શોધખોળ કરો

પહેલગામ હુમલા બાદ ભારતની મોટી એક્શન, GEO News, SAMAA TV સહિત 16 પાકિસ્તાની યુટ્યૂબ ચેનલ પર લગાવ્યો પ્રતિબંધ

Pakistani Channels Banned : પહેલગામ આતંકવાદી હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં, ભારતે સિંધુ જળ સંધિને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે

India Banned Pakistani Channels: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગૃહ મંત્રાલયની ભલામણ પર કાર્યવાહી કરતા ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચેનલોમાં ડોન ન્યૂઝ, સમા ટીવી અને જીઓ ન્યૂઝ જેવા મોટા નામોનો પણ સમાવેશ થાય છે.

સરકારે આ પગલું એટલા માટે ભર્યું કારણ કે આ ચેનલો ભારત, તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ, ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહી હતી. આ માહિતી એક અધિકારી દ્વારા આપવામાં આવી છે.

આ પગલું આ કારણે ભરાયું 
અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની યુટ્યુબ ચેનલોને ભારત વિરુદ્ધ ભડકાઉ સામગ્રી ફેલાવવા અને સમાજમાં નફરત ફેલાવવા બદલ બ્લોક કરવામાં આવી છે. ભારતના કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિકના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

ભારતે ઘણા કઠિન નિર્ણયો લીધા છે 
પહેલગામ આતંકવાદી હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં, ભારતે સિંધુ જળ સંધિને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ભારતે સિંધુ જળ સંધિ હાલ પૂરતી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ભારત-પાકિસ્તાન સંબંધોમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આ સાથે, સરકારે સાર્ક હેઠળ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતી તમામ વિઝા મુક્તિઓ રદ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત, ભારતમાં પાકિસ્તાની દૂતાવાસને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારે પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય સાથે, અટારી બોર્ડર ચેકપોસ્ટ પણ બંધ થઈ જશે, જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જમીન સંપર્ક સમાપ્ત થઈ જશે. આ બધા નિર્ણયો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સ્થિરતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget