ભારતની તાકાતમાં થયો વધારો, પૃથ્વી-II અને અગ્નિ-I બેલેસ્ટિક મિસાઈલોનું સફળ પરીક્ષણ
આ પરીક્ષણો સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યા હતા

પોતાની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવતા ભારતે ગુરુવારે ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી બે શૉર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલો પૃથ્વી-II અને અગ્નિ-I નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણોએ તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણોને સફળતાપૂર્વક માન્ય કર્યા. આ પરીક્ષણો સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યા હતા.
JUST IN!
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) July 17, 2025
Successful test-firing of Short-Range #BallisticMissile - #Prithvi-II and #Agni-1 - was carried out from the Integrated Test Range in #Chandipur, Odisha today. All operational and technical parameters have been validated. The launches were conducted under the aegis of…
બે બેલિસ્ટિક મિસાઇલોના સફળ પરીક્ષણ વિશે માહિતી આપતા સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આજે ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો પૃથ્વી-II અને અગ્નિ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બધા ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણોની પુષ્ટી કરવામાં આવી છે. આ પ્રક્ષેપણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.
પૃથ્વી-II મિસાઇલની વિશેષતાઓ
પૃથ્વી-II એ સ્વદેશી રીતે વિકસિત સપાટીથી સપાટી પર પ્રહાર કરતી ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઇલ (SRBM) છે, જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) હેઠળ વિકસાવવામાં આવી છે. આ મિસાઇલની રેન્જ 250-350 કિમી છે અને તે 500-1000 કિલોગ્રામ સુધીના પેલોડનું વહન કરી શકે છે.
આ મિસાઇલ પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે અને તે અદ્યતન ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે જે તેને ઉચ્ચ ચોકસાઈ સાથે લક્ષ્યને હિટ કરવામાં સક્ષમ બનાવે છે. પૃથ્વી-II ને 2003માં ભારતના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં સમાવવામાં આવી હતી. પૃથ્વી-II મિસાઇલમાં હાઈ એક્સપ્લોસિવ, પેનેટ્રેશન, ક્લસ્ટર મ્યૂનિશન, ફ્રેગમેન્ટેશન, થર્મોબેરિક, કેમિકલ વેપન અને વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો ફીટ કરી શકાય છે.
15 હજાર ફૂટથી મિસાઇલોએ ચોક્કસ લક્ષ્યોને નિશાન બનાવ્યા





















