![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sidhu Moosewala Shot Dead: પંજાબના જાણિતા સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા, કાલે જ સુરક્ષા હટાવાઈ હતી
માનસાના જવાહરપુર ગામમાં તેના પર કથિત રીતે ગોળીબાર કરવામાં આવ્યો હતો
![Sidhu Moosewala Shot Dead: પંજાબના જાણિતા સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા, કાલે જ સુરક્ષા હટાવાઈ હતી Sidhu Moose wala Shot Dead Punjabi Singer sidhu moosewala died in firing Mansa district Sidhu Moosewala Shot Dead: પંજાબના જાણિતા સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા, કાલે જ સુરક્ષા હટાવાઈ હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/29/13af61a38b2871cd68de519e8da7c39f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sidhu Moosewala Shot in Punjab: પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માનસાના જવાહરપુર ગામમાં તેના પર કથિત રીતે ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સિદ્ધુ મુસેવાલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી પણ લડી હતી.
મળતા અહેવાલ મુજબ અજાણ્યા હુમલાખોરોએ સિદ્ધુ મુસેવાલા પર હુમલો કર્યો હતો. સિદ્ધુ મુસેવાલા પર લગભગ 7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, આ હુમલામાં 3 અન્ય લોકો ઘાયલ પણ થયા છે. સિદ્ધુ મુસેવાલા ભણવા માટે કેનેડા ગયો હતો, પછી જ્યારે તે પંજાબ પરત ફર્યો તો તે ગાયક બનીને પાછો ફર્યો હતો. સિદ્ધુ મુસેવાલા પણ ઘણા વિવાદો સાથે જોડાયેલ હતો. સિદ્ધુ મુસેવાલાની સુરક્ષા એક દિવસ પહેલા જ પાછી ખેંચી લેવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ત્રણ અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.
#WATCH | Punjabi singer Sidhu Moose Wala was shot by unknown people in Mansa district, Punjab. Further details awaited. pic.twitter.com/suuKT20hEj
— ANI (@ANI) May 29, 2022
હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હુમલાના સંબંધમાં પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, શૂટરોને ઓળખવાનો પ્રયાસ કરવા આસપાસના સીસીટીવી ફૂટેજને સ્કેન કરવાનો પ્રયાસ ચાલુ છે. સિદ્ધુની હત્યા પર બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, મુસેવાલની સુરક્ષા કેમ હટાવી દેવામાં આવી? સિરસાએ આરોપ લગાવ્યો કે, સરકારની બેદરકારીને કારણે ગાયકની હત્યા કરવામાં આવી છે. ભગવંત માન સરકારની આ સૌથી મોટી બેદરકારી છે.
બીજી તરફ કોંગ્રેસ નેતા રાજકુમાર વેર્કાએ મુસેવાલાની હત્યા પર કહ્યું છે કે, આ મામલે મુખ્યમંત્રી ભગવંત માન પર કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચોઃ
આધાર કાર્ડને લઈ અસમંજસઃ આધાર કાર્ડની કોપી બીજાને આપવા અંગે હવે સરકારે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)