શોધખોળ કરો

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'

મહારાષ્ટ્રમાં નગરપાલિકા અને નગર પરિષદની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદથી અંબરનાથનું રાજકારણ સતત ચર્ચામાં છે. એક દિવસ પહેલા જ કૉંગ્રેસના 10 કાઉન્સિલરો તોડી ભાજપે સરસાઈ મેળવી હતી.

મહારાષ્ટ્રમાં નગરપાલિકા અને નગર પરિષદની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદથી અંબરનાથનું રાજકારણ સતત ચર્ચામાં છે. એક દિવસ પહેલા જ કૉંગ્રેસના 10 કાઉન્સિલરો તોડી ભાજપે સરસાઈ મેળવી હતી, પરંતુ હવે એકનાથ શિંદેની શિવસેનાએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. શિંદે જૂથની શિવસેના હવે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે ગઠબંધન કરીને સત્તા મેળવવા માટે તૈયાર છે.

એવી ચર્ચા છે કે  કોંગ્રેસના 10 કાઉન્સિલરોની મદદથી સરકાર બનાવવાનું સ્વપ્ન જોઈ રહેલી ભાજપને શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ મોટો રાજકીય ઝટકો આપ્યો છે. અંબરનાથ નગર પરિષદમાં 27 શિવસેના કાઉન્સિલરો ચૂંટાયા હતા. તેમને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના ચાર કોર્પોરેટરો અને એક અપક્ષનો ટેકો મળ્યો છે.  આનાથી 32 કાઉન્સિલરોનું એક જૂથ બની સત્તાનો દાવો કરવામાં આવ્યો છે.

ભાજપનો અંબરનાથમાં સત્તા બનાવવાનો પહેલો દાવો!

અંબરનાથમાં ભાજપના કુલ 16 ભાજપ અને શિવસેનાના 27  કાઉન્સિલરો ચૂંટાયા હતા. કોઈપણ રીતે શિવસેનાને સત્તાથી દૂર રાખવા માટે ભાજપે પહેલા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું. વરિષ્ઠ નેતૃત્વની નારાજગીને પગલે ભાજપે 10  કોંગ્રેસના કોર્પોરેટરોને પોતાના પક્ષમાં કરી લીધા. ત્યારબાદ, તેણે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરીને સત્તા મેળવવાનો  દાવો કર્યો.

અંબરનાથમાં શ્રીકાંત શિંદેના દાવથી ભાજપને મ્હાત આપી!

ભાજપની આ રણનીતિને પગલે સૌથી વધુ બેઠકો જીતનાર શિવસેનાના શિંદે જૂથમાં હલચલ તેજ બની હતી. ત્યારબાદ સાંસદ શ્રીકાંત શિંદેએ  અજિત પવારની NCP સાથે ગઠબંધન કર્યું. શિવસેનાના તમામ કોર્પોરેટરો થાણેના આનંદ આશ્રમમાં ભેગા થયા. જિલ્લા મેજિસ્ટ્રેટને એક પત્ર સુપરત કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 32  કોર્પોરેટરો સાથે સત્તા મેળવવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેમાં શિવસેનાના 27,  NCP (અજિત પવાર)ના 4 અને એક અપક્ષનો ટેકો મળ્યો હતો. 

અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલ ચૂંટણી પરિણામો: પક્ષવાર સ્થિતિ

શિવસેના (શિંદે જૂથ): 27
NCP (અજીત પવાર): 4
અપક્ષ: 1
ભાજપ: 16
કોંગ્રેસ: 12 (આમાંથી 10 ભાજપમાં જોડાયા)

અંબરનાથમાં શિવસેના વિરુદ્ધ ભાજપ!

અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ અને શિવસેના (શિંદે જૂથ)ના સાંસદ શ્રીકાંત શિંદેની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. શિવસેનાના મનીષા વાલેકર અને ભાજપના તેજશ્રી કરંજુલે પાટીલ વચ્ચે મેયર પદ માટે જોરદાર સ્પર્ધા થઈ હતી. ભાજપના તેજશ્રી કરંજુલે પાટીલ વિજયી બન્યા. મેયર પદ ભાજપને મળ્યું હોવા છતાં, શિવસેનાના ઉમેદવારોએ સૌથી વધુ કાઉન્સિલરો જીત્યા.

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget