![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Congress: કોંગ્રેસની તેલંગાણા યૂનિટમાં કકળાટ, 13 નેતાઓએ પદ પરથી ધરી દીધુ રાજીનામુ
આ 13 નેતાઓમાં કોંગ્રેસના ધારાસભ્ય ડી. અનસૂસા (સીતક્કા) અને પૂર્વ ધારાસભ્ય ની.નરેન્દ્ર રેડ્ડી પણ સામેલ છે.
![Congress: કોંગ્રેસની તેલંગાણા યૂનિટમાં કકળાટ, 13 નેતાઓએ પદ પરથી ધરી દીધુ રાજીનામુ Leaders Resign: 13 congress leaders discord from Telangana PCC telangana congress unit Congress: કોંગ્રેસની તેલંગાણા યૂનિટમાં કકળાટ, 13 નેતાઓએ પદ પરથી ધરી દીધુ રાજીનામુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/beb0d175e26b4760a3da6497e7e791681671262675672369_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana PCC Members Quit: કોંગ્રેસમાં ફરી એકવાર દેશમાં તુટતવાનો દોર શરૂ થઇ રહ્યો છે. કોંગ્રેસની તેલંગાણા યૂનિટમાં આંતરિક કકળાટ ફરી શરૂ થયો છેં, અને આ કકળાટ એટલે સુધી પહોંચ્યો છે કે, તેંલંગાણાની પ્રદેશ કોંગ્રેસ કમિટી (પીસીસી)ના 13 સભ્યો અને કેટલાક વરિષ્ઠ નેતાઓએ નારાજ થઇને રવિવારે રાજીનામું ધરી દીધુ છે. તેમને કહ્યું કે કોંગ્રેસમાં અન્ય પક્ષોમાંથી આવેલા લોકોને પ્રમુખતા મળી છે, અને મૂળ કોંગ્રેસના નેતાઓને કિનારે કરવામાં આવી રહ્યાં છે.
આ 13 નેતાઓમાં કોંગ્રેસના ધારાસભ્ય ડી. અનસૂસા (સીતક્કા) અને પૂર્વ ધારાસભ્ય ની.નરેન્દ્ર રેડ્ડી પણ સામેલ છે. અવિભાજિત આંધ્ર પ્રદેશના પૂર્વ ઉપમુખ્યમંત્રી દામોદર રાજનરસિંહના તેલુગુ દેશમા પાર્ટી (તેદેપા)ના કેટલાક પૂર્વ નેતાઓના કોંગ્રેસમાં સામેલ થવાના સંબંધમાં શનિવારે કહ્યું હતું કે જો બીજા પક્ષોમાંથી કોંગ્રેસમાં આવનારાઓને પાર્ટીમાં મહત્વ આપવામાં આવશે, તો આનાથી મૂળ કોંગ્રેસ કાર્યકર્તાઓની વચ્ચે શું સંદેશ જશે.
પ્રદેશ અધ્યક્ષથી નારાજ છે નેતા -
આંધ્ર પ્રદેશના પૂર્વ ઉપમુખ્યમંત્રી દામોદર રાજનરસિંહે જ્યારે આ ટિપ્પણી કરી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા મલ્લૂ ભટ્ટી વિક્રમાર્ક, લોકસભા સભ્ય એન. ઉત્તમ કુમાર રેડ્ડી, પૂર્વ સાંસદ મધુ યશકી ગૌડ અને પાર્ટી ધારાસભ્ય ટી જયપ્રકાશ રેડ્ડી પણ તેમની સાથે હાજર હતા. આ નેતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ એ રેવંત રેડ્ડીથી નારાજ છે.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ. રેવંત રેડ્ડીએ આંતર કલકને લઇને પત્રકારોના સવાલોના પ્રત્યક્ષ રીતે જવાબ નથી આપ્યા, તેમને કહ્યું કે પાર્ટી આલાકમાન આ તમામ મુદ્દાઓ પર જોશે, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના નિદેશાનુસાર ગાંમડાથી લઇને રાજ્ય લેવલ સુધી નેતા 26 જાન્યુઆરીએ તેલંગાણામાં પદયાત્રા કાઢીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરશે.
Bharat Jodi Yatra: રાહુલ ગાંધી બોલ્યા- રાજસ્થાનમાં મળ્યું સૌથી વધુ સમર્થન, ગહેલોત-પાયલટ અંગે પણ આપ્યું નિવેદન
Bharat Jodo Yatra: કોંગ્રેસની ભારત જોડો યાત્રાએ શુક્રવારે (16 ડિસેમ્બર) 100 દિવસ પૂરા કર્યા. આ અવસરે રાહુલ ગાંધીએ જયપુરમાં કહ્યું કે અમારી યાત્રાને સારું સમર્થન મળ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ 2023માં યોજાનારી રાજસ્થાન ચૂંટણી જીતશે. રાજસ્થાન ચૂંટણીમાં ચહેરો કોણ હશે તેવા સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું કોંગ્રેસનો અધ્યક્ષ નથી. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે. તેમને પૂછો કે અમે કોના ચહેરા પર ચૂંટણી લડીશું.
'અમે દરેકને સાંભળીએ છીએ'
રાહુલ ગાંધીએ સીએમ અશોક ગેહલોત અને પાર્ટીના નેતા સચિન પાયલટના જૂથવાદ સાથે જોડાયેલા સવાલ પર કહ્યું કે અમારી પાર્ટી ફાસીવાદી વિચારધારાની નથી. જો લોકો બોલવા માંગતા હોય, તો અમે સાંભળીએ છીએ. જો શિસ્ત ભંગ થાય, તો અમે પગલાં લઈએ છીએ. કોંગ્રેસ મહાત્મા ગાંધીના રસ્તે ચાલે છે. કોંગ્રેસ એક વૈચારિક પાર્ટી છે. મોટી પાર્ટીમાં વિવાદો થતા રહે છે.
રાહુલે કહ્યું કે ભારત જોડો યાત્રાને રાજસ્થાનમાં શ્રેષ્ઠ સમર્થન મળ્યું. આજે ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂર્ણ થયા છે. કેટલાક મિત્રો કહેતા હતા કે હિન્દી પટ્ટામાં યાત્રાને સમર્થન નહીં મળે, પણ અમને મળ્યું. આ મુલાકાતનો સંદેશો ખૂબ જ સારો હતો. તેમને બદનામ કરવાનું ભાજપ અને આરએસએસનું કામ છે.
રાહુલ ગાંધીએ બળવા પર શું કહ્યું?
રાહુલ ગાંધીએ ગેહલોત સરકારની ચિરંજીવી યોજનાના વખાણ કર્યા, પરંતુ એમ પણ કહ્યું કે કેટલાક લોકોએ પાવર કટ અને પાણીમાં ફ્લોરાઈડની પણ ફરિયાદ કરી હતી. તેણે તેને સામાન્ય સમસ્યા ગણાવી. સપ્ટેમ્બરમાં ગેહલોત સમર્થકોના બળવા અંગે તેમણે કહ્યું કે, થોડું ચાલે છે. તેમણે દાવો કર્યો કે આજે નેતાઓ જનતાથી દૂર થઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ ઘણી ભૂલો કરી છે, પરંતુ આવનારા સમયમાં કોંગ્રેસ જ ભાજપને હરાવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)