શોધખોળ કરો

Riots Documentary : BBCની 2022ની ડેક્યુમેંટ્રી વિરૂદ્ધ ભારતીય અધિકારીઓએ બુંગીયો ફૂંક્યો, મોં પર જ ચોપડાવ્યું

દેશના નિવૃત્ત ન્યાયાધીશો, નિવૃત્ત અમલદારો અને ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓએ આ ડોક્યુમેન્ટ્રી અંગે બીબીસીને પત્ર લખ્યો છે.

Gujarat Riots Documentary : ગુજરાત રમખાણોને લઈ પીએમ મોદી પર બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીનો વિરોધ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. હવે ભારતના જ નિવૃત્ત જજ સહિત સંખ્યાબંધ અમલદારોએ બીબીસી વિરૂદ્ધ બુંગીયો ફુંક્યો છે. સાથે જ તેમને બીબીસીને બરાબરનું મોં પર જ ચોપડાવી દીધું છે. સાથે જ આ અધિકારીઓ-જજોએ 

દેશના નિવૃત્ત ન્યાયાધીશો, નિવૃત્ત અમલદારો અને ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓએ આ ડોક્યુમેન્ટ્રી અંગે બીબીસીને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, બીબીસીની 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' ડોક્યુમેન્ટ્રી બ્રિટિશ સામ્રાજ્યના ભ્રમના પુનરુત્થાનનો પુરાવો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પણ હવે નહીં, અમારા નેતા સાથે કે ભારત સાથે નહીં. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ ડોક્યુમેન્ટ્રીમાં બીબીસીનો ભારત પ્રત્યેનો પક્ષપાત અને નકારાત્મક વિચાર દેખાઈ રહ્યો છે. આ પત્ર પર 302 લોકોની સહી છે. તેમાં 13 નિવૃત્ત ન્યાયાધીશો, 133 નિવૃત્ત અમલદારો (22 રાજદૂત) અને 156 સશસ્ત્ર દળોના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પત્રના સંયોજકો ભૂતપૂર્વ RAW ચીફ સંજીવ ત્રિપાઠી અને ભૂતપૂર્વ રાજદૂત બી.કે. મુખર્જી છે. 

ભ્રામક અને એકતરફી રિપોર્ટિંગ

પત્રમાં બીબીસી સિરીઝ અંગે કહેવામાં આવ્યું છે કે, તે માત્ર ભ્રામક અને સ્પષ્ટ રીતે એકતરફી રિપોર્ટિંગ નથી, પરંતુ તે સ્વતંત્ર, લોકશાહી રાષ્ટ્ર તરીકે ભારતના અસ્તિત્વના 75 વર્ષ જૂના આધાર પર અનેક પાયાના પ્રશ્નો પણ ઉભા કરે છે. જે દેશ લોકોની ઈચ્છા પ્રમાણે કામ કરે છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રેણીમાં સ્પષ્ટ તથ્યલક્ષી ભૂલો ઉપરાંત 'કથિત રીતે' શબ્દનો વારંવાર ઉપયોગ (તથ્યલક્ષી નથી) કરવામાં જે આવ્યો છે. ડોક્યુમેન્ટ્રીમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ ધ્યાનમાં લેવામાં નથી આવ્યો.

ભારતે વિરોધ નોંધાવ્યો

ભારતે 2002ના ગુજરાત રમખાણો પરની બીબીસીની ડોક્યુમેન્ટરીને દુષ્પ્રચારનો એક ભાગ' ગણાવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, તેમાં પક્ષપાત છે, ઉદ્દેશ્યનો અભાવ છે. ઉપરાંત, તેમાં ઉપનિવેશક માનસિકતા સ્પષ્ટપણે દેખાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, તે ચોક્કસ 'ખોટી કથા'ને આગળ ધપાવવા માટેના ખોટા અભિયાનનો એક ભાગ છે. બાગચીએ કહ્યું હતું કે, આ અમને એ કવાયતના હેતુ અને તેની પાછળના એજન્ડા વિશે વિચારવા મજબૂર કરે છે.

બીબીસી દ્વારા ખુલાસો આપવામાં આવ્યો

ભારતના વિરોધ બાદ બીબીસી દ્વારા આ ડોક્યુમેન્ટરી અંગે સ્પષ્ટતા જારી કરવામાં આવી હતી. બીબીસીએ કહ્યું હતું કે, આ ડોક્યુમેન્ટ્રી ખૂબ સંશોધન કર્યા બાદ બનાવવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્રીમાં મહત્વના મુદ્દાઓને ઉદ્દેશ્યપૂર્વક રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીબીસીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડોક્યુમેન્ટરીમાં ઉચ્ચતમ સંપાદકીય ધોરણો પર સંપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું હતું. પ્રવક્તાએ કહ્યું હતું કે, આ માટે લોકો, સાક્ષીઓ અને વિવિધ અભિપ્રાય ધરાવતા નિષ્ણાતોનો સંપર્ક કરવામાં આવ્યો છે.

બ્રિટિશ PMએ મોદીનો બચાવ કર્યો 

બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી પર બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બચાવમાં આવ્યા છે. બીબીસીની એક ડોક્યુમેન્ટરીમાં દાવો કરવામાં આવ્યો છે કે, બ્રિટિશ સરકાર 2002ના ગુજરાત રમખાણોમાં ભારતીય નેતાની કથિત ભૂમિકા વિશે જાણતી હતી. સુનકને પૂછવામાં આવ્યું હતું કે, શું તે બીબીસીની ડોક્યુમેન્ટ્રીમાં કરવામાં આવેલા દાવા સાથે સહમત છે? આ દાવાઓમાં કહેવામાં આવ્યું છે કે, યુકેના વિદેશ કાર્યાલયના કેટલાક રાજદ્વારીઓ જાણતા હતા કે 'તે સમયે નરેન્દ્ર મોદી સીધા જ જવાબદાર હતા'. આ સવાલના જવાબમાં સુનકે કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાની મૂળના વિપક્ષી લેબર પાર્ટીના સાંસદ ઈમરાન હુસૈન દ્વારા વડાપ્રધાન મોદીના પાત્રાલેખન સાથે સહમત નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget