શોધખોળ કરો

Manipur Violence: રાજ્યસભામાં મણિપુર પર ચર્ચા કરવા તૈયાર સરકાર, કેન્દ્રિય મંત્રીઓએ વિપક્ષના નેતાઓ સાથે કરી બેઠક

સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મણિપુર હિંસા પર ગૃહમાં નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે

Parliament Monsoon Session: મણિપુર હિંસા પર રાજ્યસભામાં ચાલી રહેલી મડાગાંઠનો અંત આવી શકે છે. સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યસભામાં મણિપુરના મુદ્દા પર ચર્ચા કરવા સહમત થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ચર્ચા ચોમાસુ સત્રના અંતિમ દિવસે 11 ઓગસ્ટે થઈ શકે છે.

ગુરુવારે (3 ઓગસ્ટ) ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે, મણિપુર પર તમે ઇચ્છો ત્યાં સુધી ચર્ચા કરો, હું જવાબ આપવા તૈયાર છું. વિપક્ષની પ્રાથમિકતા પોતાના ગઠબંધનને બચાવવાની છે. વિપક્ષને મણિપુરની ચિંતા નથી.

સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મણિપુર હિંસા પર ગૃહમાં નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે. તેના પર સરકાર કહી રહી છે કે અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ વિપક્ષી પાર્ટીઓ ચર્ચાથી ભાગી રહી છે.

બેઠકમાં વિરોધ પક્ષોએ શું સૂચન કર્યું?

મડાગાંઠ વચ્ચે રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગુરુવારે વિપક્ષી નેતાઓ સાથે બેઠક યોજી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ દરમિયાન વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'ના પક્ષના નેતાઓએ સૂચન કર્યું કે મણિપુર પર ચર્ચા દરમિયાન કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએ.

આ બેઠક બાદ રાજ્યસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ જયરામ રમેશે જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલાયન્સ)ના ઘટકોએ મડાગાંઠને સમાપ્ત કરવા માટે મધ્યમ માર્ગ સૂચવ્યો છે અને એવી અપેક્ષા છે કે સરકાર તેને સ્વીકારશે. જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે વિપક્ષે શું ઓફર કરી છે. આ પછી સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે.

શું કહે છે વિરોધ પક્ષો?

રાજ્યસભામાં વિપક્ષ પોતાની માંગ પર અડગ છે કે પીએમ મોદીએ મણિપુરના વિષય પર ગૃહમાં નિવેદન આપવું જોઈએ અને પછી વ્યાપક ચર્ચા થવી જોઈએ. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે વિપક્ષે નિયમ 267 હેઠળ ચર્ચાની માંગ પર પોતાનું વલણ હળવું કર્યું છે.

મણિપુરમાં હિંસા ક્યારે શરૂ થઈ?

મૈતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગના વિરોધમાં આયોજિત 'આદિવાસી એકતા માર્ચ' બાદ રાજ્યમાં 3 મેના રોજ શરૂ થયેલી હિંસામાં 150 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા લોકોના ઘરો બળી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
Embed widget