શોધખોળ કરો

સંઘના કાર્યક્રમમાં પ્રવણ મુખર્જીના આવવા પર વિવાદ અયોગ્ય, સંઘ લોકતાંત્રિક સંગઠન છે: RSS પ્રમુખ મોહન ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારોહમાં સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે સંઘને સંપૂર્ણ સમાજનું સંગઠન કરવાનું છે. તેથી સંઘ માટે કોઈ પારકું નથી. પ્રવણ મુખર્જીને લઇને મોહન ભાગવતે કહ્યું અમે દર વર્ષે દેશના સન્માનીય લોકોને આમંત્રિત કરીએ છીએ. પરંતુ આ કાર્યક્રમ પર કંઇક વિશેષ ચર્ચા ચાલી. પ્રવણ મુખર્જીના આ કાર્યક્રમમાં આવવાથી તેના પર વિવાદ યોગ્ય નથી. સંઘ લોકતાંત્રિક સંગઠન છે. મોહન ભાગવતે કહ્યું, "પ્રણવ મુખરજીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. ખૂબજ જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. આ કાર્યક્રમની પક્ષ અને વિપક્ષમાં જે ચર્ચા થઇ છે તેનો કોઈ મતલબ નથી. સંઘ સંઘ છે અને પ્રવણ મુખર્જી પ્રવણ મુખર્જી રહેશે. હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે." ભાગવતે કહ્યું, કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે." સરકાર ઘણું બધું કરી શકે છે પરંતુ બધું જ નથી કરી શકતી. સામાન્ય સમાજને જ્યાં સુધી જાગૃત નહીં કરવામાં આવે ત્યાં સુધી દેશની હાલત નહીં સુધરે. સ્વતંત્રા પહેલા તમામ મહાપુરષોને સ્વતંત્રતાની ચિંતા હતી. સંઘના વિરોધીઓને સંદેશ આપતા મોહન ભાગવતે કહ્યું, આરએસએસ લોકતાંત્રિક સંગઠન છે, સંઘ બધાને જોડનારું છે. સંગઠિત સમાજ દેશ બદલી શકે છે. બધા વિવિધતાઓનું સન્માન કરે છે. સનાતન પરંપરાને બળ આપવાનું કામ કરવું જોઇએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget