શોધખોળ કરો

હિંદુ અને મુસ્લિમોમાં સંપત્તિ વહેંચણીનો શું છે નિયમ? જાણો કઈ વાતને કારણે થયો હોબાળો

મુસ્લિમ વ્યક્તિની શરિયતને બદલે સેક્યુલર કાયદા હેઠળ મિલકત વિભાજનની માંગણી, જાણો બંને સમુદાયના નિયમો.

Hindu vs Muslim property law: ભારતમાં હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે મિલકતના વિભાજન માટે અલગ-અલગ કાયદાકીય જોગવાઈઓ અમલમાં છે. તાજેતરમાં કેરળના એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીએ આ મુદ્દાને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે. આ અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે શું મુસ્લિમ સમુદાય તેમની ધાર્મિક માન્યતાઓને છોડ્યા વિના શરિયતના કાયદાને બદલે બિનસાંપ્રદાયિક ભારતીય વારસા ધારા હેઠળ પોતાની સંપત્તિનું વિભાજન કરી શકે છે?

સુપ્રીમ કોર્ટે આ અરજી પર સંજ્ઞાન લીધું છે. અરજીમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે મુસ્લિમોની વડીલોપાર્જિત મિલકતો અને સ્વ-સંપાદિત મિલકતોને બિનસાંપ્રદાયિક ભારતીય ઉત્તરાધિકાર કાયદાના દાયરામાં લાવવામાં આવે અને આનાથી તેમની શ્રદ્ધા અને ધાર્મિક માન્યતાઓ પર કોઈ અસર ન થવી જોઈએ. આ મામલાને જોતા, ચાલો હિંદુ અને મુસ્લિમો વચ્ચે પ્રોપર્ટી કેવી રીતે વહેંચાયેલી છે તે અંગેના નિયમોને સમજીએ.

મુસ્લિમો વચ્ચે મિલકતનું વિભાજન (શરિયત મુજબ):

મુસ્લિમ સમુદાયમાં મિલકતનું વિભાજન મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ ૧૯૩૭ એટલે કે શરિયા કાયદા હેઠળ થાય છે. હિંદુ કાયદાથી વિપરીત, મુસ્લિમોમાં વ્યક્તિને જન્મના સમયથી મિલકતમાં અધિકાર મળતો નથી. આ કાયદા અનુસાર, મિલકતના માલિકના મૃત્યુ પછી જ તેના વારસદારોને મિલકતમાં અધિકાર પ્રાપ્ત થાય છે. માલિકના મૃત્યુ બાદ, સૌ પ્રથમ તેની અંતિમ વિધિ કરવી જોઈએ, ત્યારબાદ તમામ દેવાની પતાવટ કરવી જોઈએ અને પછી જ બાકી રહેલી મિલકતની કિંમત અથવા જો કોઈ વિલ લખ્યો હોય તો તેનું અમલીકરણ કરવામાં આવે છે. ઇસ્લામિક કાયદા મુજબ, એક મુસ્લિમ વ્યક્તિ પોતાની મિલકતનો એક તૃતીયાંશ ભાગ કોઈપણ વ્યક્તિને વિલ દ્વારા આપી શકે છે, જ્યારે બાકીનો ભાગ પરિવારના વારસદારોમાં કુરાન અને હદીસમાં ઉલ્લેખિત નિયમો અનુસાર વહેંચવામાં આવે છે.

મહિલાઓના મિલકત અધિકારોમાં તફાવત:

મુસ્લિમ પર્સનલ લોનો એક મહત્વપૂર્ણ પાસું એ છે કે પુરૂષોની સરખામણીમાં મહિલાઓને મિલકતમાં સમાન અધિકાર મળતા નથી. સામાન્ય રીતે, મિલકતમાં મહિલાનો હિસ્સો પુરૂષના હિસ્સા કરતાં અડધો હોય છે. ઉદાહરણ તરીકે, પિતાની મિલકતમાં પુત્રની સરખામણીમાં પુત્રીનો અડધો અધિકાર હોય છે. જો કોઈ વ્યક્તિને એક પુત્ર અને એક પુત્રી હોય, તો મિલકતના બે તૃતીયાંશ ભાગ પુત્રને જાય છે અને એક તૃતીયાંશ ભાગ પુત્રીને મળે છે. પત્નીને તેના પતિની મિલકતમાં સામાન્ય રીતે એક ચોથો હિસ્સો મળે છે, પરંતુ જો બાળકો હોય તો તેને માત્ર આઠમો હિસ્સો મળે છે. જો એક કરતાં વધુ પત્નીઓ હોય, તો તમામ પત્નીઓને મળીને કુલ મિલકતનો માત્ર સોળમો ભાગ આપવામાં આવે છે. જ્યારે માતાને તેના મૃત પુત્રની મિલકતમાં છઠ્ઠો ભાગ મળે છે.

હિંદુઓમાં મિલકતનું વિભાજન (હિંદુ ઉત્તરાધિકાર કાયદા મુજબ):

હિંદુઓમાં, સામાન્ય રીતે, જ્યાં સુધી પરિવારના વડા જીવિત હોય ત્યાં સુધી મિલકતના વિભાજન અંગે બહુ ઓછા વિવાદો જોવા મળે છે. પરંતુ પરિવારના વડાના મૃત્યુ પછી ભાઈઓ અને બહેનો વચ્ચે મિલકતને લઈને વિવાદ ઉભા થવા સામાન્ય બાબત છે, કારણ કે વારસા પર બધા દાવો કરી શકે છે. જો પરિવારના વડા દ્વારા પહેલેથી જ મિલકતનું વિભાજન કરીને વિલ લખવામાં આવ્યો હોય, તો વિલ મુજબ મિલકત તેના બાળકો અથવા પરિવારના કોઈપણ પ્રિય વ્યક્તિને સોંપવામાં આવે છે. વિલમાં જે લોકોના નામ નોંધાયેલા હોય તેમને મિલકત મળે છે.

જો કુટુંબના વડાએ પહેલેથી જ વિભાજન ન કર્યું હોય, તો વારસાના કાયદા એટલે કે હિંદુ ઉત્તરાધિકાર કાયદા મુજબ મિલકતનું વિભાજન કરવામાં આવે છે. આ કાયદા હેઠળ, પરિવારના વડાના મૃત્યુ બાદ, મિલકત સૌપ્રથમ કાયદાના વર્ગ-૧ના વારસદારોને આપવામાં આવે છે. જો વર્ગ-૧માં કોઈ વારસદાર ન હોય, તો આવી સ્થિતિમાં અધિનિયમના વર્ગ-૨ના વારસદારને મિલકત આપવાની જોગવાઈ છે. જોકે, હિંદુઓમાં પણ મિલકતના વિભાજન અંગે કાયદાકીય ગૂંચવણો ઉભી થઈ શકે છે, તેથી આવા કિસ્સાઓમાં પ્રોફેશનલ કાયદાકીય સલાહ લેવી વધુ હિતાવહ છે.

સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી ભવિષ્યમાં મુસ્લિમ પર્સનલ લો અને ભારતીય બિનસાંપ્રદિક કાયદાઓ વચ્ચેના સંબંધ અંગે એક નવી ચર્ચા જગાવી શકે છે. શું મુસ્લિમ સમુદાયને તેમની ધાર્મિક માન્યતાઓ જાળવી રાખીને પણ સેક્યુલર કાયદા હેઠળ મિલકત વિભાજનનો વિકલ્પ મળી શકે છે કે કેમ તે અંગેનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય આ મામલે એક મહત્વપૂર્ણ દિશા આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
કપિલ શર્માના શોમાં નહીં જાય સ્મૃતિ મંધાના,શું લગ્ન તૂટવાથી લીધો આ નિર્ણય?
કપિલ શર્માના શોમાં નહીં જાય સ્મૃતિ મંધાના,શું લગ્ન તૂટવાથી લીધો આ નિર્ણય?
સસ્પેન્સ ખતમ! કોચે કર્યો ખુલાસો, વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં
સસ્પેન્સ ખતમ! કોચે કર્યો ખુલાસો, વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
Embed widget