તમે ફક્ત ગુજરાતના નહીં પરંતુ દેશના વડાપ્રધાન છો, કમલનાથનો મોદી પર પ્રહાર
ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મણિપુરમાં ભારે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે લગભગ 35 જેટલા લોકોના મોત થયા છે. ગુજરાતમાં અંદાજે 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ ઝંઝાવાતી વરસાદને પગલે 14 વ્યક્તિનાં મોત થયા હોવાના અહેવાલ છે.

તેના બાદ પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)એ ટ્વિટ કરી સહાય આપવાની જાહેરાત કરી. પીએમઓએ જણાવ્યું કે, “મોદીએ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે જીવ ગુમાવનાર લોકોના પરિવાર માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયા આર્થિક મદદ આપવાની મંજૂરી આપી દીધી છે.” પીએમને ઈજાગ્રસ્ત લોકોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી.Anguished by the loss of lives due to unseasonal rains and storms in various parts of Gujarat. My thoughts are with the bereaved families.
Authorities are monitoring the situation very closely. All possible assistance is being given to those affected. — Chowkidar Narendra Modi (@narendramodi) April 17, 2019
વડાપ્રધાનના આ બન્ને ટ્વિટ બાદ કમલનાથે પીએમ મોદી પર અન્ય રાજ્યોને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો. તેઓએ કહ્યું કે મોદીજી, તમે દેશના વડપ્રધાન છો, માત્ર ગુજરાતના જ નથી, એમપીમાં પણ કમોસમી વરસાદ તથા વાવાઝોડાના કારણે 10 વધુ લોકોના મોત થયા છે. પરંતુ તમારી સંવેદનાઓ માત્ર ગુજરાત પૂરતી સીમિત ? ભલે અહીં તમારી પાર્ટીની સરકાર નથી પરંતુ લોકો અહીં પણ રહે છે.PM @narendramodi approved an ex- gratia of Rs. 2 lakh each from the Prime Minister’s National Relief Fund for the next of kin of those who have lost their lives due to unseasonal rain and storms in various parts of Gujarat.
— PMO India (@PMOIndia) April 17, 2019
કમલનાથના આ ટ્વિટના એક કલાક બાદ વડાપ્રધાન મોદીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મણિપુર અને દેશના અન્ય હિસ્સામાં થયેલા જાનમાલના નુકસાન પર દુખ વ્યક્ત કર્યું અને આર્થિક મદદ આપવાની જાહેરાત કરી. ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી તબાહી, 33 લોકોના મોત, જાણો વિગતે ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં અને કરાં પડ્યા, જાણો વિગતमोदी जी , आप देश के पीएम ना कि गुजरात के। एमपी में भी बेमौसम बारिश व तूफ़ान के कारण आकाशीय बिजली गिरने से 10 से अधिक लोगों की मौत हुई है।लेकिन आपकी संवेदनाएँ सिर्फ़ गुजरात तक सीमित ? भले यहाँ आपकी पार्टी की सरकार नहीं है लेकिन लोग यहाँ भी बस्ते है।
— Office Of Kamal Nath (@OfficeOfKNath) April 17, 2019
પીએમઓ એ ટ્વિટ કર્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર અને દેશના અન્ય ભાગમાં કમોસમી વરસાદ અને વાવાઝોડામાં જીવ ગુમાવનાર લોકો પ્રતિ દુખ વ્યક્ત કર્યું, તેઓએ કહ્યું કે કમોસમી વરસાદથી પ્રભાવિત લોકોને તત્કાળ રાહત પુરી પાડવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. પીએમ મોદીએ મૃતકોના પરિવાર માટે 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.PM @narendramodi has expressed grief at the loss of lives due to unseasonal rains and storms in MP, Rajasthan, Manipur & various parts of the country. The government is doing its best to provide all possible assistance to those affected. The situation is being monitored closely.
— PMO India (@PMOIndia) April 17, 2019






















