શોધખોળ કરો

Lok Sabha Elections Live: ક્ષત્રિય સમાજના વિરોધના કારણે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સભા રદ્દ

Lok Sabha Elections: ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો મુદ્દો પણ મોટો બન્યો છે

LIVE

Key Events
Lok Sabha Elections Live: ક્ષત્રિય સમાજના વિરોધના કારણે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સભા રદ્દ

Background

Lok Sabha Elections:  રાજ્યમાં લોકસભાની ચૂંટણી ચરમ પર પહોંચી છે, આગામી સાત મે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવવાનું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો મુદ્દો પણ મોટો બન્યો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજ ધર્મરથ કાઢીને રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને હરાવવા મેદાનમાં પડ્યા છે, ખાસ વાત છે કે, રૂપાલાની ક્ષત્રિય સમાજની બહેનો પરની ટિપ્પણીને લઇને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ ભાજપની વિરૂદ્ધ મતદાન કરાવવા પર અડગ બન્યો છે. હવે આ બધાની વચ્ચે ફરી એકવાર ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે.

રાજ્યમાં પરશોત્તમ રૂપાલાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ક્ષત્રિય સમાજે હવે ધર્મરથ કાઢીને ભાજપને હરાવવા અને મોટી સંખ્યામાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરી છે. આ ધર્મરથ રાજ્યમાં ઠેર ઠેર ફરી રહ્યો છે. ધર્મરથથી ક્ષત્રિયો ફરી એકવાર એકઠા થઇ રહ્યાં છે અને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા માટે સંકલ્પ લઇ રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે. અગાઉ પણ ત્રણ વાર ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે. તાજેતરમાં જ ક્ષત્રિયો મુદ્દે કરેલી ટિપ્પણીને રૂપાલાએ પોતાની મોટી ભૂલ માની છે, અને પોતાને માફ કરી દેવા ક્ષત્રિયોને અપીલ કરી છે. પોતાની ભૂલની સજા પક્ષને ના આપવા પણ વિનંતી કરી છે. રૂપાલાએ માફી માગવાની સાથે વડાપ્રધાનના કાર્યો, ભાજપ સાથે ક્ષત્રિયોના સંબંધને યાદ કર્યા હતા.

રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ પર પહેલીવાર બોલ્યા અમિત શાહ, કહ્યું -'ત્રણવાર માફી માંગી લીધી છે ને હવે.......'

લોકસભા ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજ- ઠાકુર સમાજની ભાજપ પ્રત્યે નારાજગી કોઈનાથી છુપી નથી. ઘણા રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે ગુજરાતમાંથી શરૂ થયેલી આ અટકળો હવે મધ્યપ્રદેશ અને પશ્ચિમ યુપીમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. જાણકારોનું કહેવું છે કે તેની અસર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જોવા મળી છે. પશ્ચિમ યુપીની સીટો પર ધનંજયસિંહની ચૂંટણી લડવાની વાત હોય કે જૌનપુરની, જ્યાં યુપીમાં ઠાકુર સમુદાયના વિરોધની વાત છે. હવે ભાજપે આ ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. નારાજગીના આ અહેવાલો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતાઓએ ચાર્જ સંભાળી લીધો છે. દરમિયાન આજતક સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહને આ સવાલ પૂછવામાં આવ્યો હતો.

19:14 PM (IST)  •  27 Apr 2024

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કોગ્રેસને પનોતી ગણાવી હતી

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કોગ્રેસને પનોતી ગણાવી હતી. તેમણે કહ્યુ કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં અનેક દુષ્કાળ પડ્યા છે. પાટણના ભાટસણ ગામે ભાજપની યોજાયેલી સભામાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે 70 વર્ષ કોંગ્રેસે આ દેશ અને ગુજરાતને લૂંટવાનું કામ કર્યું છે. કોંગ્રેસના શાસનમાં એક વર્ષમાં બે બે વાર રોડ બને પણ કાગળ પર, સ્થળ પર જોવા જાઓ તો રોડ હોય જ નહીં. કોંગ્રેસ ગરીબોનું અનાજ પણ ખાઈ જતા હતા.

19:12 PM (IST)  •  27 Apr 2024

રૂપાલાની ફરી વિનંતી બાદ પણ રાજપૂત સમાજમાં આક્રોશ છે

રૂપાલાની ફરી વિનંતી બાદ પણ રાજપૂત સમાજમાં આક્રોશ છે. કરણસિંહે કહ્યુ કે રૂપાલા સામેથી ખસી ગયા હોત તો આ સ્થિતિ ન હોત. રૂપાલા મલમ લગાવવા માટે આ બધું બોલે છે. રૂપાલાએ દિલથી માફી માંગી હોય તેવું લાગતુ નથી. સમગ્ર ગુજરાતના 12 થી વધુ જિલ્લામાં ધર્મરથ ફરી ગયો છે. ધર્મરથના માધ્યમથી અમે લોકો સુધી અમારી વાત પહોંચાડી રહ્યા છીએ.

19:10 PM (IST)  •  27 Apr 2024

રામ મંદિર માટે ગોધરાના સ્ટેશન પર 60 કાર સેવકોએ બલિદાન આપ્યુ હતું.

ગોધરામાં કેન્દ્રિયમંત્રી અમિત શાહે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે લાંબા સમય બાદ ગોધરા આવ્યો છું. રામ મંદિર માટે ગોધરાના સ્ટેશન પર 60 કાર સેવકોએ બલિદાન આપ્યુ હતું. નરેંદ્રભાઈને જીતાડવાથી દેશ દુનિયામાં ત્રીજા નંબરની ઈકોનોમી બનશે. 10 વર્ષમાં નરેંદ્રભાઈએ અનેક વિકાસના કામો કર્યા છે. અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું. કોંગ્રેસે રામ મંદિરનું આમંત્રણ પણ ન સ્વીકાર્યું. ચોક્કસ વોટ બેંક નારાજ ન થાય એટલે કોંગ્રેસે આમંત્રણ સ્વીકાર્યું નહોતુ.

શાહે કહ્યુ કે કોંગ્રેસ OBC વિરોધી પાર્ટી છે. ગરીબો માટે મોદી સરકારે અનેક કામો કર્યા છે. કોંગ્રેસ હંમેશા જુઠ્ઠાણા ફેલાવે છે. UCCથી આદિવાસી ભાઈઓના કોઈ કાયદાને અસર નહીં થાય.

 

16:44 PM (IST)  •  27 Apr 2024

કચ્છના માંડવી તાલુકા પંચાયતના ભાજપના સભ્યનું રાજીનામું

કચ્છના માંડવી તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ રાજીનામું આપ્યું હતું. રૂપાલાના નિવેદનના વિરોધમાં ભૂપેંદ્રસિંહ જાડેજાનું રાજીનામું આપ્યું હતું. ગુંદિયાળી બેઠકના સદસ્ય ભૂપેંદ્રસિંહ જાડેજાએ કહ્યું કે સમાજના હિત માટે  રાજીનામું આપ્યું છે.

14:02 PM (IST)  •  27 Apr 2024

રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ કરવામાં આવી હતી

રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સભા રદ્દ કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના વિરોધના કારણે રૂપાલાની સભા રદ્દ કરાઇ હતી. વિરોધના કારણે પુષ્કરધામ રોડ પર યોજાનારી રૂપાલાની સભા રદ્દ કરાઇ હતી.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ | દિવસે બંધ કરાવો ડમ્પરHun To Bolish: હું તો બોલીશ | રાજનીતિમાં મહિલાઓનું માન કેમ નહીં?Surendranagar: ચોટીલાના રાજાવડના યુવકની હત્યાનો મામલે મ્રુતકના પરિવારજનોએ ચોટીલા થાન રોડ ચક્કાજામ કર્યોBhavnagar: રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, 26 વર્ષીય ચેતન ભાલિયા નામના યુવકનું મોત નીપજ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
PBKS vs RCB: કરો યા મરો મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, પંજાબ કિંગ્સ પ્લે ઓફની રેસમાંથી બહાર
PBKS vs RCB: કરો યા મરો મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, પંજાબ કિંગ્સ પ્લે ઓફની રેસમાંથી બહાર
Vodafone Idea Share: વોડાફોન આઈડિયાનો શેર 25 રુપિયા સુધી જઈ શકે છે, સિટી રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો દાવો
Vodafone Idea Share: વોડાફોન આઈડિયાનો શેર 25 રુપિયા સુધી જઈ શકે છે, સિટી રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો દાવો
2024 Maruti Swift: માઈલેજના મામલે નંબર-1 છે નવી મારુતિ સ્વિફ્ટ, આ કારને આપી રહી છે ટક્કર
2024 Maruti Swift: માઈલેજના મામલે નંબર-1 છે નવી મારુતિ સ્વિફ્ટ, આ કારને આપી રહી છે ટક્કર
ChatGPT બનાવનાર સેમ ઓલ્ટમેને AIને લઈને આપી ગંભીર ચેતવણી, 'ચિંતામાં છું...'
ChatGPT બનાવનાર સેમ ઓલ્ટમેને AIને લઈને આપી ગંભીર ચેતવણી, 'ચિંતામાં છું...'
Embed widget