શોધખોળ કરો

Social Media : આધાર-પાનની માફક ઓળખપત્રને સોશિયલ મીડિયા અકાઉન્ટ સાથે કરાશે લિંક?

કેંદ્રીય માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી.

Social Media Accounts Linking With ID Cards : આધાર કાર્ડ અને પાન કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. હવે કેન્દ્ર સરકારે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટને આધાર અથવા સરકાર દ્વારા જારી કરાયેલ અન્ય કોઈપણ ઓળખ કાર્ડ સાથે લિંક કરવાની યોજના બનાવી રહી છે કે કેમ તેને લઈને પ્રશ્ન ઉઠ્યો હતો. જોકે આવી કોઈપણ પ્રકારની યોજનાને કેન્દ્ર સરકારના મંત્રીએ સંપૂર્ણ રીતે નકારી કાઢી છે. 

કેંદ્રીય માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી. 

લોકસભાના સાંસદ ફિરોઝ વરુણ ગાંધીએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાનને પૂછ્યું હતું કે, શું કેન્દ્ર સરકાર ફેસબુક, ટ્વિટર અથવા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટને માન્યતા આપવા માટે સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ સાથે લિંક કરવાનું વિચારી રહી છે? ફિરોઝ વરુણ ગાંધીના આ પ્રશ્નનો લેખિતમાં જવાબ આપતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય સમક્ષ આવો કોઈ પ્રસ્તાવ નથી.

તેમણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ગુમનામ ઉપયોગ ચાલુ છે અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય સમક્ષ કોઈ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટને સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ સાથે લિંક કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.

જ્યારે સોશિયલ મીડિયા ક્રાઈમ સંબંધિત નોંધાયેલા કેસો અને આવા કેટલા કેસનું સમાધાન થયું છે તે અંગે પૂછવામાં આવતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, NCRB સોશિયલ મીડિયા ક્રાઈમ સંબંધિત ડેટા બેઝને પોતાની પાસે સાચવીને નથી રાખતું. જો કે, NCRB મુજબ, 2019માં 85 સાયબર ક્રાઈમ, 2020માં 149 અને 2021માં 123 નકલી પ્રોફાઈલ સંબંધિત કેસ નોંધાયા હતા.

તેમણે કહ્યું હતું કે, સરકારનું ધ્યેય ડિજિટલ નાગરિકને ઓપન, સલામત, વિશ્વસનીય અને જવાબદાર ઈન્ટરનેટ પૂરું પાડવાનું છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં 50 લાખથી વધુ નોંધાયેલા યુઝર્સ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે 24*7 સંકલન માટે ફરિયાદ અધિકારી, મુખ્ય અનુપાલન અધિકારી અને નોડલ સંપર્ક વ્યક્તિની નિમણૂક કરવી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, સરકારે IT નિયમો 2021 હેઠળ યુઝર્સ માટે અપીલ કરવા માટે ત્રણ GAC (ગ્રિવેન્સ એપેલેટ કમિટી)ની રચના કરી છે, જ્યાં સોશિયલ મીડિયાના ફરિયાદ અધિકારીના નિર્ણય સામે અપીલ કરી શકાય છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
IND Vs ENG: ભારતને મોટો ઝટકો, પંત બાદ આ સ્ટાર ખેલાડી પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર
IND Vs ENG: ભારતને મોટો ઝટકો, પંત બાદ આ સ્ટાર ખેલાડી પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ચાલશે પાણીનું ગ્રહણ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલોની બબાલોમાં સાચું કોણ?
Hun To Bolish : હું તો બોલીશ :  મોતના હાઈવે
Ahmedabad water logging: અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
Dhoraji News : ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
IND Vs ENG: ભારતને મોટો ઝટકો, પંત બાદ આ સ્ટાર ખેલાડી પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર
IND Vs ENG: ભારતને મોટો ઝટકો, પંત બાદ આ સ્ટાર ખેલાડી પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
Embed widget