શોધખોળ કરો
દેશમાં આ તારીખ સુધી નિયમિત ટ્રેનો શરૂ નહીં જ થાય, જાણો રેલવે મંત્રાલયે કરી શું મોટી જાહેરાત?
કોરોના વાયરસના કારણે સતત વધી રહેલા મામલાને જોતા ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ નિયમિત પેસેન્જર ટ્રેન ઓગસ્ટ પહેલા ટ્રેને નહીં દોડવાનો નિર્ણય લીધો છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે સતત વધી રહેલા મામલાને જોતા ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ નિયમિત પેસેન્જર ટ્રેન ઓગસ્ટ પહેલા ટ્રેને નહીં દોડવાનો નિર્ણય લીધો છે. રેલવેએ તેને લઈને એક સર્કુલર પણ જાહેર કર્યું છે. રેલવેએ જણાવ્યું છે કે, 12 ઓગસ્ટ 2020 સુધી કોઈ પણ નિયમિત પેસેન્જર ટ્રેન કે મેલ એક્સપ્રેસ ટ્રેન નહીં શરૂ થાય. આ સાથે રેલવેએ કહ્યું કે, જે યાત્રીઓએ નિયમિત ટ્રેન સેવા માટે 1 જૂનથી 12 ઓગસ્ટ સુધીની ટિકિટ બુક કરાવી છે, તે તમામની ટિકિટ કેન્સલ કરી દેવામાં આવી છે. યાત્રીઓને ટિકિટનું રિફંડ કરી દેવામાં આવશે.
આ પહેલા 13ના રોજ પોતાના આદેશમાં રેલવે બોર્ડે કહ્યું હતું કે, 30 જૂન સુધી નિયમિત ટ્રેનનું બુકિંગ કેન્સલ કરવામાં આવી રહ્યું છે અને તેમાં યાત્રીઓને પૂરું રિફંડ મળશે. રિફંડની સુવિધા પણ 12 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવી છે. આ દરમિયાન 12 મેથી ચાલુ સ્પેશિયલ રાજધાની ટ્રેન અને 1 જૂનથી ચાલુ સ્પેશિયલ મેલ/ એક્સપ્રેસ ટ્રેન પહેલાની જેમ ચાલુ રહેશે. રેલવે વિભાગે જાહેરાત કરી હતી કે, હવે 12 ઓગસ્ટ સુધી કોઈ પણ રેગ્યુલર ટ્રેન દોડાવવામાં આવશે નહીં. 12 ઓગસ્ટ સુધી પેસેન્જર, એક્સ્પ્રેસ ટ્રેનોનું સંચાલન નહીં થાય. જે લોકોની ટીકિટ 12 ઓગસ્ટ સુધી બુક છે તેમને રેલવે 100 ટકા રિફંડ આપશે. ગુરૂવારે રેલવે બોર્ડે તેનું સર્ક્યુલર જાહેર કર્યું હતું. બોર્ડના નિર્ણય અનુસાર આ સમયગાળામાં સ્પેશ્યિલ ટ્રેનો દોડાવવામાં આવશે.It has also been decided that all the ticket booked for the regular time-tabled trams for the journey date from 01.07.20 to 12.08.20 also stand cancelled: Railway Board https://t.co/t62D3GjOUP
— ANI (@ANI) June 25, 2020
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
બિઝનેસ





















