India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 12માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. જોકે તેમ છતાં દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 9419 નવા કેસ નોંધાયા છે અને 159 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8251 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 94.742 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4039 કેસ નોંધાયા છે અને 112 સંક્રમિતોના મોત થયા છે.
છેલ્લા ત્રણ દિવસમાં કેટલા કેસ નોંધાયા
બુધવાર, 8 ડિસેમ્બરે 8439 કેસ અને 195 લોકોના મોત થયા હતા. મંગળવાર, 7 ડિસેમ્બરે 6822 નવા કેસ નોંધાયા હતા અને 220 સંક્રમિતોના મોત થયા હતા. સોમવાર, 6 ડિસેમ્બરે 8306 નવા કેસ નોંધાયા હતા અને 221 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 130,39,32,286 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 80,86,910 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 12,89,893 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 75 હજાર 372
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 97 હજાર 388
- એક્ટિવ કેસઃ 94 હજાર 742
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 74 હજાર 111




















