શોધખોળ કરો

Manipur Violence: રાજ્યસભામાં મણિપુર પર ચર્ચા કરવા તૈયાર સરકાર, કેન્દ્રિય મંત્રીઓએ વિપક્ષના નેતાઓ સાથે કરી બેઠક

સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મણિપુર હિંસા પર ગૃહમાં નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે

Parliament Monsoon Session: મણિપુર હિંસા પર રાજ્યસભામાં ચાલી રહેલી મડાગાંઠનો અંત આવી શકે છે. સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યસભામાં મણિપુરના મુદ્દા પર ચર્ચા કરવા સહમત થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ચર્ચા ચોમાસુ સત્રના અંતિમ દિવસે 11 ઓગસ્ટે થઈ શકે છે.

ગુરુવારે (3 ઓગસ્ટ) ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે, મણિપુર પર તમે ઇચ્છો ત્યાં સુધી ચર્ચા કરો, હું જવાબ આપવા તૈયાર છું. વિપક્ષની પ્રાથમિકતા પોતાના ગઠબંધનને બચાવવાની છે. વિપક્ષને મણિપુરની ચિંતા નથી.

સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મણિપુર હિંસા પર ગૃહમાં નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે. તેના પર સરકાર કહી રહી છે કે અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ વિપક્ષી પાર્ટીઓ ચર્ચાથી ભાગી રહી છે.

બેઠકમાં વિરોધ પક્ષોએ શું સૂચન કર્યું?

મડાગાંઠ વચ્ચે રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગુરુવારે વિપક્ષી નેતાઓ સાથે બેઠક યોજી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ દરમિયાન વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'ના પક્ષના નેતાઓએ સૂચન કર્યું કે મણિપુર પર ચર્ચા દરમિયાન કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએ.

આ બેઠક બાદ રાજ્યસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ જયરામ રમેશે જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલાયન્સ)ના ઘટકોએ મડાગાંઠને સમાપ્ત કરવા માટે મધ્યમ માર્ગ સૂચવ્યો છે અને એવી અપેક્ષા છે કે સરકાર તેને સ્વીકારશે. જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે વિપક્ષે શું ઓફર કરી છે. આ પછી સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે.

શું કહે છે વિરોધ પક્ષો?

રાજ્યસભામાં વિપક્ષ પોતાની માંગ પર અડગ છે કે પીએમ મોદીએ મણિપુરના વિષય પર ગૃહમાં નિવેદન આપવું જોઈએ અને પછી વ્યાપક ચર્ચા થવી જોઈએ. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે વિપક્ષે નિયમ 267 હેઠળ ચર્ચાની માંગ પર પોતાનું વલણ હળવું કર્યું છે.

મણિપુરમાં હિંસા ક્યારે શરૂ થઈ?

મૈતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગના વિરોધમાં આયોજિત 'આદિવાસી એકતા માર્ચ' બાદ રાજ્યમાં 3 મેના રોજ શરૂ થયેલી હિંસામાં 150 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા લોકોના ઘરો બળી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Advertisement

વિડિઓઝ

Jamnagar news: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટયૂટ PMJAYમાંથી બહાર, 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ કાર્યવાહી
Amreli News: ગૌહત્યા કેસમાં અમરેલી સેશન્સ કોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો
Junagadh News: જૂનાગઢ જેલમાં બંધ એક બુટલેગરના વાયરલ થયેલા કથિત પત્રથી મચી ગયો ખળભળાટ
Red Fort Car Blast Update: દિલ્લી કાર વિસ્ફોટમાં વધુ એક શંકાસ્પદ કાર મળી
Rajkot News: રાજકોટ ગેંગવોરમાં ક્રાઈમબ્રાન્ચની કાર્યવાહી, વધુ ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
શું 69 લાખ પેન્શનર્સને નહીં મળે 8મા પગાર પંચનો લાભ? કર્મચારી સંઘે નાણામંત્રીને લખ્યો પત્ર
શું 69 લાખ પેન્શનર્સને નહીં મળે 8મા પગાર પંચનો લાભ? કર્મચારી સંઘે નાણામંત્રીને લખ્યો પત્ર
IND vs SA 1st Test Predicted XI:  અક્ષર પટેલને કરાશે બહાર, કોલકત્તા ટેસ્ટમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 1st Test Predicted XI: અક્ષર પટેલને કરાશે બહાર, કોલકત્તા ટેસ્ટમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
તુર્કીએ કનેક્શન, છેલ્લું લૉકેશન ચેન્જ..., દિલ્હી બ્લાસ્ટ સાથે જોડાયા આ મોટા રાજ જેનો થયો ખુલાસો
તુર્કીએ કનેક્શન, છેલ્લું લૉકેશન ચેન્જ..., દિલ્હી બ્લાસ્ટ સાથે જોડાયા આ મોટા રાજ જેનો થયો ખુલાસો
Embed widget