શોધખોળ કરો

'4-5 મહિનામાં તમામ દોષિતોને...', રામ મંદિર દાન ચોરી પર બોલી VHP, ચંપત રાયને લઈને જાણો શું કહ્યું?

રામ મંદિરમાં લૂંટને લઈને દેશભરમાં હોબાળો મચ્યો છે. આ સમગ્ર મામલા પર વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા આલોક કુમારે હવે ખુલીને પોતાની વાત રજૂ કરી છે. ચંપત રાયને લઈને તેમણે VHP નું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રામ મંદિર દાન ચોરી હિન્દુઓ માટે ભાવનાત્મક આઘાત: VHP.
  • VHP એ ટ્રસ્ટની કામગીરીની જવાબદારી નકારી, ચંપત રાયનું સ્પષ્ટીકરણ.
  • દોષિતોને સજા, ઝડપી તપાસ અને ફાસ્ટ-ટ્રેક કોર્ટની VHP માંગ.

Ayodhya Ram Mandir Controversy: રામ મંદિરમાં દાનની ચોરી અંગાના મામલાને લઈને દેશભરમાં હોબાળો મચ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે એક ઈન્ટરવ્યુમાં આ વિવાદને ભક્તો માટે ઊંડો ભાવનાત્મક આઘાત ગણાવ્યો હતો. આ સાથે જ તેમણે એ વાતને પણ ફગાવી દીધી કે રામ મંદિર ટ્રસ્ટની કામગીરી માટે VHP ને જવાબદાર ઠેરવવી જોઈએ.

 

આલોક કુમારે કહ્યું, "જે કંઈ પણ થયું છે, તે ખૂબ જ કમનસીબ છે અને તેનાથી દુનિયાભરના હિન્દુઓની ભાવનાઓ દુભાઈ છે. અમે દુઃખી છીએ, દરેક વ્યક્તિ દુઃખી છે અને આના માટે કોઈ બહાના બનાવવા કે આનો બચાવ કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી." તેમણે આ સમગ્ર મામલાને VHP, RSS અને મોદી સરકાર સાથે જોડવાના પ્રયાસોને પણ નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો..રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

VHP ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયને લઈને કુમારે કહ્યું કે ટ્રસ્ટમાં તેમની ભૂમિકાને VHP નું પ્રતિનિધિત્વ કરવા જેવી માનવી જોઈએ નહીં. VHP પ્રમુખે કહ્યું, "હું એ વાતનો ઇનકાર નથી કરી રહ્યો કે ચંપત રાયજી વરિષ્ઠ હોદ્દેદાર રહ્યા છે અને અત્યારે VHP ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, પરંતુ અમે તેમને તે પદ માટે નોમિનેટ કર્યા નહોતા. અમે તેમની ભલામણ નહોતી કરી. તેઓ VHP નું પ્રતિનિધિત્વ કરતા નથી."

ચંપત રાયથી અંતર જાળવવા અંગે શું બોલ્યા આલોક કુમાર

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી બદનામી થયા પછી પણ VHP એ ચંપત રાયથી સાર્વજનિક રીતે અંતર કેમ ન જાળવ્યું, તો કુમારે કહ્યું કે તમે એવું ઈચ્છો છો કે હું તપાસનું પરિણામ આવ્યા વગર જ આજે તેમને બરખાસ્ત કરી દઉં? તેમણે આગળ કહ્યું કે અત્યાર સુધી કોઈએ પણ ચંપત રાય પર આવી લૂંટમાં સામેલ હોવાનો, ઉશ્કેરવાનો કે તેની યોજના બનાવવાનો આરોપ લગાવ્યો નથી.

દોષિત લોકોને જેલ થવી જોઈએ- આલોક કુમાર

ઈન્ટરવ્યુ દરમિયાન આલોક કુમારે વારંવાર એ વાત પર ભાર મૂક્યો હતો કે તપાસમાં કોઈને પણ છોડવા જોઈએ નહીં, પછી ભલે તેમનો હોદ્દો ગમે તે હોય. તેમણે કહ્યું, "અમે જ સૌથી પહેલા FIR નોંધવાની, સિનિયર અધિકારીઓ પાસે તપાસ કરાવવાની, ફાસ્ટ-ટ્રેક કોર્ટ અને દોષિતોને સજા અપાવવાની માંગ કરી હતી." તેમણે આગળ કહ્યું કે દોષિતોને સજા મળવી જોઈએ અને આ આખી પ્રક્રિયા ચારથી પાંચ મહિનામાં પૂર્ણ થઈ જવી જોઈએ જેથી દોષિત લોકોને જેલ જતા જોઈને હિન્દુ સમાજને થોડો સંતોષ મળી શકે.

Frequently Asked Questions

રામ મંદિરમાં દાનની ચોરીનો વિવાદ શું છે?

રામ મંદિરમાં દાનની ચોરીનો મામલો છે, જેને VHPના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે ભક્તો માટે ઊંડો ભાવનાત્મક આઘાત અને કમનસીબ ગણાવ્યો છે.

આ વિવાદ માટે VHP કોને જવાબદાર ઠેરવે છે?

આલોક કુમારે VHP, RSS કે મોદી સરકારને આ મામલે જવાબદાર ઠેરવવાના પ્રયાસોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે રામ મંદિર ટ્રસ્ટની કામગીરી માટે VHPને જવાબદાર માનવી ન જોઈએ.

ચંપત રાયની ભૂમિકા અંગે VHP શું કહે છે?

VHP પ્રમુખે કહ્યું કે ચંપત રાય વરિષ્ઠ હોદ્દેદાર હોવા છતાં, તેમની ટ્રસ્ટમાં ભૂમિકા VHPનું પ્રતિનિધિત્વ કરતી નથી કારણ કે VHPએ તેમને નોમિનેટ કર્યા નહોતા.

આલોક કુમાર આ મામલે કેવી કાર્યવાહીની માંગ કરે છે?

આલોક કુમારે FIR નોંધવાની, સિનિયર અધિકારીઓ પાસે તપાસ કરાવવાની અને ફાસ્ટ-ટ્રેક કોર્ટ દ્વારા દોષિતોને ઝડપી સજા આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે કોઈને પણ છોડવા ન જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
Embed widget