શોધખોળ કરો

વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાને લઈને સરકાર દ્વારા બેઠકોનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાને લઈને સરકાર દ્વારા બેઠકોનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણયથી ઉત્તર ગુજરાતના વહીવટી માળખામાં મોટા ફેરફારો થયા છે. 

નોંધનિય છે કે, 1 જાન્યુઆરી, 2025ના રોજ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય બાદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. આ નવા જિલ્લાની રચના સાથે જ જિલ્લા પંચાયતની બેઠકો અંગેનું નોટિફિકેશન પણ હવે સામે આવ્યું છે.

જિલ્લા પંચાયતની બેઠકોનું ગણિત

  • નવનિર્મિત વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં કુલ 30 બેઠકો રહેશે. આ બેઠકોનું અનામત માળખું નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે:
  • સામાન્ય બેઠકો: કુલ 17 બેઠકો સામાન્ય વર્ગ માટે રહેશે.
  • OBC અનામત: પછાત વર્ગો માટે કુલ 8 બેઠકો અનામત રાખવામાં આવી છે.
  • SC/ST અનામત: અનુસૂચિત જાતિ (SC) માટે 4 બેઠકો અને અનુસૂચિત જનજાતિ (ST) માટે 1 બેઠક અનામત રહેશે.

નવા જિલ્લાનું માળખું અને તાલુકાઓ
વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક (વડુંમથક) થરાદ રહેશે. આ જિલ્લામાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:

  • વાવ
  • થરાદ
  • સુઈગામ
  • દિયોદર
  • લાખાણી
  • ભાભર
  • રાહ (નવો તાલુકો)
  • ઢીમા (નવો તાલુકો)

બનાસકાંઠા જિલ્લાની નવી રૂપરેખા
વિભાજન પહેલા બનાસકાંઠામાં 14 તાલુકા હતા, પરંતુ હવે તેમાં 10 તાલુકાઓ રહેશે અને તેનું વડુંમથક પાલનપુર જ રહેશે. બનાસકાંઠામાં હવે પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, ઓગડ અને હડાદ તાલુકાઓનો સમાવેશ થશે.

વિકાસને વેગ મળશે
સરકારના જણાવ્યા મુજબ, નવા જિલ્લાની રચનાથી સરહદી વિસ્તારોના વિકાસને વેગ મળશે. અત્યાર સુધી વાવ, થરાદ અને સુઈગામ જેવા અંતરિયાળ વિસ્તારોના લોકોએ જિલ્લા સ્તરના કામો માટે પાલનપુર સુધી લાંબુ થવું પડતું હતું, જે હવે સ્થાનિક સ્તરે જ ઉકેલાશે. વહીવટી તંત્ર નજીક આવવાથી નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ પ્રાપ્ત થશે.

અગાઉ નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી

આ અગાઉ, 2025ની શરૂઆતમાં, ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો. આમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ નિર્ણય પહેલાં, ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ હતી - અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર. આ નવા ઉમેરા સાથે, રાજ્યમાં મહાનગરપાલિકાઓની કુલ સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget