શોધખોળ કરો

ભગવંત માન સરકારની મોટી ગિફ્ટ, પંજાબના ગ્રુપ સી અને ગ્રુપ ડીના 35 હજાર હંગામી કર્મચારીને કરાશે કાયમી

માને કહ્યું કે, પંજાબમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં 35 હજાર હંગામી કર્મચારીઓને કાયમી કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.

Punjab News: પંજાબમાં ભગવંત માન સરકાર સતત મોટા નિર્ણયો લઈ રહી છે. તેમણે હંગામી કર્મચારીઓની લઈ મોટી જાહેરાત કરી છે. ભગવંત માને જાહેરાત કરી કે 25 હજાર હંગામી કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. જેનાથી ગ્રુપ સી અને ડીની હંગામી કર્મચારીઓને ફાયદો થશે.

માને કહ્યું કે, પંજાબમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં 35 હજાર હંગામી કર્મચારીઓને કાયમી કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. મેં ચીફ સેક્ર્ટરીને આવા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગની રિક્રૂટમેંટ બંધ કરવા કહ્યું છે. પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન ટૂંક સમયમાં જ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. તેમણે બંનેને મળવા માટે સમય માંગ્યો છે.

ભગવંત માન સરકારની મોટી ગિફ્ટ, પંજાબના ગ્રુપ સી અને ગ્રુપ ડીના 35 હજાર હંગામી કર્મચારીને કરાશે કાયમી

મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, શહીદ-એ-આઝમ ભગત સિંહના 'શહીદ દિવસ'  પર 23 માર્ચે સમગ્ર પંજાબમાં જાહેર રજા રહેશે. વિધાનસભામાં ડો.ભીમરાવ આંબેડકર અને ભગતસિંહની પ્રતિમાઓ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ પહેલીવાર હશે જ્યારે સરદાર ભગત સિંહના શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા હશે. આ પહેલા પંજાબના નવાશહેરમાં જ શહીદ દિવસ નિમિત્તે રજા રહેતી હતી. પરંતુ માન સરકારે શહીદ દિવસને લઈને એક નવી પરંપરા શરૂ કરી છે. તેમણે કહ્યું કે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસના અવસર પર 23 માર્ચે સમગ્ર પંજાબમાં રજા રહેશે. આ સાથે 28 સપ્ટેમ્બરે ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર પંજાબની શાળાઓમાં દિવસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં આવનારી પેઢીને ભગતસિંહના જીવન વિશે જણાવવામાં આવશે.

વિધાનસભામાં મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, આ અવસર પર પંજાબના લોકો, વડીલો અને બાળકો ભગતસિંહને તેમના ગામ ખટકરકલાન જઈને શ્રદ્ધાંજલિ આપી શકશે. અંગ્રેજો સામેના આઝાદીના યુદ્ધમાં ભગતસિંહને 23 માર્ચ 1931ના રોજ સુખદેવ અને રાજગુરુની સાથે ફાંસી આપવામાં આવી હતી. લાહોર ષડયંત્રના આરોપમાં ત્રણેયને ફાંસી આપવામાં આવી હતી.

ભગવંત માન સરકારની મોટી ગિફ્ટ, પંજાબના ગ્રુપ સી અને ગ્રુપ ડીના 35 હજાર હંગામી કર્મચારીને કરાશે કાયમી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોતના ખાડા કોનું પાપ?Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટોર્ચરAhmedabad news : અમદાવાદના દરિયાપુરમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદAhmedabad News: અમદાવાદની વધુ એક હોસ્પિટલ પર લાગ્યો સારવાર બાદ દર્દીના મોતનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો
Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો
IND vs ENG ODI Live: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, શ્રેયસ ઐયર આઉટ
IND vs ENG ODI Live: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, શ્રેયસ ઐયર આઉટ
સોનાની કિંમતમાં 7400 રૂપિયાનો વધારો થયો, આ તેજી ક્યાં જઈને અટકશે? આગળ ભાવ હજુ કેટલા વધશે?
સોનાની કિંમતમાં 7400 રૂપિયાનો વધારો થયો, આ તેજી ક્યાં જઈને અટકશે? આગળ ભાવ હજુ કેટલા વધશે?
મધ્યપ્રદેશમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત
મધ્યપ્રદેશમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત
Embed widget