શોધખોળ કરો

પિક્ચર અભી બાકી હૈ! પાકિસ્તાનમાં ૯ આતંકી કેમ્પ ઉડાવી દીધા, હજુ ૧૨ બાકી! લિસ્ટ તૈયાર છે અને અર્મી....

પહેલગામ હુમલાના ૧૫ દિવસ બાદ ભારતે ૬-૭ મેની રાત્રે પાકિસ્તાન અને PoK માં મિસાઈલ સ્ટ્રાઈક કરી, વાયુસેનાના રાફેલ સુખોઈ અને સેનાની આર્ટિલરીનો ઉપયોગ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આપી મહત્વપૂર્ણ માહિતી

Operation Sindoor next targets: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા ભયાનક આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે પાકિસ્તાનને તેના કૃત્યનો જડબાતોડ જવાબ આપતા એક મોટી લશ્કરી કાર્યવાહી હાથ ધરી છે. ૬ ૭ મે, ૨૦૨૫ ની રાત્રે ભારતે 'ઓપરેશન સિંદૂર' હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આવેલા આતંકવાદી ઠેકાણાંઓનો નાશ કર્યો.

૨૧માંથી ૯ આતંકી ઠેકાણાં નષ્ટ, ૧૨ હજુ બાકી:

ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન અને PoK માં કુલ ૨૧ આતંકવાદી કેમ્પો અને ઠેકાણાંની ઓળખ કરી હતી. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન, ભારતીય વાયુસેના અને સેના દ્વારા સંયુક્ત રીતે આમાંથી ૯ આતંકવાદી ઠેકાણાંઓનો મિસાઈલ હુમલાઓ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. જોકે, હજુ પણ ૧૨ આતંકવાદી ઠેકાણાં બાકી હોવાનું સામે આવ્યું છે.

વાયુસેના અને સેના દ્વારા સંયુક્ત કાર્યવાહી:

'ઓપરેશન સિંદૂર' માં ભારતીય વાયુસેના અને સેનાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. વાયુસેનાના રાફેલ અને સુખોઈ લડાકુ વિમાનોએ પાકિસ્તાનમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટ જેવા વિસ્તારોમાં આવેલા આતંકી ઠેકાણાંઓ પર હુમલો કર્યો. બાકીના છ ઠેકાણાં (જે PoK માં સ્થિત હતા) સેના દ્વારા આર્ટિલરી ફાયરિંગ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પહેલગામ હુમલાના બરાબર ૧૫ દિવસ પછી કરીને ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ કાર્યવાહી અત્યંત ચોકસાઈ સાથે હાથ ધરવામાં આવી હતી, જેમાં હુમલા માટે જવાબદાર જૂથો સાથે જોડાયેલા આતંકવાદી માળખાને જ નિશાન બનાવવામાં આવ્યું હતું. ભારત સરકારે પુષ્ટિ આપી કે તમામ નવ લક્ષ્યો પર સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાનમાં કોઈ નાગરિક કે લશ્કરી માળખાને નુકસાન થયું ન હતું.

पाकिस्तान पर अगला हमला...ऑपरेशन सिंदूर के 21 टारगेट, 9 डन, 12 बाकी, पढ़ें पूरी लिस्ट

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આપી મહત્વપૂર્ણ માહિતી:

'ઓપરેશન સિંદૂર' પછી, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ મહત્વપૂર્ણ કાર્યવાહી અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે પહેલગામ હુમલો કાયરતાની નિશાની હતી, જેમાં લોકોને તેમના પરિવારોની સામે મારી નાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, "અમે પાકિસ્તાન અને PoK માં ૯ લક્ષ્યો પસંદ કર્યા હતા અને સ્ટ્રાઈકમાં તેમને નષ્ટ કર્યા હતા. ઓપરેશન દરમિયાન, અમે ખાતરી કરી કે નિર્દોષ લોકો અને નાગરિક માળખાને નુકસાન ન થાય."

વિક્રમ મિશ્રીએ વધુમાં કેટલાક પસંદગીના લક્ષ્યોની વિગતો પણ આપી. તેમણે જણાવ્યું કે PoK માં પહેલું લક્ષ્ય મુઝફ્ફરાબાદમાં આવેલું સવાઈ નાલા હતું, જે લશ્કર એ તૈયબાનું તાલીમ કેન્દ્ર હતું. સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ હુમલાના આતંકવાદીઓ અહીં જ તાલીમ લેતા હતા. મુઝફ્ફરાબાદમાં જ આવેલો સૈયદના બિલાલ કેમ્પ પણ એક લક્ષ્ય હતો, જ્યાં આતંકવાદીઓને શસ્ત્રો, વિસ્ફોટકો અને જંગલમાં બચવાની તાલીમ આપવામાં આવતી હતી. આ ઉપરાંત, સિયાલકોટમાં આવેલો સરજલ કેમ્પ પણ હુમલાનો એક ભાગ હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
Embed widget