પહેલગામ હુમલા બાદ ભારતની મોટી એક્શન, GEO News, SAMAA TV સહિત 16 પાકિસ્તાની યુટ્યૂબ ચેનલ પર લગાવ્યો પ્રતિબંધ
Pakistani Channels Banned : પહેલગામ આતંકવાદી હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં, ભારતે સિંધુ જળ સંધિને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે

India Banned Pakistani Channels: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગૃહ મંત્રાલયની ભલામણ પર કાર્યવાહી કરતા ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચેનલોમાં ડોન ન્યૂઝ, સમા ટીવી અને જીઓ ન્યૂઝ જેવા મોટા નામોનો પણ સમાવેશ થાય છે.
સરકારે આ પગલું એટલા માટે ભર્યું કારણ કે આ ચેનલો ભારત, તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ, ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહી હતી. આ માહિતી એક અધિકારી દ્વારા આપવામાં આવી છે.
આ પગલું આ કારણે ભરાયું
અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની યુટ્યુબ ચેનલોને ભારત વિરુદ્ધ ભડકાઉ સામગ્રી ફેલાવવા અને સમાજમાં નફરત ફેલાવવા બદલ બ્લોક કરવામાં આવી છે. ભારતના કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિકના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.
On the recommendations of the Ministry of Home Affairs, the Government of India has banned the 16 Pakistani YouTube channels including Dawn News, Samaa TV, Ary News, Geo News for disseminating provocative and communally sensitive content, false and misleading narratives and… pic.twitter.com/AusR1fCkvN
— ANI (@ANI) April 28, 2025
ભારતે ઘણા કઠિન નિર્ણયો લીધા છે
પહેલગામ આતંકવાદી હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં, ભારતે સિંધુ જળ સંધિને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ભારતે સિંધુ જળ સંધિ હાલ પૂરતી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ભારત-પાકિસ્તાન સંબંધોમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આ સાથે, સરકારે સાર્ક હેઠળ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતી તમામ વિઝા મુક્તિઓ રદ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત, ભારતમાં પાકિસ્તાની દૂતાવાસને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારે પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય સાથે, અટારી બોર્ડર ચેકપોસ્ટ પણ બંધ થઈ જશે, જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જમીન સંપર્ક સમાપ્ત થઈ જશે. આ બધા નિર્ણયો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સ્થિરતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે.





















