શોધખોળ કરો

Manipur Violence: રાજ્યસભામાં મણિપુર પર ચર્ચા કરવા તૈયાર સરકાર, કેન્દ્રિય મંત્રીઓએ વિપક્ષના નેતાઓ સાથે કરી બેઠક

સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મણિપુર હિંસા પર ગૃહમાં નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે

Parliament Monsoon Session: મણિપુર હિંસા પર રાજ્યસભામાં ચાલી રહેલી મડાગાંઠનો અંત આવી શકે છે. સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યસભામાં મણિપુરના મુદ્દા પર ચર્ચા કરવા સહમત થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ચર્ચા ચોમાસુ સત્રના અંતિમ દિવસે 11 ઓગસ્ટે થઈ શકે છે.

ગુરુવારે (3 ઓગસ્ટ) ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે, મણિપુર પર તમે ઇચ્છો ત્યાં સુધી ચર્ચા કરો, હું જવાબ આપવા તૈયાર છું. વિપક્ષની પ્રાથમિકતા પોતાના ગઠબંધનને બચાવવાની છે. વિપક્ષને મણિપુરની ચિંતા નથી.

સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મણિપુર હિંસા પર ગૃહમાં નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે. તેના પર સરકાર કહી રહી છે કે અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ વિપક્ષી પાર્ટીઓ ચર્ચાથી ભાગી રહી છે.

બેઠકમાં વિરોધ પક્ષોએ શું સૂચન કર્યું?

મડાગાંઠ વચ્ચે રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગુરુવારે વિપક્ષી નેતાઓ સાથે બેઠક યોજી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ દરમિયાન વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'ના પક્ષના નેતાઓએ સૂચન કર્યું કે મણિપુર પર ચર્ચા દરમિયાન કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએ.

આ બેઠક બાદ રાજ્યસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ જયરામ રમેશે જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલાયન્સ)ના ઘટકોએ મડાગાંઠને સમાપ્ત કરવા માટે મધ્યમ માર્ગ સૂચવ્યો છે અને એવી અપેક્ષા છે કે સરકાર તેને સ્વીકારશે. જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે વિપક્ષે શું ઓફર કરી છે. આ પછી સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે.

શું કહે છે વિરોધ પક્ષો?

રાજ્યસભામાં વિપક્ષ પોતાની માંગ પર અડગ છે કે પીએમ મોદીએ મણિપુરના વિષય પર ગૃહમાં નિવેદન આપવું જોઈએ અને પછી વ્યાપક ચર્ચા થવી જોઈએ. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે વિપક્ષે નિયમ 267 હેઠળ ચર્ચાની માંગ પર પોતાનું વલણ હળવું કર્યું છે.

મણિપુરમાં હિંસા ક્યારે શરૂ થઈ?

મૈતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગના વિરોધમાં આયોજિત 'આદિવાસી એકતા માર્ચ' બાદ રાજ્યમાં 3 મેના રોજ શરૂ થયેલી હિંસામાં 150 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા લોકોના ઘરો બળી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget