શોધખોળ કરો

'4-5 મહિનામાં તમામ દોષિતોને...', રામ મંદિર દાન ચોરી પર બોલી VHP, ચંપત રાયને લઈને જાણો શું કહ્યું?

રામ મંદિરમાં લૂંટને લઈને દેશભરમાં હોબાળો મચ્યો છે. આ સમગ્ર મામલા પર વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા આલોક કુમારે હવે ખુલીને પોતાની વાત રજૂ કરી છે. ચંપત રાયને લઈને તેમણે VHP નું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રામ મંદિર દાન ચોરી હિન્દુઓ માટે ભાવનાત્મક આઘાત: VHP.
  • VHP એ ટ્રસ્ટની કામગીરીની જવાબદારી નકારી, ચંપત રાયનું સ્પષ્ટીકરણ.
  • દોષિતોને સજા, ઝડપી તપાસ અને ફાસ્ટ-ટ્રેક કોર્ટની VHP માંગ.

Ayodhya Ram Mandir Controversy: રામ મંદિરમાં દાનની ચોરી અંગાના મામલાને લઈને દેશભરમાં હોબાળો મચ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે એક ઈન્ટરવ્યુમાં આ વિવાદને ભક્તો માટે ઊંડો ભાવનાત્મક આઘાત ગણાવ્યો હતો. આ સાથે જ તેમણે એ વાતને પણ ફગાવી દીધી કે રામ મંદિર ટ્રસ્ટની કામગીરી માટે VHP ને જવાબદાર ઠેરવવી જોઈએ.

 

આલોક કુમારે કહ્યું, "જે કંઈ પણ થયું છે, તે ખૂબ જ કમનસીબ છે અને તેનાથી દુનિયાભરના હિન્દુઓની ભાવનાઓ દુભાઈ છે. અમે દુઃખી છીએ, દરેક વ્યક્તિ દુઃખી છે અને આના માટે કોઈ બહાના બનાવવા કે આનો બચાવ કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી." તેમણે આ સમગ્ર મામલાને VHP, RSS અને મોદી સરકાર સાથે જોડવાના પ્રયાસોને પણ નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો..રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

VHP ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયને લઈને કુમારે કહ્યું કે ટ્રસ્ટમાં તેમની ભૂમિકાને VHP નું પ્રતિનિધિત્વ કરવા જેવી માનવી જોઈએ નહીં. VHP પ્રમુખે કહ્યું, "હું એ વાતનો ઇનકાર નથી કરી રહ્યો કે ચંપત રાયજી વરિષ્ઠ હોદ્દેદાર રહ્યા છે અને અત્યારે VHP ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, પરંતુ અમે તેમને તે પદ માટે નોમિનેટ કર્યા નહોતા. અમે તેમની ભલામણ નહોતી કરી. તેઓ VHP નું પ્રતિનિધિત્વ કરતા નથી."

ચંપત રાયથી અંતર જાળવવા અંગે શું બોલ્યા આલોક કુમાર

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી બદનામી થયા પછી પણ VHP એ ચંપત રાયથી સાર્વજનિક રીતે અંતર કેમ ન જાળવ્યું, તો કુમારે કહ્યું કે તમે એવું ઈચ્છો છો કે હું તપાસનું પરિણામ આવ્યા વગર જ આજે તેમને બરખાસ્ત કરી દઉં? તેમણે આગળ કહ્યું કે અત્યાર સુધી કોઈએ પણ ચંપત રાય પર આવી લૂંટમાં સામેલ હોવાનો, ઉશ્કેરવાનો કે તેની યોજના બનાવવાનો આરોપ લગાવ્યો નથી.

દોષિત લોકોને જેલ થવી જોઈએ- આલોક કુમાર

ઈન્ટરવ્યુ દરમિયાન આલોક કુમારે વારંવાર એ વાત પર ભાર મૂક્યો હતો કે તપાસમાં કોઈને પણ છોડવા જોઈએ નહીં, પછી ભલે તેમનો હોદ્દો ગમે તે હોય. તેમણે કહ્યું, "અમે જ સૌથી પહેલા FIR નોંધવાની, સિનિયર અધિકારીઓ પાસે તપાસ કરાવવાની, ફાસ્ટ-ટ્રેક કોર્ટ અને દોષિતોને સજા અપાવવાની માંગ કરી હતી." તેમણે આગળ કહ્યું કે દોષિતોને સજા મળવી જોઈએ અને આ આખી પ્રક્રિયા ચારથી પાંચ મહિનામાં પૂર્ણ થઈ જવી જોઈએ જેથી દોષિત લોકોને જેલ જતા જોઈને હિન્દુ સમાજને થોડો સંતોષ મળી શકે.

Frequently Asked Questions

રામ મંદિરમાં દાનની ચોરીનો વિવાદ શું છે?

રામ મંદિરમાં દાનની ચોરીનો મામલો છે, જેને VHPના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે ભક્તો માટે ઊંડો ભાવનાત્મક આઘાત અને કમનસીબ ગણાવ્યો છે.

આ વિવાદ માટે VHP કોને જવાબદાર ઠેરવે છે?

આલોક કુમારે VHP, RSS કે મોદી સરકારને આ મામલે જવાબદાર ઠેરવવાના પ્રયાસોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે રામ મંદિર ટ્રસ્ટની કામગીરી માટે VHPને જવાબદાર માનવી ન જોઈએ.

ચંપત રાયની ભૂમિકા અંગે VHP શું કહે છે?

VHP પ્રમુખે કહ્યું કે ચંપત રાય વરિષ્ઠ હોદ્દેદાર હોવા છતાં, તેમની ટ્રસ્ટમાં ભૂમિકા VHPનું પ્રતિનિધિત્વ કરતી નથી કારણ કે VHPએ તેમને નોમિનેટ કર્યા નહોતા.

આલોક કુમાર આ મામલે કેવી કાર્યવાહીની માંગ કરે છે?

આલોક કુમારે FIR નોંધવાની, સિનિયર અધિકારીઓ પાસે તપાસ કરાવવાની અને ફાસ્ટ-ટ્રેક કોર્ટ દ્વારા દોષિતોને ઝડપી સજા આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે કોઈને પણ છોડવા ન જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget