શોધખોળ કરો

LPG cylinder : ગેહલોતનો માસ્ટર સ્ટ્રોક!!! રાજસ્થાનમાં મળશે માત્ર રૂપિયા 500માં ગેસ સિલિન્ડર

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવા પર અને વિધાનસભા ચૂંટણીના લગભગ એક વર્ષ પહેલા સીએમ અશોક ગેહલોતે મોટી જાહેરાત કરી છે.

Rajasthan CM Ashok Gehlot makes Big announcement : દેશમાં રાંધણ ગેસના સલિન્ડરના ભાવ દેશભરમાં એક સળગતો મુદ્દો છે. સામાન્ય માનવીથી લઈને ધનિક વર્ગ પણ ગેર સિલિન્ડરના ભાવથી પરેશાન છે. ત્યારે જ રાજસ્થાન સરકારે આ મામલે મહત્વની જાહેરાત કરી છે. રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે માત્ર રૂપિયા 500માં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. 

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવા પર અને વિધાનસભા ચૂંટણીના લગભગ એક વર્ષ પહેલા સીએમ અશોક ગેહલોતે મોટી જાહેરાત કરી છે. સીએમ અશોક ગેહલોતે 1 એપ્રિલથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. ગેહલોતે સોમવારે ભારત જોડો યાત્રા અંતર્ગત અલવર જિલ્લાના માલાખેડામાં આયોજિત સભામાં આ જાહેરાત કરી હતી.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અલવરમાં કહ્યું, 'હું આવતા મહિને બજેટ રજૂ કરીશ અને તેમાં જાહેરાત કરીશ કે અમે રૂ10240ની કિંમતના 12 ઘરેલું સિલિન્ડર માત્ર રૂપિયા 500માં આપીશું. મોંઘવારીમાં આપણે જે કંઈ કરી શકીએ તે કરીશું. આજે અલવરના માલાખેડામાં જનસભાને સંબોધિત કરતી વખતે ગેહલોતે આ જાહેરાત કરી હતી. 

આ સાથે ગેહલોતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), આવકવેરા વિભાગ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) જેવી તમામ સંસ્થાઓ આજકાલ પોતે જ ડરી રહી છે, કારણ કે, તેમને ખબર નથી કે ઉપરથી શું આદેશ આવશે. ગેહલોતે કહ્યું હતું કે, હું આ પ્રસંગે જાહેરાત કરીશ કે, એવા લોકો જે ગરીબી રેખા નીચે છે (BPL). જે લોકો ગરીબ છે અને ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા છે અમે તે વર્ગોનો અભ્યાસ કરાવીશું. ત્યાર બાદ આવતા વર્ષે 1 એપ્રિલ બાદ 1040 રૂપિયાનો સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે. 

રાહુલ ગાંધીને લઈને કહ્યું કે... 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે, આ દેશ "પ્રેમનો છે, નફરતનો નથી", તેથી તેઓ "નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યા છે". કોંગ્રેસ નેતાએ તેમની 'ભારત જોડો યાત્રા' પર સવાલ ઉઠાવનારા ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓને કહ્યું, "નફરતના બજારમાં, હું પ્રેમની દુકાન ખોલી રહ્યો છું." તેમણે કહ્યું, "તમારું બજાર નફરતનું છે." મારી દુકાન છે. પ્રેમ થી જોડાયેલું.

ગાંધીએ કહ્યું કે ભાજપના નેતાઓએ પણ નફરતના બજારમાં પ્રેમની દુકાનો ખોલવા માટે આગળ આવવું જોઈએ. કોંગ્રેસ નેતાએ કહ્યું, "અંતમાં તેઓએ પણ એવું જ કરવું પડશે કારણ કે આપણો દેશ પ્રેમનો દેશ છે, નફરતનો દેશ છે." બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર હતા. ગાંધીએ રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી ચિરંજીવી આરોગ્ય વીમા યોજના અને મહાત્મા ગાંધી ઇંગ્લિશ સ્કૂલ યોજનાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget