જી-7 સમિટમાંથી પરત ફરતા સમયે અમેરિકા આવી શકો છો? ટ્રમ્પના સવાલ પર PM મોદીએ શું આપ્યો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી ટેલિફોન પર વાતચીત થઈ હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી ટેલિફોન વાતચીત થઈ હતી. આ વાતચીત એવા સમયે થઈ જ્યારે G7 સમિટ દરમિયાન બંને નેતાઓની રૂબરૂ મુલાકાતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પરંતુ ટ્રમ્પના અચાનક અમેરિકા પાછા ફરવાને કારણે આ મુલાકાત શક્ય બની શકી નહીં.
#WATCH | Foreign Secretary Vikram Misri gives details on the teleconversation between PM Modi and US President Trump today over Operation Sindoor.
— ANI (@ANI) June 18, 2025
"PM Modi and President Trump were scheduled to meet on the sidelines of G7 Summit. President Trump had to return to the US early,… pic.twitter.com/LR9TXkygdh
જોકે, આ બંને નેતાઓ વચ્ચેની પહેલી વાતચીત નહોતી. અગાઉ 22 એપ્રિલે, પહલગામ આતંકવાદી હુમલા બાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ફોન કર્યો હતો અને આતંકવાદ સામે ભારતની લડાઈમાં સમર્થન વ્યક્ત કર્યું હતું.
Foreign Secretary Vikram Misri says, "PM Modi stressed that India never accepted mediation, it does not accept it now, nor will it ever do that. On this issue, there is full political unanimity."
— ANI (@ANI) June 18, 2025
(Pic: DD News) pic.twitter.com/31ZmVizdrM
અમેરિકામાં રોકાવાનું આમંત્રણ, પીએમ મોદીએ અસમર્થતા વ્યક્ત કરી
આ વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને કેનેડાથી પરત ફરતી વખતે શક્ય હોય તો અમેરિકામાં રોકાવાની વિનંતી કરી હતી પરંતુ પૂર્વનિર્ધારિત ક્રોએશિયા પ્રવાસને કારણે પીએમ મોદીએ નમ્રતાપૂર્વક તેમનું આમંત્રણ નકારી કાઢ્યું હતું.
#WATCH | Foreign Secretary Vikram Misri says, "PM Modi told President Trump clearly that during this entire series of incidents, never were talks held at any level on India-America trade deal and mediation between India and Pakistan by America. The talks regarding cessation of… pic.twitter.com/C0yoPGHC2j
— ANI (@ANI) June 18, 2025
બંને નેતાઓએ ટૂંક સમયમાં વ્યક્તિગત મુલાકાત વિશે વાત કરી હતી. આ અંગે પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ક્વાડની આગામી બેઠક માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું, જેનો રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વીકાર કર્યો અને કહ્યું કે તેઓ ભારત આવવા આતુર છે.
ઓપરેશન સિંદૂર પર પણ ચર્ચા થઈ
આ વાતચીતમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ઓપરેશન સિંદૂર પર પણ ચર્ચા થઈ હતી. વડા પ્રધાન મોદીએ સ્પષ્ટતા કરી કે ભારતે 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા અને આ કાર્યવાહી ચોક્કસ અને બિન-ઉશ્કેરણીજનક હતી.
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના દરમિયાન ભારત-અમેરિકા વેપાર ડીલ અથવા અમેરિકા દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી જેવા વિષયો પર કોઈ પણ સ્તરે કોઈ વાતચીત થઈ નથી.





















