શોધખોળ કરો

SP Leader : હવે સ્વામી પ્રસાદે રામચરિતમાનસ પર આપ્યું 'જ્ઞાન' તો ગિરિરાજ સિંહે આપી ખુલ્લી ચેતવણી

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે, ધર્મની આડમાં દલિતો, પછાત લોકો અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તેમણે માંગણી કરી છે કે, આ ચોપાઈઓને રામચિરત્માનસમાંથી દૂર કરવામાં આવે.

Controversy On Ramcharitmanas : કર્ણાટકના લેખક અને 'બુદ્ધિજીવી' કેએસ ભગવાને રામને લઈને વધુ એક વિવાદ સર્જ્યો હતો. તેમણે ભગવાન રામ અને સીતા વિશે ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી જેને લઈને વિવાદ હજી સમ્યો પણ નથી ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અને એમએલસી સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસને લઈને વાંધાજનક નિવેદન આપ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસના દોહા અને છંદને લઈને વાંધો ઉઠાવ્યો છે. આ મામલે ભાજપના દિગ્ગજ નેતા ગિગિરાજ સિંહે આકરી પ્રતિક્રિયા આપી હતી. 

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે, ધર્મની આડમાં દલિતો, પછાત લોકો અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તેમણે માંગણી કરી છે કે, આ ચોપાઈઓને રામચિરત્માનસમાંથી દૂર કરવામાં આવે.

ભાજપ જોઈ રહી છે મુંગેરીલાલના હસીન સપના

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે, અમે રામચિરત માનસને ધાર્મિક પુસ્તક માનતા નથી. તેમાં જાતિ અને ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. સ્વામી પ્રસાદ આટલેથી પણ અટક્યા નહોતા અને ભાજપ પર વધુ પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ભાજપ હિંદુ વિરોધી પાર્ટી છે. બીજી તરફ, 2024ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં 80 સીટો જીતવાના બીજેપીના લક્ષ્‍યાંક અંગે તેમણે કહ્યું હતું કે, તે મુંગેરીલાલનું સપના જોઈ રહી છે.

ગિરિરાજ સિંહે લીધો ઉધડો

સ્વામી પ્રસાદ મૌર્યાના આ મામલે આકરી ઝાટકણી કાઢી હતી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રામચરિતમાનસ પર ભગવાન રામ અને બિહારના મંત્રી ચંદ્રશેખરના નિવેદન પર પલટવાર કર્યો હતો. ગિરિરાજ સિંહે પટનામાં કહ્યું હતું કે, જેમ ભગવદ્ ગીતા હિંદુઓનો પવિત્ર ગ્રંથ છે, તે જ રીતે કુરાન મુસ્લિમોનો પવિત્ર ગ્રંથ છે. કુરાન વિશે કોઈ કંઈ બોલતું નથી કારણ કે તેમ કરવાથી માથું ધડથી અલગ કરી દેવામાં આવે છે. હિંદુઓના પવિત્ર ગ્રંથની વિરુદ્ધ બોલવું આજના સમયમાં ફેશન બની ગયું છે.

બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરે તાજેતરમાં કહ્યું હતું કે, "તુલસીદાસના રામચરિતમાનસે "સામાજિક ભેદભાવ અને સમાજમાં નફરત ફેલાવવા" ને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, રામચરિતમાનસનો વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે તેમાં કહેવામાં આવ્યું હતું કે સમાજનો નિમ્ન વર્ગ જ્યારે શિક્ષિત થાય છે ત્યારે તે ઝેરી બની જાય છે. એમ.એસ. ગોલવલકર દ્વારા લખાયેલા રામચરિતમાનસ, મનુસ્મૃતિ અને બંચ ઓફ થોટ્સ જેવા પુસ્તકોએ સામાજિક વિભાજન સર્જ્યું હતું.

ગુલામ રસૂલના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો

આ પહેલા ગિરિરાજ સિંહે પણ JDU MLC ગુલામ રસૂલ બલ્યાવીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. ગુલામ રસૂલે કહ્યું હતું કે, જો પયગંબર મોહમ્મદ તરફ કોઈ આંગળી ઉઠાવશે તો મુસ્લિમ દરેક શહેરને કરબલામાં ફેરવી નાખશે. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમો અચકાશે નહીં કારણ કે તેમનું જીવન અને શ્વાસ તેમના માટે નથી પરંતુ પયગંબર માટે છે.

નીતિશ કુમાર પર નિશાન સાધ્યું

ગિરિરાજ સિંહે JDU નેતા પર આવા નિવેદનો કરીને દેશની સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ટુકડે ટુકડે ગેંગના નેતાઓ રામાયણનો દુરુપયોગ કરીને હિન્દુઓનું અપમાન કરે છે, પરંતુ કુરાન પર ટિપ્પણી કરવાની હિંમત નથી. નીતિશ કુમાર એક લાચાર મુખ્યમંત્રી છે, જે ધૃતરાષ્ટ્રની જેમ આ બધું જોઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'

વિડિઓઝ

Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PBKS vs GT IPL 2026 Live Score: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા બેટિંગ કરશે
PBKS vs GT IPL 2026 Live Score: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા બેટિંગ કરશે
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
હવે AI બતાવશે ભવિષ્ય! ચીનમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કર્યો કમાલ, જાણો કઈ રીતે કામ કરશે એઆઈ ચેટબોટ
હવે AI બતાવશે ભવિષ્ય! ચીનમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કર્યો કમાલ, જાણો કઈ રીતે કામ કરશે એઆઈ ચેટબોટ
Embed widget