શોધખોળ કરો

Punjab: ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવનારા પ્રવાસી પંજાબીઓને ભારત આવતા રોકી રહી છે કેન્દ્ર સરકાર, જાણો કોણે લગાવ્યો આરોપ?

અન્ય મુદ્દા પર બોલતા ધાલીવાલે કહ્યું હતું કે દેશની સરકારે વિદેશમાં રાજકીય આશ્રય મેળવનારાઓ માટે નક્કર પગલાં લેવા જોઈએ.

Punjab NEWS:  પંજાબના બિન-નિવાસી ભારતીય (એનઆરઆઈ) બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે બુધવારે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા તે અગાઉ ખેડૂત આંદોલનમાં સામેલ થનારા બિન-નિવાસી પંજાબીઓને ભારતમાં પ્રવેશ કરતા રોકવામાં આવી રહ્યા છે. ધાલીવાલ કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને પંજાબ સરકારના NRI બાબતોના વિભાગ દ્વારા સંયુક્ત રીતે આયોજિત 'વિદેશ સંપર્ક કાર્યક્રમ'માં બોલી રહ્યા હતા.

પ્રવાસી પંજાબીઓ સાથે વ્યવહાર નિંદનીય

મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું હતું કે  કેન્દ્ર સરકારે બિન-નિવાસી પંજાબીઓને "પરેશાન" કરવાનું બંધ કરવું જોઈએ. ધાલીવાલે એક જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં ભાગ લેનારા બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ને વિવિધ રીતે હેરાન કરવામાં આવે છે, તેમને ભારતમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા, અન્ય ઘણા લોકોના નામ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આવી કાર્યવાહી 'નિંદાપાત્ર' છે. તેમણે કહ્યું કે આ પ્રકારનું વર્તન બંધ થવું જોઈએ કારણ કે પ્રવાસી પંજાબીઓએ આ આંદોલનમાં  ભાગ લીધો હતો કારણ કે તેઓ તેમના દેશ અને તેમની જમીનને પ્રેમ કરે છે, તેથી તેઓ અહીંની પ્રગતિ વિશે પણ ચિંતિત છે. ધાલીવાલે કહ્યું કે પ્રવાસી પંજાબીઓ પ્રત્યે આ પ્રકારનું વર્તન કરવાથી વિદેશમાં ભારત સરકાર પ્રત્યે નકારાત્મક સંદેશ જાય છે, જેને રોકવો જોઈએ.

'વિદેશી પંજાબીઓને પણ પંજાબમાં જમીન ખરીદવાનો અધિકાર મળવો જોઈએ'

અન્ય મુદ્દા પર બોલતા ધાલીવાલે કહ્યું હતું કે દેશની સરકારે વિદેશમાં રાજકીય આશ્રય મેળવનારાઓ માટે નક્કર પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે રાજકીય આશ્રય લેનાર વ્યક્તિની સ્થિતિ ગમે તે હોય, પરંતુ એવી જોગવાઈ હોવી જોઈએ કે વિદેશમાં નાગરિકતા મેળવ્યા બાદ પણ તે પોતાના દેશમાં આવી શકે. આ સાથે ધાલીવાલે પ્રવાસી પંજાબીઓને પંજાબમાં જમીન ખરીદવાની મંજૂરીની પણ માંગ કરી હતી.

Bageshwar Dham: બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા

Bageshwar Dham News: પ્રખ્યાત કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. Y સુરક્ષામાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા વર્તુળમાં પોલીસકર્મીઓ સહિત આઠ જવાન સામેલ છે.

મળી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ 

તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમર સિંહ નામના વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના દીકરાને ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, "ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર સાથે તેરમીની તૈયારી કરી લો." આ કોલ બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget