શોધખોળ કરો

નાગરિકતા સંશોધન બિલમાં મુસ્લિમોનો કેમ નથી કરાયો સમાવેશ? ગૃહમંત્રી શાહે શું આપ્યો જવાબ?

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી સહન કરી અહીં આવનારા અને નાગરિકતા પ્રાપ્ત નહી કરનારા લઘુમતી માટે આશાનું કિરણ છે.

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ ભારતના ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી સહન કરી અહીં આવનારા અને નાગરિકતા પ્રાપ્ત નહી કરનારા લઘુમતી માટે આશાનું કિરણ છે. અમિત શાહે કહ્યું કે, આ બિલના કારણે અનેક ધર્મથી પીડિત લોકોને ભારતની નાગરિકતા મળશે પરંતુ વિપક્ષનું ધ્યાન ફક્ત એ વાત પર છે કે મુસ્લિમોને કેમ તેમાં સમાવેશ કરવામાં આવી રહ્યો નથી. તમારી પંથ નિરપેક્ષતા ફક્ત મુસ્લિમો પર આધારિત હશે પરંતુ અમારી પંથ નિરપેક્ષતા કોઇ એક ધર્મ પર આધારિત નથી. શાહે કહ્યું કે, આ બિલમાં એ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે જે પાડોશી દેશોમાં ધર્મના આધાર પર ઉત્પીડન કરવામાં આવ્યા છે તેમના માટે ત્યાં પોતાનો જીવ બચાવવો, પોતાની માતાઓ-બહેનોની ઇજ્જત બચાવવી મુશ્કેલ છે એવા લોકોને અહીની નાગરિકતા આપીને અમે તેમની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા માટે પીડિત લોકો પ્રાથમિકતા છે જ્યારે વિપક્ષ માટે તેવા લોકો પ્રાથમિકતામાં નથી. અમિત શાહે કહ્યું કે, તમે શું ઇચ્છો છો? શું અમારે પાકિસ્તાનથી આવનારા મુસ્લિમોને નાગરિકતા આપવી જોઇએ.એવામાં દેશ કેવી રીતે ચાલશે? શાહે કહ્યું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ, જૈન, પારસી, શિખ ધર્મમાં માનનારા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ બિલ આ લોકોની ગરીમા અને જિંદગીની રક્ષા કરશે. એનડીએ સરકારે મુસ્લિમોને આ બિલમાંથી બહાર રાખવા પાછળનું કારણ આપતા કહ્યું કે, મુસ્લિમ આ ત્રણ દેશોમાં બહુમતિમાં છે. સરકારનું કહેવું છે કે આ દેશોમાં મુસ્લિમોને ધાર્મિક આધાર પર ઉત્પીડન કરવામાં આવી રહ્યા નથી કારણ કે એ દેશોમાં તે બહુમતિમાં છે. શાહે કહ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેતા લઘુમતિઓનો અધિકાર છીનવી લેવામાં આવ્યો. જ્યારે બાંગ્લાદેશની રચના કરવામાં આવી ત્યારે પહેલા બહુમતિના અધિકારનું ધ્યાન રાખવામાં આવ્યો પરંતુ આ દેશોમાં લઘુમતી સમુદાયોના 20 ટકા આઝાદીને ખત્મ કરી દેવામાં આવ્યો. તેમનુ ધર્મપરિવર્તન કરી દેવામાં આવ્યું અથવા તો તેમને મારી નાખવામાં આવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget