શોધખોળ કરો

Sonam Wangchuk: સોનમ વાંગચુકે ખતમ કરી ભૂખ હડતાળ, બાળકના હાથે જ્યૂસ પીધું, કહી આ વાત

Sonam Wangchuk: ભૂખ હડતાળને સમાપ્ત કરતા પહેલા, વાંગચુકે સવારે સોશિયલ મીડિયા એકાઉન્ટ 'X' પર એક વીડિયો શેર કર્યો હતો,

Sonam Wangchuk Hunger Strike Called Off: સામાજિક કાર્યકર્તા અને પર્યાવરણવાદી સોનમ વાંગચુક, જે લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે 21 દિવસથી હડતાળ પર હતા. તેણે મંગળવારે (26 માર્ચ, 2024) ના રોજ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી છે. વાંગચુક છેલ્લા 21 દિવસથી માત્ર મીઠું અને પાણી લેતા હતા. તેણે એક બાળકના હાથમાંથી જ્યુસ પીને આમરણાંત ઉપવાસનો અંત આણ્યો હતો.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વાંગચુકે કહ્યું કે અમે લદ્દાખમાં હિમાલયના પર્વતોની નાજુક ઇકોસિસ્ટમ અને અહીંની અનોખી સ્વદેશી આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે અમારો અવાજ ઉઠાવી રહ્યા છીએ અને આ લડાઈ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

પીએમ મોદીને લદ્દાખ મુદ્દે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી

ભૂખ હડતાળને સમાપ્ત કરતા પહેલા, વાંગચુકે સવારે સોશિયલ મીડિયા એકાઉન્ટ 'X' પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લદ્દાખ સંબંધિત મુદ્દાઓને હસ્તક્ષેપ કરવા અને ઉકેલવા વિનંતી કરી હતી. વાંગચુકે એમ પણ કહ્યું હતું કે આજે તેમની ભૂખ હડતાલનો 21મો દિવસ છે પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા લદ્દાખ મુદ્દે એક પણ શબ્દ બોલવામાં આવ્યો નથી.

વાંગચુકને બરફીલા પહાડો પર લોકોનો સંપૂર્ણ સહયોગ મળ્યો

સોનમ વાંગચુક દ્વારા ભૂખ હડતાળ એવા સમયે કરવામાં આવી હતી જ્યારે લદ્દાખમાં તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. તેમની માંગણીઓને મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળ્યું છે. લોકોએ સોમવાર (25 માર્ચ)ની રાત પણ તેમની સાથે લદ્દાખના બરફીલા પહાડોમાં વિરોધ સ્થળ પર સૂઈને વિતાવી હતી.

કોણ છે સોનમ વાંગચુક?

વાંગચુક લદ્દાખના પર્યાવરણ કાર્યકર્તા, મિકેનિકલ એન્જિનિયર અને શિક્ષક છે. તેઓ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓલ્ટરનેટિવ્સ, લદ્દાખ (HIAL) ના ડિરેક્ટર પણ છે. તેમને વર્ષ 2018માં મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો. સોનમ વાંગચુકને ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે, જેમાં રેમન મેગ્સેસે એવોર્ડનો સમાવેશ થાય છે. તેમને સંતોકબા માનવતાવાદી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

બોલિવૂડની સુપરહિટ ફિલ્મ '3 ઈડિયટ્સ'માં મુખ્ય ભૂમિકા ભજવનાર આમિર ખાન એટલે કે 'રાંચો'નું પાત્ર તેના (સોનમ વાંગચુક)થી પ્રેરિત છે. આ ફિલ્મ 2009માં રીલિઝ થઈ હતી અને 'રાંચો'ની ભૂમિકા આજે પણ દરેકના મન અને હૃદયમાં મોજૂદ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget