શોધખોળ કરો

PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી નવી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે 'વિશ્વકર્મા યોજના'નો ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલી તમામ યોજનાઓ અને તેમની સફળતાનો ઉલ્લેખ કર્યો.

India Independence Day 2023: દેશના 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લાલ કિલ્લાની કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો. આ પછી તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ગરીબો સુધી પહોંચેલી તમામ યોજનાઓનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચી પરથી દેશવાસીઓને આવાસ યોજનાથી લઈને સ્વાનિધિ યોજના સુધીની સફળતા વિશે જણાવ્યું. આ સાથે પીએમે વિશ્વકર્મા જયંતિ પર નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી સમયમાં વિશ્વકર્મા જયંતિ પર અમે 13-15 હજાર કરોડ રૂપિયા સાથે નવી તાકાત આપવા માટે આવતા મહિનામાં 'વિશ્વકર્મા યોજના' શરૂ કરીશું. પીએમએ કહ્યું કે સરકાર આ યોજના દ્વારા પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને મદદ કરશે. આમાં, સોની, લુહાર, વાળંદ અને મોચી જેવા પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને સામેલ કરવામાં આવશે અને તેમને સહાય આપવામાં આવશે.

8 કરોડ લોકોએ બિઝનેસ શરૂ કર્યો

પીએમ મોદીએ કહ્યું કે આજે દેશની ક્ષમતા વધી રહી છે. જો ગરીબો માટે એક-એક પૈસો ખર્ચતી સરકાર હોય તો તેનું પરિણામ શું આવે છે તે જોઈ શકાય છે. હું ત્રિરંગા નીચેથી 10 વર્ષનો હિસાબ આપી રહ્યો છું.

પીએમ મોદીએ કહ્યું કે મુદ્રા યોજનામાંથી યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 20 લાખ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે. આ યોજના દ્વારા આઠ કરોડ લોકોએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે અને દરેક વ્યવસાયે 1-2 લોકોને રોજગારી આપી છે.

પીએમ મોદીએ કહ્યું કે અમે લાખો કરોડનું કૌભાંડ અટકાવ્યું છે અને ગરીબોના કલ્યાણ માટે વધુને વધુ પૈસા ખર્ચ્યા છે. પીએમએ કહ્યું કે અગાઉ કેન્દ્ર દ્વારા રાજ્યને 30 લાખ કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં અમે તેને વધારીને 100 લાખ કરોડ રૂપિયા કરી દીધા છે.

પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે મને દેશની યુવા શક્તિમાં વિશ્વાસ છે. યુવા શક્તિમાં ક્ષમતા છે અને અમારી નીતિઓ પણ એ જ યુવા શક્તિને વધુ બળ આપવા માટેની છે. આપણા દેશના યુવાનોએ ભારતને વિશ્વની પ્રથમ 3 સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સ્થાન અપાવ્યું છે. આજે વિશ્વના યુવાનો ભારતની આ ક્ષમતા જોઈને આશ્ચર્યચકિત છે.               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget