શોધખોળ કરો

SP Leader : હવે સ્વામી પ્રસાદે રામચરિતમાનસ પર આપ્યું 'જ્ઞાન' તો ગિરિરાજ સિંહે આપી ખુલ્લી ચેતવણી

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે, ધર્મની આડમાં દલિતો, પછાત લોકો અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તેમણે માંગણી કરી છે કે, આ ચોપાઈઓને રામચિરત્માનસમાંથી દૂર કરવામાં આવે.

Controversy On Ramcharitmanas : કર્ણાટકના લેખક અને 'બુદ્ધિજીવી' કેએસ ભગવાને રામને લઈને વધુ એક વિવાદ સર્જ્યો હતો. તેમણે ભગવાન રામ અને સીતા વિશે ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી જેને લઈને વિવાદ હજી સમ્યો પણ નથી ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અને એમએલસી સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસને લઈને વાંધાજનક નિવેદન આપ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસના દોહા અને છંદને લઈને વાંધો ઉઠાવ્યો છે. આ મામલે ભાજપના દિગ્ગજ નેતા ગિગિરાજ સિંહે આકરી પ્રતિક્રિયા આપી હતી. 

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે, ધર્મની આડમાં દલિતો, પછાત લોકો અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તેમણે માંગણી કરી છે કે, આ ચોપાઈઓને રામચિરત્માનસમાંથી દૂર કરવામાં આવે.

ભાજપ જોઈ રહી છે મુંગેરીલાલના હસીન સપના

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે, અમે રામચિરત માનસને ધાર્મિક પુસ્તક માનતા નથી. તેમાં જાતિ અને ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. સ્વામી પ્રસાદ આટલેથી પણ અટક્યા નહોતા અને ભાજપ પર વધુ પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ભાજપ હિંદુ વિરોધી પાર્ટી છે. બીજી તરફ, 2024ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં 80 સીટો જીતવાના બીજેપીના લક્ષ્‍યાંક અંગે તેમણે કહ્યું હતું કે, તે મુંગેરીલાલનું સપના જોઈ રહી છે.

ગિરિરાજ સિંહે લીધો ઉધડો

સ્વામી પ્રસાદ મૌર્યાના આ મામલે આકરી ઝાટકણી કાઢી હતી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રામચરિતમાનસ પર ભગવાન રામ અને બિહારના મંત્રી ચંદ્રશેખરના નિવેદન પર પલટવાર કર્યો હતો. ગિરિરાજ સિંહે પટનામાં કહ્યું હતું કે, જેમ ભગવદ્ ગીતા હિંદુઓનો પવિત્ર ગ્રંથ છે, તે જ રીતે કુરાન મુસ્લિમોનો પવિત્ર ગ્રંથ છે. કુરાન વિશે કોઈ કંઈ બોલતું નથી કારણ કે તેમ કરવાથી માથું ધડથી અલગ કરી દેવામાં આવે છે. હિંદુઓના પવિત્ર ગ્રંથની વિરુદ્ધ બોલવું આજના સમયમાં ફેશન બની ગયું છે.

બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરે તાજેતરમાં કહ્યું હતું કે, "તુલસીદાસના રામચરિતમાનસે "સામાજિક ભેદભાવ અને સમાજમાં નફરત ફેલાવવા" ને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, રામચરિતમાનસનો વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે તેમાં કહેવામાં આવ્યું હતું કે સમાજનો નિમ્ન વર્ગ જ્યારે શિક્ષિત થાય છે ત્યારે તે ઝેરી બની જાય છે. એમ.એસ. ગોલવલકર દ્વારા લખાયેલા રામચરિતમાનસ, મનુસ્મૃતિ અને બંચ ઓફ થોટ્સ જેવા પુસ્તકોએ સામાજિક વિભાજન સર્જ્યું હતું.

ગુલામ રસૂલના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો

આ પહેલા ગિરિરાજ સિંહે પણ JDU MLC ગુલામ રસૂલ બલ્યાવીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. ગુલામ રસૂલે કહ્યું હતું કે, જો પયગંબર મોહમ્મદ તરફ કોઈ આંગળી ઉઠાવશે તો મુસ્લિમ દરેક શહેરને કરબલામાં ફેરવી નાખશે. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમો અચકાશે નહીં કારણ કે તેમનું જીવન અને શ્વાસ તેમના માટે નથી પરંતુ પયગંબર માટે છે.

નીતિશ કુમાર પર નિશાન સાધ્યું

ગિરિરાજ સિંહે JDU નેતા પર આવા નિવેદનો કરીને દેશની સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ટુકડે ટુકડે ગેંગના નેતાઓ રામાયણનો દુરુપયોગ કરીને હિન્દુઓનું અપમાન કરે છે, પરંતુ કુરાન પર ટિપ્પણી કરવાની હિંમત નથી. નીતિશ કુમાર એક લાચાર મુખ્યમંત્રી છે, જે ધૃતરાષ્ટ્રની જેમ આ બધું જોઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો
હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
Hun To Bolish : હું તો બોલીશ : કથા પહેલા કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : આવો ખેલ ના ચાલે!
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
Embed widget