શોધખોળ કરો

તમે ફક્ત ગુજરાતના નહીં પરંતુ દેશના વડાપ્રધાન છો, કમલનાથનો મોદી પર પ્રહાર

ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મણિપુરમાં ભારે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે લગભગ 35 જેટલા લોકોના મોત થયા છે. ગુજરાતમાં અંદાજે 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ ઝંઝાવાતી વરસાદને પગલે 14 વ્યક્તિનાં મોત થયા હોવાના અહેવાલ છે.

નવી દિલ્હી: ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મણિપુરમાં મંગળવારે થયેલા ભારે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે લગભગ 35 જેટલા લોકોના મોત થયા હતા. જેને લઈને વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં થયેલા લોકોના મોતને લઈને દુખ વ્યક્ત કર્યું હતું. ત્યારે અન્ય રાજ્યમાં પણ થયેલી જાનહાનિને લઈને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલાથે પીએમ મોદી પર નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ પીએમ મોદી પર આક્ષેપ લગાવતા કહ્યું કે પીએમ મોદી અન્ય રાજ્યને નજરઅંદાજ કરી રહ્યાં છે, શું તેઓ માત્ર ગુજરાતના જ વડાપ્રધાન છે ? પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર સવારે ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદના કારણે થયેલા મોત પર દુખ વ્યક્ત કર્યું, તેઓએ ટ્વિટ કર્યું કે, “ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. પ્રભાવિત લોકોને તમામ સંભવિત મદદ આપવામાં આવી રહી છે. ” તેના બાદ પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)એ ટ્વિટ કરી સહાય આપવાની જાહેરાત કરી. પીએમઓએ જણાવ્યું કે, “મોદીએ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે જીવ ગુમાવનાર લોકોના પરિવાર માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયા આર્થિક મદદ આપવાની મંજૂરી આપી દીધી છે.” પીએમને ઈજાગ્રસ્ત લોકોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી. વડાપ્રધાનના આ બન્ને ટ્વિટ બાદ કમલનાથે પીએમ મોદી પર અન્ય રાજ્યોને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો. તેઓએ કહ્યું કે મોદીજી, તમે દેશના વડપ્રધાન છો, માત્ર ગુજરાતના જ નથી, એમપીમાં પણ કમોસમી વરસાદ તથા વાવાઝોડાના કારણે 10 વધુ લોકોના મોત થયા છે. પરંતુ તમારી સંવેદનાઓ માત્ર ગુજરાત પૂરતી સીમિત ? ભલે અહીં તમારી પાર્ટીની સરકાર નથી પરંતુ લોકો અહીં પણ રહે છે. કમલનાથના આ ટ્વિટના એક કલાક બાદ વડાપ્રધાન મોદીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મણિપુર અને દેશના અન્ય હિસ્સામાં થયેલા જાનમાલના નુકસાન પર દુખ વ્યક્ત કર્યું અને આર્થિક મદદ આપવાની જાહેરાત કરી. ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી તબાહી, 33 લોકોના મોત, જાણો વિગતે ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં અને કરાં પડ્યા, જાણો વિગત પીએમઓ એ ટ્વિટ કર્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર અને દેશના અન્ય ભાગમાં કમોસમી વરસાદ અને વાવાઝોડામાં જીવ ગુમાવનાર લોકો પ્રતિ દુખ વ્યક્ત કર્યું, તેઓએ કહ્યું કે કમોસમી વરસાદથી પ્રભાવિત લોકોને તત્કાળ રાહત પુરી પાડવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. પીએમ મોદીએ મૃતકોના પરિવાર માટે 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget