![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
DGHS Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જોઈએ, જાણો સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ
કેન્દ્ર સરકારે કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે નવી ગાઈડલાઈન (New Guideline) બહાર પાડી છે.
![DGHS Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જોઈએ, જાણો સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ masks not needed for children below 5 years says health ministry DGHS Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જોઈએ, જાણો સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/24/2b829e8c92292f54e980c55d8137b633_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે એઈમ્સ અનુસાર એ વાતના કોઈ પુરાવા મળઅયા નથી કે આવનારી લહેરની સૌથી વધારે અસર બાળકો પર થશે. તેમ છથાં લોકો ડરી ગયા છે અને પોતના બાળકોને લઈને સાવચેત છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અંતર્ગત આવતા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) તરફથી એક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.
આ ગાઈડલાઈન્સ અનુસાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માસ્ક પહેરવાની જરૂરત નથી. ઉપરાંત 6થી 11 વર્ષના બાળકો માટે પણ સરકારી ગાઈડલાઈન બહાર પાડી છે. તે અનુસાર 6થી 11 વર્ષના બાળકો અભિભાવકોની દેખરેખમાં માસ્ક પહેરવું જોઈએ. આ પહેલા World Health Organization (WHO )એ પોતાની ગાઈડલાઈન્સમાં 12 વર્ષથી ઉપરના બાળકો માટે માસ્ક પહેરવું ફરજિયાત બનાવ્યું હતું. WHOએ પણ કહ્યું હતું કે, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જરૂરી નથી.
કેન્દ્ર સરકારે કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે નવી ગાઈડલાઈન (New Guideline) બહાર પાડી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ સંક્રમિત બાળકોને હવે એન્ટી વાયરલ રેમડેસિવિર (Remdesivir) નહીં આપી શકાય, ઉપરાંત બાળકોને સ્ટીરોયડ આપવાથી પણ બચવું જોઈએ.
આ ગાઈડલાઈનમાં બાળકોની શારીરિક ક્ષમતાને જોવા માટે 6 મિનિટનો વોક ટેસ્ટ લેવાની સલાહ આપવામાં આવી છે. જેમાં બાળકની આંગળીમાં પલ્સ ઓક્સીમીટર લગાવીને તેને 6 મિનિટ સુધી ટહેલવાનું કહેવામાં આવ્યું છે. આ દરમિયાન સેચુરેશન 94થી ઓછું આવે તો તેને શ્વાસ લેવામાં તકલીફ સમજવી જોઈએ. જેના આધારે બાળકોને હોસ્પિટલમાં ભરતી કરવાનો નિર્ણય લેવો જોઈએ.
આ ઉપરાંત સિટી સ્કેનનો ઉપયોગ પણ યોગ્ય સમયે કરવાની સલાહ આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે ડોક્ટરો બાળકોના સિટી સ્કેન કરતા સમયે બહું જ સંવેદનશીલતા વર્તવી જોઈએ. ગાઈડલાઈનમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે જો કોઈ દર્દીમાં કોવિડની ગંભીર સમસ્યા જણાય તો ઓક્સીજન થેરાપી તાત્કાલિક શરૂ કરી દેવી જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)