શોધખોળ કરો
ભારતીય સૈન્યનો વળતો હુમલો, ઉડાવી પાકિસ્તાનની ચાર પોસ્ટ

નવી દિલ્લીઃ ભારતીય સૈન્યએ પાકિસ્તાનને વળતો જવાબ આપતા તેની ચાર ચોકીઓને ઉડાવી દીધી છે. ભારતીય સૈન્યની આ કાર્યવાહીથી પાકિસ્તાનના હોશ ઉડી ગયા છે. સૈન્યએ સૂત્રોએ જણાવ્યુ હતું કે, પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકતોનો આ રીતે જ જવાબ આપવામાં આવશે. કુપવાડાના કેરણ સેક્ટરમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે સરકારે સૈન્યને પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવાની છૂટ આપી છે. શુક્રવારે સાંજે કુપવાડાના માચ્છિલ સેક્ટરમાં એલઓસી નજીક આતંકીઓ સાથેની અથડામણમાં સૈન્યનો એક જવાન મનદીપ સિંહ શહીદ થયો હતો. આ અથડામણમાં એક આતંકી પણ ઠાર થયો હતો. પરંતુ આતંકીઓએ ભાગતા અગાઉ જવાનનો મૃતદેહ વિકૃત કરી દીધો હતો.
Before You Go
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત





















