શોધખોળ કરો

Bihar Politics : નીતીશ કુમાર ફરી ભાજપના સંપર્કમાં? બિહારમાં કંઈક મોટું થવાના એંધાણ?

બિહારના રાજકીય ગલિયારાઓમાં આ ચર્ચાઓ વચ્ચે નીતીશ કુમારના નજીકના અને જનતા દળ યુનાઈટેડ પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના એક જ નિવેદને આ અટકળોને વધુ હવા આપી છે.

Nitish Kumar News: બિહારની રાજનીતિમાં ફરી એકવાર હલચલ તેજ થઈ ગઈ છે. રાજકીય ગલિયારાઓમાં ફરી એકવાર મોટી ઉથલ પાથલની આશંકાએ જોર પકડ્યું છે. બિહારના મહાગઠબંધન વચ્ચે આરજેડી અને જેડીયુ વચ્ચે સુધાકર સિંહ અને ચંદ્રશેખરના વિવાદાસ્પદ નિવેદનોને લઈને જે પ્રકારે વાકયુદ્ધ જોવા મળી રહ્યું છે, તેને લઈને પણ સતત સવાલો ઉઠી રહ્યા છે કે શું નીતીશ કુમાર ફરી એક વાર પલટી મારી શકે છે? શું તેઓ ભાજપના સંપર્કમાં છે?

બિહારના રાજકીય ગલિયારાઓમાં આ ચર્ચાઓ વચ્ચે નીતીશ કુમારના નજીકના અને જનતા દળ યુનાઈટેડ પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના એક જ નિવેદને આ અટકળોને વધુ હવા આપી છે. કુશવાહાના આ નિવેદનને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું નીતીશ ખરેખર ભાજપના સંપર્કમાં છે? આખરે ઉપેન્દ્ર કુશવાહાના નિવેદનનો અર્થ શું છે?

તાજેતરમાં ઉપેન્દ્ર કુશવાહાની ભાજપના નેતાઓ સાથે નિકટતા અને ભાજપમાં જોડાવાની અટકળોએ ભારે જોર પકડ્યું છે. તેમાં પણ ગત ગુરુવારે ઉપેન્દ્ર કુશવાહાની ભાજપના નેતાઓ સાથેની નિકટતા અને ભાજપમાં જોડાવાની અટકળો વધુ તેજ બની ગઈ હતી. ગયા ગુરુવારે ધારાસભ્યો સંજય ટાઈગર અને પ્રેમ રંજન પટેલ પણ આ બેઠકમાં સામેલ થયા હતા.

ભાજપના નેતાઓ સાથે ઉપેન્દ્ર કુશવાહાની મીટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ કુશવાહાના ભાવિ રાજકારણને લઈને ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. એવી અટકળો શરૂ થઈ હતી કે નીતીશ કુમારને છોડીને ઉપેન્દ્ર કુશવાહા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. આ ચર્ચાઓ વચ્ચે ઉપેન્દ્ર કુશવાહા રવિવારે સાંજે દિલ્હીથી પટના પહોંચ્યા હતા અને જ્યારે તેમને ભાજપના નેતાઓ સાથેની મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ભાજપ નેતાઓ સાથે મારી એક તસવીર શું સામે આવી ગઈ કે વાતનું વરેસર બનાવી દેવામાં આવ્યું. તેનો શું મતલબ? કોઈની પણ સાથે અંગત સંબંધ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં કોઈને મળવા આવે તો તેનો રાજકીય અર્થ કાઢવાનો શું મતલબ?

ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, ભાજપના કોઈપણ નેતા સાથે બેઠક કરવાનો અર્થ એ કાઢવામાં આવે કે અમે ભાજપના સંપર્કમાં છીએ તે વાત ખોટી છે. સંપર્કની વાત એ અર્થમાં કરવામાં આવી રહી છે કે અમારી પાર્ટીના જેટલા પણ વરિષ્ઠ નેતા છે તેટલા જ તે ભાજપના નેતાઓના સંપર્કમાં છે.

ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, અમારી પાર્ટી જનતા દળ યુનાઈટેડ બે-ત્રણ વખત બીજેપીના સંપર્કમાં આવી અને પછી સંપર્ક વિહોણી પણ થઈ ગઈ. પાર્ટી પોતાની રણનીતિ પ્રમાણે જે જરૂરી હોય તે કરે છે. તેમણે કહ્યું હતું કે, શું મારી સાથે આવી ચર્ચા કરવાનો કોઈ અર્થ છે? ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, હું જેડીયુમાં રહીશ કે નહીં તે મારા સિવાય કોણ નક્કી કરી શકે?

જોકે ઉપેન્દ્ર કુશવાહાએ સ્વીકાર્યું હતું કે, જનતા દળ યુનાઈટેડ નબળું પડી રહ્યું છે અને તેઓ તેને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કુશવાહાએ કહ્યું હતું કે, જનતા દળ યુનાઈટેડને તાત્કાલિક સારવારની જરૂર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.