ અને શાંતિના માર્ગે ચાલે. અમારી શાંતિ માટે પ્રતિબદ્ધતા છે. આવનારા દિવસોમાં બાંગ્લાદેશની વિકાસયાત્રા અમારી શુભકામનાઓથી જ ચાલશે, કારણ કે આપણે માનવજાતના કલ્યાણ વિશે વિચારનારા લોકો છીએ.

11:12 AM (IST)  •  15 Aug 2024

Independence Day 2024: ભ્રષ્ટાચારીઓ સામે ભયનું વાતાવરણ પેદા કરવા માંગું છું- PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓ ભ્રષ્ટાચારની ઉધઈથી પરેશાન છે. દરેક સ્તરે ભ્રષ્ટાચારે લોકોનો વિશ્વાસ તોડ્યો છે. અમે ભ્રષ્ટાચાર સામે યુદ્ધ છેડ્યું છે. હું જાણું છું કે તેની કિંમત મારે ચૂકવવી પડે છે. મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવે છે પરંતુ મારી પ્રતિષ્ઠા રાષ્ટ્ર કરતાં મોટી ન હોઈ શકે. મારું સપનું દેશના સપનાથી મોટું ન હોઈ શકે. તેથી ભ્રષ્ટાચાર સામેની મારી લડાઈ ચાલુ રહેશે. ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી શરૂ થશે. હું ભ્રષ્ટાચારીઓ સામે ભયનું વાતાવરણ ઊભું કરવા માગું છું. તેમણે કહ્યું કે આપણા દેશમાં કેટલાક લોકો ઉભરી રહ્યા છે જે ભ્રષ્ટાચારનો મહિમા ગાઇ રહ્યા છે. ખુલ્લેઆમ તેનો જયજયકાર કરી રહ્યા છે. સમાજ માટે આ એક પડકાર બની ગયો છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપBanaskantha split: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન,  હવે વાવ-થરાદ નવો જિલ્લો બનશેRajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Embed widget