શોધખોળ કરો

Manipur Violence: રાજ્યસભામાં મણિપુર પર ચર્ચા કરવા તૈયાર સરકાર, કેન્દ્રિય મંત્રીઓએ વિપક્ષના નેતાઓ સાથે કરી બેઠક

સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મણિપુર હિંસા પર ગૃહમાં નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે

Parliament Monsoon Session: મણિપુર હિંસા પર રાજ્યસભામાં ચાલી રહેલી મડાગાંઠનો અંત આવી શકે છે. સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યસભામાં મણિપુરના મુદ્દા પર ચર્ચા કરવા સહમત થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ચર્ચા ચોમાસુ સત્રના અંતિમ દિવસે 11 ઓગસ્ટે થઈ શકે છે.

ગુરુવારે (3 ઓગસ્ટ) ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે, મણિપુર પર તમે ઇચ્છો ત્યાં સુધી ચર્ચા કરો, હું જવાબ આપવા તૈયાર છું. વિપક્ષની પ્રાથમિકતા પોતાના ગઠબંધનને બચાવવાની છે. વિપક્ષને મણિપુરની ચિંતા નથી.

સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મણિપુર હિંસા પર ગૃહમાં નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે. તેના પર સરકાર કહી રહી છે કે અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ વિપક્ષી પાર્ટીઓ ચર્ચાથી ભાગી રહી છે.

બેઠકમાં વિરોધ પક્ષોએ શું સૂચન કર્યું?

મડાગાંઠ વચ્ચે રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગુરુવારે વિપક્ષી નેતાઓ સાથે બેઠક યોજી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ દરમિયાન વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'ના પક્ષના નેતાઓએ સૂચન કર્યું કે મણિપુર પર ચર્ચા દરમિયાન કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએ.

આ બેઠક બાદ રાજ્યસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ જયરામ રમેશે જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલાયન્સ)ના ઘટકોએ મડાગાંઠને સમાપ્ત કરવા માટે મધ્યમ માર્ગ સૂચવ્યો છે અને એવી અપેક્ષા છે કે સરકાર તેને સ્વીકારશે. જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે વિપક્ષે શું ઓફર કરી છે. આ પછી સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે.

શું કહે છે વિરોધ પક્ષો?

રાજ્યસભામાં વિપક્ષ પોતાની માંગ પર અડગ છે કે પીએમ મોદીએ મણિપુરના વિષય પર ગૃહમાં નિવેદન આપવું જોઈએ અને પછી વ્યાપક ચર્ચા થવી જોઈએ. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે વિપક્ષે નિયમ 267 હેઠળ ચર્ચાની માંગ પર પોતાનું વલણ હળવું કર્યું છે.

મણિપુરમાં હિંસા ક્યારે શરૂ થઈ?

મૈતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગના વિરોધમાં આયોજિત 'આદિવાસી એકતા માર્ચ' બાદ રાજ્યમાં 3 મેના રોજ શરૂ થયેલી હિંસામાં 150 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા લોકોના ઘરો બળી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
Big relief for flyers: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Big relief for flyers: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
Big relief for flyers: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Big relief for flyers: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
iPhone Support Ends: એપલ યુઝર્સ માટે મોટા સમાચાર, આ બે આઈફોનને નહીં મળે સપોર્ટ
iPhone Support Ends: એપલ યુઝર્સ માટે મોટા સમાચાર, આ બે આઈફોનને નહીં મળે સપોર્ટ
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Gaming Smartphones: 50,000થી પણ ઓછામાં ઉપલબ્ધ છે આ પાંચ ગેમિંગ સ્માર્ટફોન! જાણો ક્યો છે સૌથી શક્તિશાળી ?
Gaming Smartphones: 50,000થી પણ ઓછામાં ઉપલબ્ધ છે આ પાંચ ગેમિંગ સ્માર્ટફોન! જાણો ક્યો છે સૌથી શક્તિશાળી ?
Embed widget