![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
2024 Election : PM મોદી પછી કોણ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
ઈન્ડિયા ટુડે-સી વોટરના સર્વે 'મૂડ ઓફ ધ નેશન પોલ'માં પીએમ નરેન્દ્ર મોદીનો ઉત્તરાધિકારી કોને બનાવવો જોઈએ તે અંગે હજારો લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
![2024 Election : PM મોદી પછી કોણ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો Lok Sabha Election : Who is Successor of PM Modi? BJP Shocking Survey 2024 Election : PM મોદી પછી કોણ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/703bfa69d22b4760e5e9affe2de54c93167500495907181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi Successor: શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નરેન્દ્ર મોદી કે જેઓ દેશના વડાપ્રધાન પણ છે તેમની લોકપ્રિયતા અંગે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સર્વે કરવામાં આવ્યા છે. તાજેતરના સર્વેમાં ભાગ લેનારા 52.5% લોકોએ ભારતના વડાપ્રધાન તરીકે આગામી કાર્યકાળ માટે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. જ્યારે નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ? આ વાતને લઈને ઘણા નામો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
પીએમ મોદી પછી કોણ? અનુગામી માટે સર્વેક્ષણ
ઈન્ડિયા ટુડે-સી વોટરના સર્વે 'મૂડ ઓફ ધ નેશન પોલ'માં પીએમ નરેન્દ્ર મોદીનો ઉત્તરાધિકારી કોને બનાવવો જોઈએ તે અંગે હજારો લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જો કે પીએમ મોદી હાલ રાજકીય સંન્યાસ લે તેવી કોઈ જ શક્યતા દેખાતી નથી પરંતુ આ સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જો પીએમ મોદીના ઉત્તરાધિકારી બનાવવામાં આવે તો કોણ સૌથી વધુ યોગ્ય રહેશે. સર્વેમાં લોકોએ અમિત શાહ, યોગી આદિત્યનાથ, નીતિન ગડકરી અને રાજનાથ સિંહને વોટ આપ્યા હતા.
લોકોએ ભાજપના આ નેતા પર વિશ્વાસ કર્યો વ્યક્ત
'મૂડ ઓફ ધ કન્ટ્રી' સર્વે અનુસાર, 26% લોકોએ પીએમ મોદીના ઉત્તરાધિકારી તરીકે અમિત શાહને સમર્થન આપ્યું છે. અમિત શાહ હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી છે અને ગુજરાતમાં ભાજપની સરકાર બની ત્યારથી જ તેઓ મોદીની નજીક છે. જ્યારે મોદી કેન્દ્રમાં સત્તા પર આવ્યા ત્યારે અમિત શાહને ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 'મૂડ ઓફ ધ કન્ટ્રી'માં ઘણા લોકો માને છે કે અમિત શાહ પીએમ મોદીના ઉત્તરાધિકારી બની શકે છે.
અમિત શાહ બાદ ભાજપના નેતા કે જેમના પર લોકોએ સૌથી વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે છે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. હા, 25% લોકો યોગી આદિત્યનાથને મોદીના અનુગામી તરીકે પસંદ કરી રહ્યા છે. જે નેતાઓ પીએમ મોદીના ઉત્તરાધિકારી બનવાની રેસમાં છે તેમાં યોગી આદિત્યનાથનું નામ અમિત શાહ સાથે સ્પર્ધામાં હોય તેમ લાગી રહ્યું છે.
16% લોકો નીતિન ગડકરી ત્રીજા ક્રમે
અમિત શાહ અને યોગી આદિત્યનાથ બાદ લગભગ 16% લોકો એવા છે જેઓ આ પદ માટે નીતિન ગડકરીને યોગ્ય માને છે. જ્યારે પીએમ મોદીના ઉત્તરાધિકારી તરીકે, 6% લોકોની પસંદગી દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)