શોધખોળ કરો

પુલવામાનો બદલોઃ 21 મિનીટ સુધી બૉમ્બમારો કરી વાયુસેનાએ 350 આતંકવાદીઓને ઠાર માર્યા

નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાનો બદલો ભારતીય વાયુસેનાએ લઈ લીધો છે. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતીય વાયુસેનાએ એલઓસીમાં ઘુસીને વિસ્ફોટ કર્યા છે. પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાએ 12 મિરાજ વિમાનથી પીઓકેમાં 21 મિનિટ સુધી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા 1,000 કિલો બોમ્બથી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતની આ કાર્યવાહીમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને વાયુસેનાના ઓપરેશનની માહિતી આપી છે. વિદેશ સચિવની પ્રેસ કૉન્ફરન્સમાં વિજય ગોખલેએ કહ્યું કે, 14 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો, જેમાં અમારા 40 જવાન શહીદ થયા હતા. પાકિસ્તાન હંમેશા આ સંગઠનોની પાકિસ્તાનમાં હોવાનો ઇનકાર કરતુ રહ્યું છે, પણ અમે અમારી રણનીતિ અનુસાર આ સંગઠનો પર એર સ્ટ્રાઇક કરી છે. આજે સવારે કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં જૈશના કમાન્ડર સહિત કેટલાય આતંકીઓ ઠાર મરાયા છે. આ એક અસૈન્ય કાર્યવાહી હતી જેમાં આતંકી સંગઠનોને નિશાન બનાવવામાં આવ્યા છે. ગોખલેએ કહ્યું કે 20 વર્ષથી પાકિસ્તાન આતંકીઓ કાવતરા રચી રહ્યું હતુ અને આતંકી સંગઠનો પર આજ સુધી કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી. PoKમાં વાયુસેનાની કાર્યવાહી પર ભારતે સત્તાવાર રીતે માહિતી આપી, વિદેશ સચિવની પ્રેસ કૉન્ફરન્સમાં વિજય ગોખલેએ કહ્યું અમે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે. એલઓસી પર વાયુસેનાની કાર્યવાહીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બિરદાવી કહ્યું, હું સલામ કરુ છુ દેશના જવાનોને. એર સ્ટ્રાઇક બાદ કચ્છ બોર્ડર પર ભારતીય સેનાએ પાકિસ્તાનના ડ્રૉનને પણ તોડી પાડ્યુ હતું સુત્રો અનુસાર, સીમા પર કરીને વાયુસેના મોટી કાર્યવાહી કરી, જેમાં 200 થી 300 આતંકીઓ ઠાર મરાયા. ભારતીય સેનાએ 12 દિવસ બાદ પુલવામાં એટેકનો બદલો લીધો. પુલવામા હુમલા બાદ ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે પાકિસ્તાને ભારતીય વાયુ સેના પર નિયંત્રણ રેખાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. આ આરોપ પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે લગાવ્યો છે. જોકે, પાકિસ્તાનની સેનાના આ આરોપ પર ભારતીય સેના તરફતી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ભારતીય વાયુસેનાએ કેવી રીતે અને ક્યારે કરી કાર્યવાહી? પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર ભારતની સૌથી મોટી કાર્યવાહી કરી છે. 1 હજાર કિલોના બોમ્બ પાકિસ્તાન પર ફેંક્યા છે. 10 મિરાજ વિમાનોથી આતંકીઓ ઠેકાણા પર હુમલો કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતીય વિમાન સવારે સાડા ત્રણ વાગે LoCમાં અંદર ઘૂસ્યા હતાં. જૈશના ઠેકાણાઓ પર 1 હજાર કિલો બોમ્બ માર્યો કર્યો છે. પુલવામાનો બદલોઃ જુઓ ભારતીય વાયુ સેનાના મિરાજ વિમાનોએ કેવી રીતે આતંકી ઠેકાણા ફૂંકી માર્યા? Exclusive વીડિયો મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે વહેલી સવારે ટ્વિટર પર લખ્યું, ‘ભારતીય વાયુ સેનાએ નિયંત્રણ રેખાનું ઉલ્લેઘન કર્યું. પાકિસ્તાન વાયુ સેનાએ તરત જ કાર્રવાઈ કરી. ભારતીય વિમાન પરત ચાલ્યા ગયા.’ આ પહેલા પણ શુક્રવારે મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે, અમે યુદ્ધ માટે તૈયાર નથી, પરંતુ જો સામે પક્ષે યુદ્ધ લાદવામાં આવશે તો અમે તેનો જડબાતોડ જવાબ આપીશું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Embed widget