શોધખોળ કરો

બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ સેના પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા પણ તૈયાર હતી, જાણો વિગતે

બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ સેના પ્રમુખ બિપિન રાવતે સ્પષ્ટ રીતે સરકારને જણાવી દીધું હતું કે, સેના પાકિસ્તાન સાથે કોઈ પણ જમીન હુમલાનો સામનો કરવા અને યુદ્ધને દુશ્મનની જમીન પર લઈ જઈ લડવા માટે પૂરી રીતે તૈયાર છે.

નવી દિલ્હીઃ બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેના પાકિસ્તાની સાથે કોઈ પણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર હતી. એટલું જ નહીં યુદ્ધને પાકિસ્તાનની જમીન પર પણ લડવા તૈયાર હતી. સેના સાથે સંકળાયેલા એક સૂત્રએ  કહ્યું કે, બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ સેના પ્રમુખ બિપિન રાવતે સ્પષ્ટ રીતે સરકારને જણાવી દીધું હતું કે, સેના પાકિસ્તાન સાથે કોઈ પણ જમીન હુમલાનો સામનો કરવા અને યુદ્ધને દુશ્મનની જમીન પર લઈ જઈ લડવા માટે પૂરી રીતે તૈયાર છે. સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, ભારતીય સેના પાકિસ્તાન સાથે પરંપરાગત યુદ્ધ માટે તૈયાર હતી અને તેમાં પાકિસ્તાનની સીમામાં જવાનું પણ સામેલ હતું. પુલવામા આતંકી હુમલા બાદ સરકાર જ્યારે હવાઈ હુમલો કરવા સહિત વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી ત્યારે સેના પ્રમુખે સરકારને તેમના દળની તૈયારીઓ અંગે જણાવ્યું હતું. આર્મી ચીફે સેનાના રિટાયર્ડ થનારા ઓફિસરને એક બંધ રૂમમાં કહ્યું કે, બાલાકોટ સ્ટ્રાઇક બાદ સેના  પાકિસ્તાનની સાથે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર હતી. જનરલ બિપિન રાવતના નિવેદન પર સ્પષ્ટતા આપતા એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, આર્મી ચીફના નિવેદનનો મતબલ હતો કે ભારતીય સેના યુદ્ધને પાકિસ્તાનમાં જઈને પણ લડવા પૂરી રીતે તૈયાર હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ આશરે 11 હજાર કરોડ રૂપિયાના હથિયાર ખરીદવાની મંજૂરી આપી હતી અને તેનો આશરે 95 ટકા હિસ્સો ખરીદી પણ લેવામાં આવ્યો છે. જરૂરી હથિયારોની ખરીદી માટે 7 હજાર કરોડના ખર્ચે 33 કોન્ટ્રાક્ટ ફાઇનલ થઈ ચુક્યા છે, જ્યારે આશરે 9 હજાર કરોડ રૂપિયાની એક વધારાની ખરીદી એડવાન્સ સ્ટેજ પર છે. ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલાના જવાબમાં બાલાકોટમાં ઘૂસીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પનો સફાયો કર્યો હતો. જે બાદ પાકિસ્તાને જવાબી કાર્યવાહી તરીકે ભારત પર હુમલો કરવાની કોશિશ કરી હતી પરંતુ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની આ હરકતને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારે વાહન ચલાવનારા ચાલકોએ આપવો પડશે ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ, જાણો ગુજરાતમાં કેટલા ટ્રેક બનાવાશે આર્થિક મંદીને લઈ RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આપ્યું મોટું નિવેદન, કહ્યું...... અનુષ્કા શર્માએ બિકિનીમાં શેર કરી તસવીર, કોહલીએ કરી આવી કોમેન્ટ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget