PM Modi To Address Nation: PM મોદી સવારે નવ વાગ્યે દેશને કરશે સંબોધિત, PMOએ ટ્વિટ કરી આપી જાણકારી
વડાપ્રધાન આજે ઉત્તર પ્રદેશના મહોબા અને ઝાંસીના પ્રવાસ પર છે ત્યારે તે અગાઉ દેશને સંબોધિત કરશે.

PM Modi To Address Nation: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નવ વાગ્યે દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન ઓફિસે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. વડાપ્રધાન આજે ઉત્તર પ્રદેશના મહોબા અને ઝાંસીના પ્રવાસ પર છે ત્યારે તે અગાઉ દેશને સંબોધિત કરશે.
आज गुरु नानक जी का प्रकाश पर्व है।
— PMO India (@PMOIndia) November 19, 2021
आज पीएम @narendramodi सिंचाई परियोजनाओं का लोकार्पण करने यूपी के महोबा जाएंगे।
फिर शाम को वो झांसी में राष्ट्र रक्षा समर्पण पर्व में सम्मिलित होंगे।
जाने से पहले वो सुबह 9 बजे राष्ट्र के नाम संदेश देंगे।
પીએમઓએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે આજે ગુરુ નાનકજીનો પ્રકાશ પર્વ છે. આજે વડાપ્રધાન મોદી સિંચાઇ યોજનાઓનું લોકાર્પણ કરવા ઉત્તર પ્રદેશના મહોબા જશે. બાદમાં સાંજે ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં સામેલ થશે. ઉત્તર પ્રદેશ જતા અગાઉ તેઓ સવારે નવ વાગ્યે દેશને સંબોધિત કરશે.





















