શોધખોળ કરો

‘જે સર્ટિફિકેટ આપે છે, તે જ પાકિસ્તાનમાં ઘુસીને....’, ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ કરી જયશંકરે ટ્રમ્પને અરીસો બતાવ્યો

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2025 માં તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ અને અમેરિકાના પાકિસ્તાન પ્રત્યેના નરમ વલણ પર તીખો કટાક્ષ કર્યો.

S Jaishankar on US Pakistan ties: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાના દાવાને ફરી એકવાર સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે. તેમણે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની વધતી નિકટતા પર આકરા પ્રહાર કરતા ઓસામા બિન લાદેનના એબોટાબાદમાં છુપાયેલા હોવાની ઘટનાનો ઉલ્લેખ કરીને અમેરિકાના બેવડા વલણ પર સવાલ ઉઠાવ્યો છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે ડોનાલ્ડ ટ્રમ્પના ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ કરાવવાના દાવાને નકારી કાઢ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા સહિત અન્ય દેશોએ વાતચીત કરી હતી, પરંતુ યુદ્ધવિરામનો નિર્ણય ભારત અને પાકિસ્તાન દ્વારા જ લેવાયો હતો. જયશંકરે અમેરિકા અને પાકિસ્તાનના ઇતિહાસ પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે, જે દેશ આજે પાકિસ્તાનની સેનાને 'પ્રમાણપત્રો' આપી રહ્યો છે, તે જ દેશની સેનાએ થોડા વર્ષો પહેલા ઓસામા બિન લાદેનને એબોટાબાદમાં શોધી કાઢવા માટે પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરી હતી. આ નિવેદનથી તેમણે આતંકવાદના મુદ્દે અમેરિકાના વલણ પર પ્રહાર કર્યો.

ટ્રમ્પના દાવાઓનું ખંડન

એસ. જયશંકરે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાના ટ્રમ્પના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો. તેમણે જણાવ્યું કે, જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય છે ત્યારે દરેક દેશ એકબીજા સાથે વાતચીત કરતા હોય છે. આ સમયે પણ અમેરિકા સહિત અન્ય દેશોએ ફોન કોલ્સ કર્યા હતા, પરંતુ યુદ્ધવિરામ કરવાનો અંતિમ નિર્ણય ભારત અને પાકિસ્તાન દ્વારા જ લેવામાં આવ્યો હતો. આનાથી તેમણે ટ્રમ્પના દાવાને તદ્દન ખોટો સાબિત કર્યો.

પાકિસ્તાન અને ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ

જ્યારે તેમને અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની વધતી નિકટતા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે જયશંકરે આકરો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, અમેરિકા પાકિસ્તાન સાથેના પોતાના ઇતિહાસને ભૂલી રહ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે, દુનિયાના સૌથી વોન્ટેડ આતંકવાદીઓમાંના એક, ઓસામા બિન લાદેન 2011 માં પાકિસ્તાનના એબોટાબાદ શહેરમાં મળી આવ્યો હતો. તેમણે કટાક્ષમાં કહ્યું કે, "જે સેના આજે (પાકિસ્તાનની સેનાને) પ્રમાણપત્રો આપી રહી છે, તે જ સેના થોડા વર્ષો પહેલા એબોટાબાદમાં ઘૂસી ગઈ હતી. બધા જાણે છે કે ત્યાં કોણ મળી આવ્યું હતું." આ નિવેદનથી તેમણે પાકિસ્તાનને આતંકવાદ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ગણાવ્યું અને આ મુદ્દે અમેરિકાના બેવડા ધોરણો પર સવાલ ઉઠાવ્યો.

આ નિવેદનોથી એસ. જયશંકરે ભારતના મજબૂત વલણનો ફરી એકવાર પરિચય કરાવ્યો છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ભારત પોતાના નિર્ણયો સ્વતંત્ર રીતે લે છે અને આતંકવાદના મુદ્દે કોઈ પણ દેશના બેવડા વલણને સ્વીકારશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
Embed widget