શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
PM મોદીએ ખેડૂત સન્માન યોજના કરી લોન્ચ, 12 કરોડ ખેડૂતોને થશે ફાયદો
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજનાને ડિઝિટલી લોન્ચ કરી હતી. આ સાથે જ આ યોજના હેઠળ ખેડૂતોને 2000 રૂપિયાનો પ્રથમ હપ્તો ચૂકવી દીધો હતો. પ્રથમ હપ્તા સ્વરૂપે ખેડૂતોને કુલ 2,021 કરોડ રૂપિયા જાહેર કરી દેવામાં આવી છે. આ યોજનાથી 12 કરોડથી વધુ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની વાર્ષિક ગેરન્ટી આવક થશે, આ કેન્દ્ર સરકારની નવી યોજના છે જેની જાહેરાત 2019ના બજેટમાં કરવામાં આવી હતી. આ યોજના તમામ નાના અને ઓછી જમીન ધરાવતા ખેડૂત પરિવારોની મદદ માટે લોન્ચ કરવામાં આવી છે. આ ખેડૂત યોજનાનો ઉદેશ્ય ખેતી અને સ્થાનિક જરૂરિયાતોને પુરી કરવામાં આર્થિક મદદ આપવાનો છે.
આ યોજનાનો લાભ એ ખેડૂત પરિવારોને થશે જેમની પાસે બે હેક્ટર સુધીની જમીન ધરાવે છે. એક ફેબ્રુઆરી 2019 સુધી જે ખેડૂતોના નામ રાજ્યના લેન્ડ રેકોર્ડ્સમાં જોવા મળશે તેમને આ યોજનાનો લાભ મળશે. સરકારી કર્મચારીઓની વાત કરીએ તો મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, ક્લાસ-4 અને ગ્રુપ-ડીના કર્મચારીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. નાના ખેડૂત પરિવારોની વ્યાખ્યામાં એવા પરિવારનો સમાવેશ થાય છે જેમાં પતિ-પત્ની અને 18 વર્ષની ઉંમરના બાળકો હોય અને આ તમામ લોકો સામૂહિક રીતે બે હેક્ટર એટલે કે પાંચ એકર સુધીની જમીન પર ખેતી કરતા હોય. આ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો વર્ષમાં ત્રણ વખત આપવામાં આવશે. આ યોજનાનો ફાયદો મેળવનારા ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.PM Narendra Modi in Gorakhpur on launch of #PMKisan Yojna: Desh ke 1.1 crore kisaano ke bank khaaton mein is yojna ki pehli kisht transfer karane ka saubhagya mujhe mila hai. Aaj etihaasik din hai pic.twitter.com/GQfQqZxlPf
— ANI UP (@ANINewsUP) February 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion