શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નિર્ભયા કેસ: દોષિત અક્ષયે SCમાં પુનર્વિચાર અરજીમાં કહ્યું- દિલ્હીમાં આમ પણ લોકો પ્રદુષણથી મરી રહ્યાં છે, મને ફાંસી કેમ ?
16 ડિસેમ્બર 2012ના રોજ પેરામિડકલની વિદ્યાર્થીની સાથે ચાલુ બસે રેપ અને મારપીટ કરાઇ હતી, પીડિતાનું 29 ડિસેમ્બરે મૃત્યુ થયું હતું. સુપ્રીમ કોર્ટે 5 મે, 2017ના રોજ ચારેય દોષીતોને ફાંસીની સજા સંભળાવી હતી.
![નિર્ભયા કેસ: દોષિત અક્ષયે SCમાં પુનર્વિચાર અરજીમાં કહ્યું- દિલ્હીમાં આમ પણ લોકો પ્રદુષણથી મરી રહ્યાં છે, મને ફાંસી કેમ ? nirbhaya case convict akshay files review petition in supreme court નિર્ભયા કેસ: દોષિત અક્ષયે SCમાં પુનર્વિચાર અરજીમાં કહ્યું- દિલ્હીમાં આમ પણ લોકો પ્રદુષણથી મરી રહ્યાં છે, મને ફાંસી કેમ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/10204818/nirbhaya-convict.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: સતયુગ અને ત્રેતા યુગમાં લોકો હજારો વર્ષ સુધી જીવતા હતા. ત્રેતા યુગના લોકોની ઉંમર હજારો વર્ષની હતી. દ્વાપર યુગમાં લોકો સેંકડો વર્ષ સુધી જીવતા હતા. હવે કળીયુગ છે, જેમાં 50-60 વર્ષની ઉંમર હોય છે. મને ફાંસી આપીને ઉંમરને ઓછી કરવાની શું જરૂર છે ? આ વિચિત્ર દલિલ નિર્ભયા રેપના આરોપી અક્ષયની છે. જેણે ફાંસીની સજા પર પુનર્વિચાર અરજી કરતા વખતે આ દલીલો આપી છે.
નિર્ભયા રેપ કેસના દોષિત અક્ષયે વેદ, પુરાણ અને ઉપનિષદ જેવા ગ્રંથોનો હવાલો પણ આપ્યો છે. એટલું જ નહીં તેની વિચિત્ર દલીલ દિલ્હીના પ્રદુષણને લઈને પણ આપી છે. તેણે અરજીમાં લખ્યું કે, દિલ્હીમાં ખૂબજ વાયુ પ્રદુષણ છે. શહેર ગેસ ચેમ્બર બની ગયું છે. પાણીની ક્વાલિટી પણ ખરાબ છે. જેનાથી લોકો આમ પણ મરી રહ્યાં છે તો, મને ફાંસીની સજા આપવાની શું જરૂર છે ?
વકીલ એ.પી. સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં મહાત્મા ગાંધીનો હવાલો પણ આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મહાત્મા ગાંધી કહેતા હતા કે જ્યારે કોઈ નિર્ણય લેતી વખતે શંકા હોય તો સમાજના તે સૌથી ગરીબ વ્યક્તિનો ચહેરો યાદ કરો, વિચારો કે શું આ નિર્ણયથી તેને કોઈ લાભ થશે. શંકા દુર થઈ જશે. મને ફાંસી આપવાથી કોઈને લાભ થશે નહીં.
ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બર 2012ના રોજ પેરામિડકલની વિદ્યાર્થીની સાથે ચાલુ બસે રેપ અને મારપીટ કરાઇ હતી, પીડિતાનું 29 ડિસેમ્બરે મૃત્યુ થયું હતું. સુપ્રીમ કોર્ટે 5 મે, 2017ના રોજ ચારેય દોષીતોને ફાંસીની સજા સંભળાવી હતી. હવે આરોપી અક્ષયે આ નિર્ણય પર પુનર્વિચારની માંગ કરી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે 9 જુલાઈ, 2018ના રોજ ત્રણ દોષીતો મુકેશ, વિનય અને પવનની પુનર્વિચાર અરજી ફગાવી દીધી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)