Sanjay Nirupam: કોંગ્રેસનો હાથ છોડનાર સંજય નિરુપમ શરુ કરશે નવી ઈનિંગ, આ પાર્ટીમાં જોડાવાનું નક્કી
સંજય નિરુપમને આશા હતી કે તેમને મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ટિકિટ મળી શકે છે. પરંતુ પાર્ટીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને છ વર્ષ માટે હાંકી કાઢ્યા. જોકે, નિરુપમે દાવો કર્યો હતો કે તેમણે પોતે જ રાજીનામું આપ્યું છે.
Sanjay Nirupam News: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સંજય નિરુપમે આખરે પોતાનું નવું રાજકીય મુકામ નક્કી કરી લીધું છે. તેઓ સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાશે. આ માહિતી ખુદ સીએમ એકનાથ શિંદેએ આપી હતી. તેમણે કહ્યું કે તેઓ સંજય નિરુપમને મળ્યા છે, તેઓ જલ્દી અમારી પાર્ટીમાં જોડાશે.
સીએમ શિંદેને મળ્યા બાદ સંજય નિરુપમે કહ્યું, અમે આજે એકનાથ શિંદેને મળ્યા હતા. હું તેમને મળવા આવ્યો હતો. અમે ભવિષ્યમાં મારી ભૂમિકા શું હશે તેની ચર્ચા કરી છે. નિશ્ચિતપણે, શિવસેનાનો દરેક ઉમેદવાર ચૂંટણી જીતે તેઓ પ્રયત્ન કરીશું. હું ચૂંટણી નહીં લડું. આ તો મારી ઘર વાપસી છે.
સીએમ એકનાથ શિંદેએ મુંબઈની તમામ સીટો પર એનડીએની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું, "અમે મુંબઈની તમામ 6 બેઠકો જીતીશું અને મહાયુતિ દરેક જગ્યાએ જીતશે. હું જ્યારથી સીએમ બન્યો છું, મુંબઈમાં વિકાસના કામો ઝડપથી થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઈમાં 2 જાહેરસભાઓ કરશે. અમે તેમને વિનંતી કરી હતી અને તેમણે અમને ખાતરી આપી છે.
સંજય નિરુપમને આશા હતી કે તેમને મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ટિકિટ મળી શકે છે. પરંતુ પાર્ટીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને છ વર્ષ માટે હાંકી કાઢ્યા. જોકે, નિરુપમે દાવો કર્યો હતો કે તેમણે પોતે જ રાજીનામું આપ્યું છે. આ પછી સંજય નિરુપમ બીજેપી અને શિવસેનામાં જોડાશે તેવી ચર્ચા હતી. પરંતુ જ્યારે સીએમ શિંદેની પાર્ટીએ મુંબઈ નોર્થ વેસ્ટથી રવિન્દ્ર વાયકરને ટિકિટ આપી ત્યારે તેને સંજય નિરુપમ માટે આંચકા તરીકે જોવામાં આવ્યું હતું.
પરંતુ હવે સંજય નિરુપમે પોતે જ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે. સંજય નિરુપમ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. લોકસભા અને રાજ્યસભાના સભ્ય ચુંટાયા. તેઓ અવિભાજીત શિવસેના છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે વિભાજિત શિવસેનાનો ભાગ બનવાનું નક્કી કર્યું છે.
સંજય નિરુપમ સામે પાર્ટી વિરોધી કામ કરવાનો હતો આરોપ
#WATCH | Mumbai | On Congress leader Sanjay Nirupam, Maharashtra Congress President Nana Patole says, "His name was mentioned in the star campaigners, which has been cancelled. The kind of statements he has been making, action will be taken..." pic.twitter.com/BqTqBUBvzh
— ANI (@ANI) April 3, 2024