Haryana: લોકસભાની ચૂંટણી વચ્ચે આ રાજ્યમાં ભાજપ સરકારે બહુમતી ગુમાવી, અપક્ષ ધારાસભ્યોએ આપ્યું કોંગ્રેસને સમર્થન
Nayab Singh Saini News: હરિયાણામાં નાયબ સિંહ સૈની સરકાર સામે આંકડાનું સંકટ આવી ગયું છે. સરકાર હવે લઘુમતીમાં આવી ગઈ છે. હરિયાણા કોંગ્રેસે આ દાવો કર્યો છે. અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.

Nayab Singh Saini News: હરિયાણામાં નાયબ સિંહ સૈની સરકાર સામે આંકડાનું સંકટ આવી ગયું છે. સરકાર હવે લઘુમતીમાં આવી ગઈ છે. હરિયાણા કોંગ્રેસે આ દાવો કર્યો છે. અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. જેના કારણે આ સંકટ ઊભું થયું છે. હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાને કહ્યું કે હરિયાણા વિધાનસભાની વર્તમાન સંખ્યા 88 છે. ભાજપના 40 સભ્યો છે. અગાઉ ભાજપ સરકારને જેજેપી અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હતું, પરંતુ હવે જેજેપી અને અપક્ષો સાથ છોડી રહ્યા છે. આવી સ્થિતિમાં સૈની સરકારે બહુમતી ગુમાવી દીધી છે અને તેમને એક મિનિટ પણ સરકારમાં રહેવાનો અધિકાર નથી.
#WATCH | Rohtak | Independent MLA from Haryana, Randhir Golan withdraws support from the Haryana govt, he says, "For the last 4.5 years, we extended support to the BJP. Today unemployment and inflation are at their highest. Looking at this, we have withdrawn our support (from the… pic.twitter.com/lNqo1NWobw
— ANI (@ANI) May 7, 2024
આ ત્રણ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લીધો
હકીકતમાં, લોકસભા ચૂંટણી દરમિયાન, હરિયાણાની ભાજપ સરકારને આંચકો ત્યારે લાગ્યો જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્યો સોમબીર સાંગવાન, રણધીર ગોલન અને ધરમપાલ ગોંદરે પોતાનું સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય કર્યો. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. રોહતકમાં હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને ઉદય ભાનની હાજરીમાં અપક્ષ ધારાસભ્યોએ આ જાહેરાત કરી હતી.
ધરમપાલ ગોંદરે કારણ જણાવ્યું
ધરમપાલ ગોંડરે કહ્યું, અમે સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી રહ્યા છીએ. અમે કોંગ્રેસને અમારું સમર્થન આપી રહ્યા છીએ. અમે ખેડૂતોના મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર આ નિર્ણય લીધો છે. જ્યારે ઉદય ભાને કહ્યું, ત્રણ અપક્ષ ધારાસભ્યો સોમબીર સાંગવાન, રણધીર ગોલન અને ધરમપાલ ગોંડરે ભાજપ સરકારમાંથી તેમનો ટેકો પાછો ખેંચી લીધો છે અને કોંગ્રેસને સમર્થન આપ્યું છે.
દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ શું કહ્યું?
આ દરમિયાન રોહતક લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ ભાજપની વિરુદ્ધ થઈ ગઈ છે. પરિવર્તન નિશ્ચિત છે. ભાજપ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. તેઓએ 48 ધારાસભ્યોની યાદી આપી છે, જેમાંથી કેટલાકે રાજીનામું આપી દીધું છે કારણ કે તેઓ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કેટલાક અપક્ષ ધારાસભ્યોએ આજે ભાજપમાંથી ટેકો પાછો ખેંચી લીધો અને કોંગ્રેસને સમર્થન આપ્યું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
