શોધખોળ કરો

Rajasthan: પાયલટ પર એક્શનની તૈયારી? કોગ્રેસ મહાસચિવ વેણુગોપાલને મળવા પહોંચ્યા રાજસ્થાનના પ્રભારી

રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ પર કોંગ્રેસ હાઈકમાન્ડ કડક નિર્ણય લઈ શકે છે

Rajasthan Political Row: રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ પર કોંગ્રેસ હાઈકમાન્ડ કડક નિર્ણય લઈ શકે છે. આ સંબંધમાં રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા ગુરુવારે (13 એપ્રિલ) દિલ્હી પહોંચી ગયા છે. અહીં તેઓ રાજસ્થાનમાં સંગઠનના બે નેતાઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલી મડાગાંઠની સત્તાવાર માહિતી પાર્ટી હાઈકમાન્ડને આપશે.

આ સંબંધમાં રંધાવા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને મળવા આવ્યા છે ત્યારબાદ તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળશે અને તેમની સાથે માહિતી શેર કરશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, રંધાવા સચિન પાયલટથી નારાજ છે. તેમણે મંગળવારે રાજ્યમાં પોતાની જ પાર્ટીની સરકાર વિરુદ્ધ ઉપવાસ પર બેસવાની સચિન પાયલટને ના પાડી હતી.

આમ છતાં સચિન પાયલટે તેમની વાત ન માની અને તેમણે પોતાના કાર્યક્રમ મુજબ ઉપવાસ ચાલુ રાખ્યા. આવી સ્થિતિમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રંધાવા તેમની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ પાસે પાયલટ વિરુદ્ધ અનુશાસનાત્મક નિર્ણયની માંગ કરી શકે છે. અહીં એ જોવું પણ રસપ્રદ છે કે મંગળવારે ઉપવાસ કર્યા બાદ સચિન પણ દિલ્હીમાં છે.

રાજસ્થાન કોંગ્રેસમાં શું ચાલી રહ્યો છે વિવાદ?

રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ગેહલોત સરકારમાં પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત વચ્ચે 2018થી ટક્કર ચાલી રહી છે. આ સંબંધમાં સચિન પાયલટે જયપુરના શહીદ સ્મારક ખાતે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પાંચ કલાકના મૌન ઉપવાસનું પાલન કર્યું હતું.

આ પછી મીડિયા સાથે વાત કરતા પાયલટે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે તેમનો સંઘર્ષ ચાલુ રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેમની સરકાર ભાજપના કાર્યકાળ દરમિયાન કથિત ભ્રષ્ટાચારના મામલામાં પગલાં લેશે. આ ઉપવાસ સાથે પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે નવો મોરચો ખોલ્યો છે.

Update: મધ્યપ્રદેશમાં મળ્યા કોરોનાના 52 નવા કેસો, આ શહેરોમાં ફાટી નીકળ્યો રાફડો, જુઓ....

Corona in MP: મધ્યપ્રદેશમાં બુધવારે કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. કોરોનાના નવા 52 કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોનાની ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા વધીને હવે 226 થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના દર્દીનું મોત થયું નથી, કોરોનાની આ માહિતી એક અધિકારીએ આપી હતી. 

શું કહેવું છે મધ્યપ્રદેશ સરકારનું - 
કોરોના અંગે માહિતી આપતા અધિકારીએ બતાવ્યુ કે, છેલ્લા કેટલાક મહિનાઓ બાદ રાજ્યમાં એક જ દિવસમાં કૉવિડ-19ના 50થી વધુ કેસ નોંધાયા છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ 10,55,453 કેસ સામે આવી ચૂક્યા છે. અધિકારીએ કહ્યું કે, કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 10,777 રહ્યો છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી કોઈનું મૃત્યુ થયું નથી. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં કૉવિડ -19થી સાજા થયેલા લોકોની સંખ્યા 10,44,450 છે, જ્યારે સારવાર લેનારા દર્દીઓની સંખ્યા હવે 226 છે. મંગળવારે ભોપાલમાં 14, ઇન્દોરમાં સાત, ગ્વાલિયરમાં ત્રણ, જબલપુરમાં બે, હરદામાં બે, રાજગઢમાં ચાર, હોશંગાબાદમાં એક, આગર માલવામાં એક, સાગરમાં બે કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા હતા.

ઇન્દોરમાં કૉવિડ-19ના ડિસ્ટ્રિક્ટ મૉનિટરિંગ ઓફિસર અમિત માલાકારે બતાવ્યુ કે, જિલ્લામાં 10 નવા કેસ સામે આવ્યા બાદ હવે જિલ્લામાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યા 44 છે. તેમણે કહ્યું કે 10 નવા દર્દીઓમાંથી એક હોસ્પીટલમાં ભરતી છે, અને નવ દર્દીઓ ઘરમાં આઇસૉલેશનમાં રહે છે. ભોપાલ અને ઈન્દોર કોરોના સંક્રમણના મામલામાં હૉટસ્પૉટ બન્યા છે. સૌથી વધુ સંક્રમિત દર્દીઓ આ શહેરોમાં જ જોવા મળી રહ્યા છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
Embed widget