શોધખોળ કરો

Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય

Maharashtra CM: બીજી તરફ શિવસેના પ્રમુખ એકનાથ શિંદે પણ મુખ્યમંત્રી પદની રેસમાં હોય તેવું લાગી રહ્યું છે

Maharashtra CM:  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 236 બેઠકો સાથે સત્તાધારી ગઠબંધન મહાયુતિને મોટી સફળતા મળ્યા બાદ મુખ્યમંત્રી કોણ હશે તે અંગેનો નિર્ણય આજે એટલે કે સોમવારે લેવામાં આવે તેવી અપેક્ષા છે. વ્યસ્ત રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહાયુતિ-એનડીએની જીતના મુખ્ય શિલ્પી એવા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે જોવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે ફડણવીસના નેતૃત્વમાં ભાજપ ત્રીજી વખત 100થી વધુ બેઠકો જીતવામાં સફળ રહ્યું છે.

શિંદે અને અજિત પવારની પાર્ટીએ પણ દાવો કર્યો હતો

બીજી તરફ શિવસેના પ્રમુખ એકનાથ શિંદે પણ મુખ્યમંત્રી પદની રેસમાં હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ કહ્યું છે કે તેમની પાર્ટી પણ ઈચ્છે છે કે તેમના નેતા અજિત પવાર મુખ્યમંત્રી બને. પરંતુ મુખ્યમંત્રી પદનો નિર્ણય મહાયુતિના ત્રણેય પક્ષો સાથે મળીને લેશે.

મોદી-શાહ નિર્ણય લઈ શકે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના મુખ્ય વ્યૂહરચનાકાર અમિત શાહ આ અંગે નિર્ણય લઇ શકે છે. માનવામાં આવે છે કે આ બંને ટોચના નેતાઓની સહમતિથી સોમવારે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે.

14મી મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. સરકારની રચનાની પ્રક્રિયા શરૂ કરીને ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમ રવિવારે માલાબાર હિલમાં રાજભવન ખાતે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને તેમને 15મી મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના નામો ધરાવતી ગેઝેટ અને ભારતના ચૂંટણી પંચની સૂચનાની નકલો રજૂ કરી હતી.

આ કામ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 73માં સમાવિષ્ટ જોગવાઈઓ અનુસાર કરવામાં આવ્યું હતું. હવે ત્રણ પક્ષોની ગઠબંધન મહાયુતિ સરકારની રચનાનો રસ્તો સાફ થઈ ગયો છે.

આ વખતે પણ બે ડેપ્યુટી સીએમ બનાવાશે

માનવામાં આવી રહ્યું છે કે ગત સરકારની જેમ આ વખતે પણ એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી સરકારનો હવાલો સંભાળશે. પરંતુ હજુ સુધી તેમના નામની જાહેરાત કરવામાં આવી નથી. જ્યાં સુધી મંત્રાલયોનો સંબંધ છે, મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ સહિત મહત્તમ 43 મંત્રીઓ હોઈ શકે છે.

શિંદે અને અજિત પવારે પાર્ટીના નેતાઓની પસંદગી કરી

ભાજપના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે ભાજપના અધિકારીઓ અને કાર્યકરો ફડણવીસને રાજ્યમાં ટોચના પદ પર જોવા માંગે છે. સોમવારે બીજેપી ધારાસભ્ય દળની બેઠક મળવાની સંભાવના છે. બીજી તરફ, રવિવારે સવારે અજિત પવારને સર્વસંમતિથી NCP ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

શિવસેનાના નેતા એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવા માટે શિવસેનાના ધારાસભ્યોની બેઠક સોમવારે મોડી સાંજે શરૂ થઈ છે. શિંદેના સાથી નરેશ મ્હસ્કે, સંજય શિરસાટ, પ્રતાપ સરનાઈક અને દીપક કેસરકરે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમના નેતા મુખ્ય પ્રધાન રહે. જો કે આખરી નિર્ણય ત્રણેય પક્ષોના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.

ત્રણેય પક્ષો સાથે મળીને નિર્ણય કરશેઃ છગન ભુજબળ

એનસીપીના નેતા છગન ભુજબળે પણ કહ્યું કે ત્રણેય પક્ષો સાથે બેસીને નક્કી કરશે કે અમારો નેતા કોણ હશે. તેમણે કહ્યું કે પવાર મુખ્યમંત્રી પણ બની શકે છે, તેમનો સ્ટ્રાઈક રેટ ઘણો સારો છે. આ દરમિયાન એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે એકનાથ શિંદે સાથે મુલાકાત કરી છે.

 મહારાષ્ટ્ર: બીજેપીની પ્રચંડ જીત વચ્ચે મહાગઠબંધનમાં શિંદેની શિવસેના અને અજિત પવારની NCPનું શું થશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget