શોધખોળ કરો

Manipur Violence: રાજ્યસભામાં મણિપુર પર ચર્ચા કરવા તૈયાર સરકાર, કેન્દ્રિય મંત્રીઓએ વિપક્ષના નેતાઓ સાથે કરી બેઠક

સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મણિપુર હિંસા પર ગૃહમાં નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે

Parliament Monsoon Session: મણિપુર હિંસા પર રાજ્યસભામાં ચાલી રહેલી મડાગાંઠનો અંત આવી શકે છે. સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યસભામાં મણિપુરના મુદ્દા પર ચર્ચા કરવા સહમત થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ચર્ચા ચોમાસુ સત્રના અંતિમ દિવસે 11 ઓગસ્ટે થઈ શકે છે.

ગુરુવારે (3 ઓગસ્ટ) ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે, મણિપુર પર તમે ઇચ્છો ત્યાં સુધી ચર્ચા કરો, હું જવાબ આપવા તૈયાર છું. વિપક્ષની પ્રાથમિકતા પોતાના ગઠબંધનને બચાવવાની છે. વિપક્ષને મણિપુરની ચિંતા નથી.

સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મણિપુર હિંસા પર ગૃહમાં નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે. તેના પર સરકાર કહી રહી છે કે અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ વિપક્ષી પાર્ટીઓ ચર્ચાથી ભાગી રહી છે.

બેઠકમાં વિરોધ પક્ષોએ શું સૂચન કર્યું?

મડાગાંઠ વચ્ચે રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગુરુવારે વિપક્ષી નેતાઓ સાથે બેઠક યોજી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ દરમિયાન વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'ના પક્ષના નેતાઓએ સૂચન કર્યું કે મણિપુર પર ચર્ચા દરમિયાન કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએ.

આ બેઠક બાદ રાજ્યસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ જયરામ રમેશે જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલાયન્સ)ના ઘટકોએ મડાગાંઠને સમાપ્ત કરવા માટે મધ્યમ માર્ગ સૂચવ્યો છે અને એવી અપેક્ષા છે કે સરકાર તેને સ્વીકારશે. જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે વિપક્ષે શું ઓફર કરી છે. આ પછી સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે.

શું કહે છે વિરોધ પક્ષો?

રાજ્યસભામાં વિપક્ષ પોતાની માંગ પર અડગ છે કે પીએમ મોદીએ મણિપુરના વિષય પર ગૃહમાં નિવેદન આપવું જોઈએ અને પછી વ્યાપક ચર્ચા થવી જોઈએ. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે વિપક્ષે નિયમ 267 હેઠળ ચર્ચાની માંગ પર પોતાનું વલણ હળવું કર્યું છે.

મણિપુરમાં હિંસા ક્યારે શરૂ થઈ?

મૈતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગના વિરોધમાં આયોજિત 'આદિવાસી એકતા માર્ચ' બાદ રાજ્યમાં 3 મેના રોજ શરૂ થયેલી હિંસામાં 150 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા લોકોના ઘરો બળી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
Embed widget