મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો
Operation Sindoor: ભારતના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે

Operation Sindoor: ભારતના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે, પરંતુ તે આખી દુનિયામાં જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરી રહ્યું નથી. ભારતીય સેનાએ પાકિસ્તાન સામે વળતો જવાબ આપ્યો અને તેના પાંચ વિમાન તોડી પાડ્યા હતા. આમાં 2 ફાઇટર એરક્રાફ્ટનો પણ સમાવેશ થતો હતો. આ દરમિયાન, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર તેમની સંસદમાં વાયુસેનાના ખોટા વખાણ કરતા જોવા મળ્યા હતા.
પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ભારતે 6 અને 7 મેના રોજ બે પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા. આ પછી 8 અને 9 મેના રોજ 3 વિમાનોને તોડી પાડવામાં આવ્યા. ભારતે પાકિસ્તાનના 2 JF 17, 1 મિરાજ જેટ, 1 AWACS અને 1 C-130 (સંભવિત) તોડી પાડ્યા, પરંતુ પાકિસ્તાન દુનિયા સમક્ષ ખોટું બોલતા થાકતું નથી.
ખોટુ બોલવામાં માહેર છે પાકિસ્તાની વિદેશ મંત્રી
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે તાજેતરમાં જ તેમની સંસદમાં પાકિસ્તાન વાયુસેનાના ખોટા વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ધ ટેલિગ્રાફે પાકિસ્તાન વાયુસેનાની પ્રશંસા કરતો એક લેખ પ્રકાશિત કર્યો છે. જ્યારે આ સમાચાર ખોટા નીકળ્યા. પાકિસ્તાનના અખબાર ધ ડોને તેની ફેક્ટ ચેક કરી હતી અને તે દાવાને ખોટો જાહેર કર્યો હતો. ઇશાક ડારના કહેવા પ્રમાણે પાકિસ્તાને 6 ભારતીય જેટ તોડી પાડ્યા હતા.
ભારતની જવાબી કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા
પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, પરંતુ પાકિસ્તાની સેના પણ તેમાં કૂદી પડી હતી. ભારતે પાકિસ્તાની સેના પર ગોળીબાર કર્યો અને તેને ભારે નુકસાન પહોંચાડ્યું. જવાબી કાર્યવાહીમાં, પાકિસ્તાની વાયુસેનાના 5 જવાનો માર્યા ગયા. આમાં સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફનો પણ સમાવેશ થતો હતો. પાકિસ્તાન આર્મીના એક નિવૃત્ત એર માર્શલે પણ નુકસાનનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતે ઘણું નુકસાન પહોંચાડ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શાંતિ અંગે મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાની પીએમએ ગુરુવારે (15 મે) કહ્યું કે તેઓ ભારત સાથે શાંતિ વાટાઘાટો કરવા તૈયાર છે. રોઇટર્સના અહેવાલ મુજબ, શાહબાઝ શરીફનું આ નિવેદન બંને દેશો વચ્ચે લશ્કરી કાર્યવાહી રોકવા માટે 10 મે, 2025 ના રોજ થયેલા યુદ્ધવિરામ કરાર પર આવ્યું છે.




















