શોધખોળ કરો

કુંવારા છોકરાઓ હવે શું કરશે? ભારતમાં છોકરીઓને લગ્નમાં નથી રહ્યો રસ! સર્વામાં ચોંકાવનારના આંકડા સામે આવ્યા

દર વર્ષે લગ્નની સિઝનમાં માતા-પિતા પોતાની દીકરીઓના લગ્નને લઈને ચિંતિત હોય છે અને તેમના પર લગ્ન માટે દબાણ લાવે છે.

Indian girls marriage trend: ભારતમાં લગ્નને એક પવિત્ર બંધન અને જીવનનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. મોટાભાગના માતાપિતા પોતાના બાળકોના લગ્નનું સપનું જોતા હોય છે. જો કે, આજના યુવાનો, ખાસ કરીને યુવતીઓ, લગ્નને લઈને પોતાનો અલગ મત ધરાવે છે. એક તાજેતરના સર્વેમાં સામે આવેલી માહિતી કુંવારા છોકરાઓને ચોંકાવી શકે છે, કારણ કે દેશની મોટી સંખ્યામાં મહિલાઓ હવે લગ્ન કરવા માટે ઉત્સુક નથી.

ભારતમાં લગ્ન ન કરનાર વ્યક્તિને સમાજના ટોણા સાંભળવાની ફરજ પડે છે, પરંતુ આજકાલ યુવતીઓ આ ટોણાને અવગણીને લગ્નથી દૂર રહેવાનું પસંદ કરી રહી છે. બેચલર, સોલોગેમી અને સિંગલહૂડ જેવા શબ્દો આજના યુવાનોમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે અને છોકરીઓમાં આ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. આ બદલાતી વિચારસરણી વાલીઓ માટે ચિંતાનું કારણ બની રહી છે.

થોડા સમય પહેલા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે દેશની 81 ટકા મહિલાઓ લગ્ન વિના ખૂબ જ ખુશ છે. જ્યારે મહિલાઓને લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે તેઓ લગ્ન વિનાનું જીવન જીવવા માંગે છે. સર્વેમાં એ પણ સામે આવ્યું કે 39 ટકા મહિલાઓએ લગ્નની સિઝનમાં માતા-પિતાના દબાણનો અનુભવ કર્યો હતો. દર વર્ષે લગ્નની સિઝનમાં માતા-પિતા પોતાની દીકરીઓના લગ્નને લઈને ચિંતિત હોય છે અને તેમના પર લગ્ન માટે દબાણ લાવે છે. જેના કારણે ઘણી વખત છોકરીઓની મરજી વિરુદ્ધ પણ તેમના લગ્ન કરાવી દેવામાં આવે છે.

સર્વે અનુસાર, લગભગ 33 ટકા લોકોને એવું લાગે છે કે લગ્ન કર્યા પછી તેઓ લાંબા સમય સુધી સંબંધમાં રહેવા માટે દબાણ અનુભવે છે. આજના યુગમાં ઘણી મહિલાઓ લગ્ન કરવા નથી માંગતી કારણ કે લગ્ન પછી તેમને નોકરી છોડી દેવાનું કહેવામાં આવે છે. મહિલાઓ પોતાના પગ પર ઊભા રહેવા માંગે છે અને કોઈના પર નિર્ભર રહેવા નથી માંગતી, જે તેમના લગ્ન ન કરવા પાછળનું એક મુખ્ય કારણ છે.

ન્યૂઝ વેબસાઈટ આઈએએનએસમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર, ડેટિંગ એપ બમ્બલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભારતની 81 ટકા મહિલાઓએ કહ્યું કે તેઓ લગ્ન ન કરીને અને એકલા રહીને ખૂબ જ ખુશ અને સંતુષ્ટ છે. જ્યારે 62 ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે તેઓ પોતાની જરૂરિયાતો અને પસંદગીઓ સાથે સમાધાન કરવા માંગતી નથી. આ ઉપરાંત, 83 ટકા છોકરીઓનું માનવું છે કે જ્યાં સુધી તેમને યોગ્ય જીવનસાથી ન મળે ત્યાં સુધી તેઓ લગ્ન નહીં કરે. આ આંકડાઓ દર્શાવે છે કે ભારતમાં યુવતીઓની લગ્ન પ્રત્યેની વિચારસરણીમાં નોંધપાત્ર બદલાવ આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget