શોધખોળ કરો

હિંદુ હોય કે મુસલમાન, તમામ ધર્મો માટે છે એક બંધારણ, વકફ પર નવા કાયદાથી મળશે મજબૂતીઃ બાબા રામદેવ

વકફ પર નવા કાયદાઓ બનવાથી આ વ્યવસ્થા વધુ મજબૂત બનશે.

Baba Ramdev News: યોગ ગુરુ બાબા રામદેવે આજે ઉત્તરાખંડના હરિદ્વારમાં આયોજિત એક કાર્યક્રમમાં વકફ (સુધારા) બિલ અંગે મોટું નિવેદન આપ્યું હતું. બાબા રામદેવે કહ્યું હતું કે ભારતમાં હિન્દુઓ, મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ, જૈનો અને બૌદ્ધો તમામ માટે સમાન રીતે એક જ બંધારણ છે, એટલે કે બધા માટે એક જ કાનૂની વ્યવસ્થા છે. વકફ પર નવા કાયદાઓ બનવાથી આ વ્યવસ્થા વધુ મજબૂત બનશે. રામનવમી નિમિત્તે દિવ્ય યોગ મંદિર (ટ્રસ્ટ), કૃપાલુ બાગ આશ્રમ અને દિવ્ય યોગ મંદિર રામમુલખ દરબારનું વિલિનિકરણ થયું હતું. દિવ્ય યોગ મંદિર રામ મુલખ દરબારે પતંજલિ યોગપીઠમાં પોતાનું વિલીન થઈ ગયું છે. આ કાર્યક્રમ દરમિયાન બાબા રામદેવે પત્રકારોના સવાલ પર આ વાત કરી હતી.

વકફ કાયદા પર એક સવાલનો જવાબ આપતા સ્વામી રામદેવે કહ્યું હતું કે, "સમગ્ર ભારતમાં હિન્દુઓ, મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ, જૈનો અને બૌદ્ધો તમામ માટે સમાન રીતે એક બંધારણ છે. વકફ કાયદો બનવાથી આ વ્યવસ્થાને મજબૂતી મળશે. જો વકફ કાયદો નહીં બને તો દેશભરમાં વિવિધ સમુદાયના લોકો અલગ અલગ બોર્ડ બનાવવાની માંગ કરતા રહેશે. તેમણે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો વકફ કાયદાનો વિરોધ મતોની રાજનીતિ માટે કરી રહ્યા છે. સ્વામી રામદેવે ઉત્તરાખંડ સરકાર દ્વારા ગામોનું નામ બદલવાનું પણ સમર્થન કર્યું હતું.

મુસ્લિમો પણ જાણે છે કે રામ તેમના પૂર્વજ છે - બાબા રામદેવ

પશ્ચિમ બંગાળમાં રામ નવમીની શોભાયાત્રા પરનો પ્રતિબંધ હટાવવાના મુદ્દા પર સ્વામી રામદેવે કહ્યું હતું કે, આ પ્રકારના પ્રતિબંધો રાજનીતિથી પ્રેરિત થઇને વોટ બેન્કના ધ્રુવીકરણ માટે લાદવામાં આવે છે. રામનવમી, જન્માષ્ટમી અને ઈદ જેવા ધાર્મિક તહેવારો પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ. ભારત સનાતનનો દેશ છે, રામ, કૃષ્ણ, હનુમાન, શિવનો દેશ છે. આમાં દરેક માટે આદર છે. કોઈએ કોઈને નફરત ન કરવી જોઈએ. હિન્દુત્વ કોઈને નફરત કરતું નથી. મુસ્લિમો પણ પોતાના ઇમાન, ધર્મમાં માને છે પરંતુ તેઓ પણ જાણે છે કે રામ તેમના પૂર્વજ પણ છે."

વિલયને લઇને સ્વામી રામદેવે કહ્યું કે 30 વર્ષ પહેલાં અમે સંન્યાસ લીધા પછી અમારી સંસ્થાનું નામ દિવ્ય યોગ મંદિર (ટ્રસ્ટ) રાખ્યું હતું. બાદમાં અમને જાણવા મળ્યું કે યોગેશ્વર સ્વામી રામ લાલજીની સંસ્થા દિવ્ય યોગ મંદિર રામમુલખ દરબાર પહેલાથી જ અસ્તિત્વમાં છે. એ અદભૂત સંયોગ છે કે આજે બંને સંસ્થાઓ એક થઈ ગઈ છે. યોગની પરંપરાને અકબંધ રાખવા માટે યોગાચાર્ય સ્વામી લાલ મહારાજે આ આહુતિ રામ નવમીના શુભ અવસર પર પતંજલિ યોગપીઠને અર્પિત કરી છે.

યોગ પર રામદેવ જેવું કામ કોઈ કરી શકશે નહીં - સ્વામી લાલ મહારાજ

કાર્યક્રમમાં પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણએ તમામ દેશવાસીઓને રામ નવમીની શુભેચ્છા પાઠવતા કહ્યું કે ભગવાન રામ આપણા જીવનમાં, ઉર્જામાં, સેવા કાર્યોમાં અને ભાવનાઓમાં જાગૃત થાય જેથી આપણે પરસ્પર સુમેળ સાથે એક થઈને રાષ્ટ્ર સેવા અને સર્જનનું કાર્ય કરી શકીએ. યોગાચાર્ય સ્વામી લાલ મહારાજે કહ્યું કે સ્વામી રામદેવજી મહારાજે યોગને ઘરે ઘરે પ્રતિષ્ઠિત કરવા માટે જે કાર્ય કર્યું છે તે પહેલાં ક્યારેય કોઈએ કર્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈ કરી શકશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
Embed widget