શોધખોળ કરો

ઈઝરાયલ પર આતંકી હુમલાઓને લઈ PM મોદીએ દુખ વ્યક્ત કર્યું, બોલ્યા- અમે નિર્દોષ પીડિતો સાથે 

ઇઝરાયેલ પર શનિવારે (7 ઓક્ટોબર) પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા  રોકેટ હુમલા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે નિર્દોષ પીડિતોની સાથે છીએ.

Israel Attack: ઇઝરાયેલ પર શનિવારે (7 ઓક્ટોબર) પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા  રોકેટ હુમલા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે નિર્દોષ પીડિતોની સાથે છીએ. તેમણે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર લખ્યું, "ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો. અમારી પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકજૂટતા સાથે ઊભા છીએ."


બેન્જામિન નેતન્યાહુએ શું કહ્યું ? 

હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આમાં તેણે દેશની જનતાને કહ્યું કે, અમે યુદ્ધમાં છીએ. 

ઈઝરાયેલે શું કહ્યું ? 

એસોસિએટ પ્રેસ (એપી) અનુસાર, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે કહ્યું કે હમાસે અમારી વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે. આમાં ફક્ત અમે જ જીતીશું. એપીએ અન્ય એક અહેવાલમાં જણાવ્યું છે કે ઇઝરાયેલના બચાવ સેવા વિભાગે જણાવ્યું હતું કે હમાસના હુમલાને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 22 લોકોએ જીવ ગુમાવ્યા છે.

વધુમાં, ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીની નજીકના શહેરોના રહેવાસીઓને તેમના ઘરોમાં રહેવા અને બાકીના લોકોને બોમ્બથી બચાવતા  આશ્રયસ્થાનોની નજીક રહેવા સૂચનાઓ જારી કરી છે. આ સિવાય ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ પણ કહ્યું કે હમાસને તેની કિંમત ચૂકવવી પડશે. અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. 

મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેની સ્થિતિ ફરી એકવાર વણસી ગઈ છે. હમાસના ઉગ્રવાદીઓએ શનિવારે (7 ઓક્ટોબર 2023) વહેલી સવારે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો. સૌપ્રથમ તેઓએ ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા અને પછી જમીન દ્વારા સતત હુમલો કરીને તેઓ ઇઝરાયેલમાં પ્રવેશ્યા.

કેટલાક ઉગ્રવાદીઓ પેરાગ્લાઈડરનો ઉપયોગ કરીને સરહદમાં પ્રવેશ્યા હતા. કેટલાક ઉગ્રવાદીઓ રસ્તા દ્વારા ઇઝરાયેલમાં પ્રવેશ્યા અને તેઓએ જોયેલા દરેકને ગોળી મારી દીધી. આ અચાનક મોટા પાયે થયેલા હુમલા બાદ ઈઝરાયેલમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાત્કાલિક ઈમરજન્સી બેઠક બોલાવી છે અને દેશમાં યુદ્ધની જાહેરાત કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર 5 હજારથી વધુ રોકેટ છોડ્યા છે. પેલેસ્ટિનિયન ઉગ્રવાદીઓએ ગાઝા પટ્ટી દ્વારા ઇઝરાયેલ પર હુમલો કર્યો અને તેની સરહદમાં પ્રવેશ કર્યો.

ઇઝરાયલી લોકોને ઘરે જ રહેવાનો આદેશ આપ્યો 

સીએનએન અનુસાર, રોકેટ હુમલા બાદ તરત જ વડાપ્રધાન નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું કે પીએમ અને સંરક્ષણ મંત્રી તેલ અવીવમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે. દેશના તમામ નાગરિકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દરેકને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. હમાસના હુમલા બાદ મીડિયા સમક્ષ હાજર થયેલા ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ એક વીડિયો જાહેર કર્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
Embed widget