શોધખોળ કરો

Myanmar Earthquake: મુસ્લિમ પર કહેર બની તૂટ્યો ભૂકંપ, 700 નમાઝીઓના મૃત્યુ, 60થી વધુ મસ્જિદ ધ્વંશ

Myanmar Earthquake: મ્યાનમારમાં 7.7ની તીવ્રતાના ભૂકંપના કારણે મસ્જિદોમાં 700થી વધુ નમાઝીઓ દબાઇ ગયા.. 60થી વધુ મસ્જિદો ધ્વંશ થઇ ગઇ.

Myanmar Earthquake Muslim Death: પવિત્ર રમઝાન મહિનામાં શુક્રવારની નમાજ દરમિયાન મ્યાનમારમાં 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ભયંકર તબાહી સર્જાઈ હતી. સ્પ્રિંગ રિવોલ્યુશન મ્યાનમાર મુસ્લિમ નેટવર્ક અનુસાર, આ દુર્ઘટનામાં 700 થી વધુ  નમાઝી મસ્જિદોની અંદર દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. મ્યાનમારના મંડલેમાં આવેલા ખતરનાક ભૂકંપમાં હજારો લોકોના મોત થયા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, કુલ 1700 લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન, 60 મસ્જિદો સંપૂર્ણપણે નાશ પામી હતી. તેનું મુખ્ય કારણ જૂનું માળખું હોવાનું માનવામાં આવે છે.

 સ્પ્રિંગ રિવોલ્યુશન મ્યાનમાર મુસ્લિમ નેટવર્કના સભ્ય તુન કીએ જણાવ્યું હતું કે શુક્રવારે  ભૂકંપ આવ્યો ત્યારે મસ્જિદોમાં નમાઝીઓથી ભરેલી હતી. જેના કારણે ઘણી મસ્જિદો ધરાશાયી થઈ ગઈ અને સેંકડો લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. ઈરાવાડી ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ દ્વારા શેર કરવામાં આવેલ વિડીયોમાં ઘણી મસ્જિદો ધરાશાયી થતી જોવા મળી હતી અને લોકો પોતાનો  જીવ  બચાવવા માટે ભાગતા જોવા મળ્યા હતા. આમાંની ઘણી મસ્જિદો ઐતિહાસિક ઈમારતો હતી, જે ભૂકંપના આંચકા સામે ટકી શકતી ન હતી.

શું મસ્જિદોમાં માર્યા ગયેલા લોકોનો સત્તાવાર આંકડાઓમાં સમાવેશ થાય છે?

સરકારી અહેવાલ મુજબ, મૃત્યુઆંક 1,700 થી વધુ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મસ્જિદોમાં માર્યા ગયેલા 700+ લોકો આ આંકડામાં સામેલ છે કે નહીં. આ વિનાશક દુર્ઘટનામાં  બચાવ દળ અને રાહત સંસ્થાઓ ઝડપથી રાહત કાર્યમાં લાગી ગઈ છે. જોકે, મ્યાનમારમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતાને કારણે રાહત કામગીરીમાં અનેક અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.

2025ની સૌથી વધુ ભયંકર કુદરતી આફતોમાંથી એક

મ્યાનમારનો ભૂકંપ એ 2025 ની સૌથી ભયાનક કુદરતી આફતો પૈકીની એક છે. 700 થી વધુ નમાઝીના મૃત્યુએ આ દુર્ઘટનાને વધુ પીડાદાયક બનાવી છે. પીડિતોને રાહત, બચાવ અને સહાયની સખત જરૂર છે.   

દેશના સૈન્ય નેતૃત્વ અનુસાર,  મ્યાનમારના 7.7-તીવ્રતાના વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 1,644 પર પહોંચી ગયો છે, જ્યારે 3,408 લોકો ઘાયલ થયા છે અને 139 હજુ પણ ગુમ છે. 28 માર્ચે મધ્ય મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે વ્યાપક વિનાશ થયો છે. અનેક ઇમારતો  અનેઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને હજારો લોકો બેઘર થયા છે.

ભૂકંપના આ ઝટકા મ્યાનમાર, થાઈલેન્ડ અને ચીનના યુનાન પ્રાંતમાં અનુભવાયા હતા, જેમાં બેંગકોકમાં નિર્માણાધીન એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હતી. માંડલે અને તેની આસપાસના શહેરો, જેમાં ટૌંગૂ અને ઓંગબનનો સમાવેશ થાય છે, સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે

                      

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
Embed widget