શોધખોળ કરો

Operation Ajay: ઇઝરાયલથી વધુ 286 નાગરિકો સાથેનું વિમાન દિલ્હી પરત ફર્યું, 18 નેપાળીઓને પણ યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢ્યા

Israel Hamas War: ઓપરેશન અજયના પાંચમા તબક્કા હેઠળ, ભારતીય નાગરિકોની સાથે 18 નેપાળી નાગરિકોને પણ સ્પાઇસજેટ ચાર્ટર્ડ પ્લેન દ્વારા નવી દિલ્હી લાવવામાં આવ્યા છે. હાલ આ ઓપરેશન યથાવત રહેશે...

Israel Palestinian Conflict: પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલા બાદ, ભારત સરકારના "ઓપરેશન અજય" હેઠળ 286 વધુ નાગરિકોને ઈઝરાયેલના યુદ્ધ વાતાવરણમાંથી બહાર કાઢીને નવી દિલ્હી લાવવામાં આવ્યા છે. જેમાં નેપાળના 18 નાગરિકો પણ સામેલ છે.

માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને આ તમામ નાગરિકોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ તમામને ઓપરેશનના ભાગરૂપે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઘરે લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ઓપરેશન અજય અંતર્ગત પાંચમી ફ્લાઈટમાં 18 નેપાળી નાગરિકો સહિત 286 મુસાફરો આવ્યા છે.

ઓપરેશન અજયની પાંચમી ફ્લાઇટ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેમણે એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કરતા માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગનની તસવીરો પણ શેર કરી હતી. કેરળ સરકારના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ દ્વારા આવેલા મુસાફરોમાં રાજ્યના 22 લોકો હતા.

સ્પાઈસ જેટનું વિમાન ખરાબ થઈ ગયું

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સ્પાઈસજેટ એરક્રાફ્ટ A340માં રવિવારે તેલ અવીવમાં લેન્ડિંગ બાદ ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી. સમસ્યાને દૂર કરવા માટે પ્લેનને બાદમાં જોર્ડન રવાના કરવામાં આવ્યું હતું. સમસ્યાને ઠીક કર્યા પછી, વિમાન લોકોને લઈને મંગળવારે તેલ અવીવથી પરત ફર્યું. આ વિમાન મૂળ સોમવારે સવારે રાષ્ટ્રીય રાજધાની પરત ફરવાનું હતું.

હેલ્પલાઇન ઇઝરાયેલ અને નવી દિલ્હીમાં સતત કાર્યરત છે

ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે 24 કલાકનો હેલ્પલાઇન નંબર શરૂ કર્યું છે જેથી ત્યાં રહેતા ભારતીયોને તમામ પ્રકારની મદદ મળી શકે. નવી દિલ્હીમાં એક કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે જે 24 કલાક ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં ભારતીયોની સ્થિતિ પર નજર રાખે છે. કંટ્રોલ રૂમ માટે ફોન નંબર 1800118797 (ટોલ ફ્રી), +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905 અને +919968291988 છે. મદદ માટેનો ઈમેલ ID situation@mea.gov.in છે.

તલલ અવીવમાં ભારતીય દૂતાવાસે પણ 24-કલાકની ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો +972-35226748 અને +972-543278392 જારી કર્યા છે. આ સાથે લોકોની મદદ માટે ઈમેલ આઈડી cons1.telaviv@mea.gov.in પણ જારી કરવામાં આવ્યું છે.

ભારત સરકાર પોતાના ખર્ચે ભારતીયોને લાવે છે

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોની સંખ્યા 18000 છે. આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ, આઇટી પ્રોફેશનલ્સ અને બિઝનેસમેનનો સમાવેશ થાય છે. ભારત પરત ફરી રહેલા લોકોને પરત લાવવાનો ખર્ચ સરકાર પોતે ઉઠાવી રહી છે. જો કે, દિલ્હી પરત ફર્યા પછી, નાગરિકો પોતપોતાના ખર્ચે પોતપોતાના રાજ્યોમાં જઈ રહ્યા છે અથવા રાજ્ય સરકારો તે ભોગવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget