President Droupadi Murmu Oath: દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, સંસદ ભવન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું
શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 10.15 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં શરૂ થશે જ્યાં મુખ્ય ન્યાયાધીશ એન.વી. રામન તેમને પદના શપથ લેવડાવશે.

Background
હેપ્પી કારગિલ વિજય દિવસ - દ્રૌપદી મુર્મુ
દ્રૌપદી મુર્મુએ ભાષણમાં આગળ કહ્યું, '26 જુલાઈ કારગિલ વિજય દિવસ પણ છે. આ દિવસ ભારતીય સેનાની બહાદુરી અને સંયમ બંનેનું પ્રતીક છે. આજે હું દેશની સેનાઓને અને દેશના તમામ નાગરિકોને કારગિલ વિજય દિવસની અગાઉથી શુભેચ્છા પાઠવું છું.’
દ્રૌપદી મુર્મુએ પોતાના ભાષણમાં કહ્યું...
દ્રૌપદી મુર્મુએ પોતાના ભાષણમાં કહ્યું, 'હું પણ દેશની પ્રથમ રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વતંત્ર ભારતના નાગરિકો પાસેથી જે અપેક્ષાઓ રાખી હતી તેને પૂર્ણ કરવા માટે આપણે આ અમૃતકાળમાં ઝડપી ગતિએ કામ કરવાનું છે. આ 25 વર્ષોમાં, અમૃતકાળની પ્રાપ્તિનો માર્ગ બે પાટા પર આગળ વધશે - દરેકનો પ્રયાસ અને દરેકની ફરજ.
I am the first President of the country who was born in independent India. We will have to speed up our efforts to meet the expectations that our freedom fighters had with the citizens of independent India: President Droupadi Murmu
— ANI (@ANI) July 25, 2022
(Source: Sansad TV) pic.twitter.com/dIkmQHqgiR
શપથ લીધા પછી દ્રૌપદીનું ભાષણ
દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. CJI NV રમન્નાએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ દ્રૌપદી મુર્મુએ ભાષણ આપ્યું હતું.
દ્રોપદી મૂર્મુએ ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા
દ્રોપદી મૂર્મુએ ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા
રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદને વિદાય
રાષ્ટ્રપતિ તરીકે સંસદ ભવનમાં રામનાથ કોવિંદને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

