Maharashtra NCP Crisis: એક સમયે શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા, જાણો કોણ છે મંત્રી પદના શપથ લેનાર છગન ભુજબળ
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. NCP નેતા અજિત પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે, જ્યારે NCP નેતા છગન ભુજબળે પણ તેમની સાથે મંત્રી તરીકે શપથ લીધા છે.
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. NCP નેતા અજિત પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે, જ્યારે NCP નેતા છગન ભુજબળે પણ તેમની સાથે મંત્રી તરીકે શપથ લીધા છે. છગન ભુજબળ વિશે જાણીએ.
છગન ભુજબળનો જન્મ 15 ઓક્ટોબર 1947ના રોજ થયો હતો. તેઓ મહારાષ્ટ્રની યેવલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કરવાનો અનુભવ પણ છે. તેમણે 18 ઓક્ટોબર 1999 થી 23 ડિસેમ્બર 2003 સુધી ડેપ્યુટી સીએમ તરીકે કામ કર્યું છે.
#WATCH | NCP leader Chhagan Bhujbal takes oath as Maharashtra Minister in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis pic.twitter.com/f98odeMrFd
— ANI (@ANI) July 2, 2023
મહારાષ્ટ્રમાં તેમણે જાહેર બાંધકામ વિભાગના મંત્રી અને ગૃહ મંત્રાલયના મંત્રી તરીકે પણ કામ કર્યું છે. છગન ભુજબળ ઓબીસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ એનસીપી પ્રમુખ શરદ પવારના નજીકના માનવામાં આવે છે.
ભુજબળ રાજકારણમાં આવ્યા પહેલા શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા હતા
છગન ભુજબળે 1960માં શિવસેનામાંથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. રાજકારણમાં આવતા પહેલા તેઓ શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, તેમણે એક વખત શાકભાજી વેચવા માટે પૈસા ઉછીના લીધા હતા.
છગન ભુજબળ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય છે. NCP મહારાષ્ટ્રના પ્રથમ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ અગાઉની મહાવિકાસ આઘાડી સરકારમાં ખાદ્ય અને પુરવઠા મંત્રી હતા. એનસીપીના સ્થાપક સભ્યોમાંના એક છે.
બીજેપી નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે, આખી એનસીપી સામેલ થઈ રહી છે. જેમાં 40થી વધુ ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે. વળી, શિન્દે સરકારમાં મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું, અમે અજિત પવારનું સ્વાગત કરીએ છીએ. તેમના નિર્ણયનું સ્વાગત છે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી એકનાથ શિન્દે અને દેવેન્દ્ર ફડણવીસ સ્ટેજ પર બેઠા હતા.
અજિત પવારનું આજે વિધિવત રીતે શિંદે ભાજપ સરકારમાં જોડાવાથી એક રીતે ભાજપનો પક્ષ મજબૂત થઈ રહ્યો છે. આવામાં શિંદે જૂથના સમર્થન વિના પણ ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચી રહ્યું છે. હાલમાં સરકાર પાસે 166 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં ભાજપના 125 ધારાસભ્યો અને શિંદે કેમ્પના 40 ધારાસભ્યો છે. જો અજિત પવાર કેમ્પના 30 ધારાસભ્યો ભાજપ સાથે હાથ મિલાવે છે, તો તેની પાસે 156 ધારાસભ્યોનું સમર્થન હશે, જે બહુમતી કરતા 11 વધુ હશે.