શોધખોળ કરો

કોરોનાકાળમાં ભારતમાં કેટલા બાળકોએ ગુમાવી માતા-પિતાની છત્રછાયા ? આંકડો જાણીને ચોંકી જશો

વિશ્વભરમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 11 લાખથી વધારે બાળકોએ માતા-પિતા કે બંનેમાંથી એક ગુમાવ્યા છે. જેમાંથી 1.19 લાખ બાળકો ભારતના છે.

નવી દિલ્હીઃ કોરોનાના કારણે વિશ્વભરમાં ઘણું નુકસાન થયું છે. અત્યાર સુધીમાં લાખો લોકોનો પોતાનો શિકાર બનાવનારી મહામારીનો સૌથી મોટો શિકાર તો બાળકો બન્યા છે. જે સંક્રમિત તો નથી થયા પરંતુ નિરાધાર થઈ ગયા છે. મીડિયા રિપોર્ટસમાં સામે આવેલી જાણકારી મુજબ વિશ્વભરમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 11 લાખથી વધારે બાળકોએ માતા-પિતા કે બંનેમાંથી એક ગુમાવ્યા છે. જેમાંથી 1.19 લાખ બાળકો ભારતના છે.

લાન્સન્ટમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ પ્રમાણે માતા-પિતા કે બંનેમાંથી એક ગુમાવનારા દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. મેક્સિકોમાં 1.40 લાખ અને બ્રાઝીલમાં 1.30 લાખ બાળકોએ માતા-પિતા પૈકી એકની છત્રછાયા ગુમાવી છે. 1 માર્ચ 2021 થી 30 એપ્રિલ 2021 સધી 11.34 લાખ બાળકોના મા કે બાપનું કોરોનાથી નિધન થયું હતું.

રિપોર્ટ મુજબ મહામારી શરૂ થયા બાદના 14 મહિનામાં 11 લાખથી વધારે બાળકોએ તેમના માતા-પિતા કે બંનેમાંથી એકને ગુમાવ્યા છે. 50 હજારથી વધુ બાળકોએ તેમના દાદા-દાદી ગુમાવ્યા છે. માર્ચ 2021 થી એપ્રિલ 2021 દરમિયાન ભારતના અનાથ આશ્રમમાં બાળકોની સંખ્યામાં 8.5 ટકાનો વધારો થયો છે. આવા બાળકોએ તેમના માતા-પિતાનું મોત, ગરીબી જેવી અનેક ચીજો ઘણી નાની ઉંમરમાં જોઈ છે. જેના કારણે તેમના સ્વભાવ અને માનસિક સ્થિતિ પર અસર પડી શકે છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

મંગળવારે દેશમાં 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા હતા. પંરતુ બુધવારે ફરીથી એક વખત 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં નવા 42,015 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 3998 લોકોના મોત થયા છે. જ્યારે વિતેલા 24 કલાકમાં 36977 લોકો કોરોનાથી ઠીક થાય છે એટલે કે એક્ટિવ કેસ 1040 વધ્યા છે.

કોરોનાના કુલ કેસ

  • કુલ કેસ: 3,12,16,337
  • એક્ટિવ કેસ: 4,07,170
  • કુલ રિકવર: 3,03,90,687
  • કુલ મોત: 4,18,480
  • કુલ રસીકરણ: 41,54,72,455

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 20 જુલાઈ સુધીમાં દેશભરમાં 40 કરોડ 54 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 34 લાખ 25 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 91 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 18.52 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget